Breaking
15 જૂન 2025, રવિ

વાહન – મોબાઈલ ચોરી થાય તો e – FIR કરી શકાશે #E-FIR can be done in case of vehicle-mobile theft#new struggle #new struggle 99

 હવે વાહન – મોબાઈલ ચોરી થાયતો e – FIR કરી શકાશે ૩ દિવસમાં ફરિયાદનો નિકાલ થશે ,

સમયમર્યાદામાં કાર્યવાહી ન થાય તો પોલીસ અધિકારી સામે  પગલાં ભરાશે, ગુજરાતમાં હવે વાહન ચોરી,મોબાઈલ ફોન ચોરીના કિસ્સામાં સિટિઝન પોર્ટલ – સિટિઝન ફર્સ્ટ મોબાઈલ એપ્લિકેશન થી ઈ – fir ની સુવિધા મળશે,

 ગુજરાત પોલીસ દ્વારા વાહન ચોરી – મોબાઈલ ફોન ચોરીના કિસ્સામાં સિટીઝન પોર્ટલ (gujhome.hujarat.gov.in), સિટિઝન ફર્સ્ટ મોબાઈલ એપથી ઈ – fIR મેળવી શકાશે,જોકે આરોપી અજ્ઞાત હોય, ઘટના દમિયાન બળનો ઉપયોગ ના થયો હોય, ઈજા ન થઈ હોય તેવા કિસ્સામાં ઈ – FIR કરવાની રહેશે.આ ફરિયાદની તપાસમાં તથ્ય ચકાસીને ફરિયાદને FIR માં રૂપાંતર કરાશે.મહત્ત્વની બાબત એ છે કે, E-FIR અપલોડ થયાના ૪૮ કલાકમાં તપાસ અધિકારી ફરિયાદી નો કરી ખરાઈ કરશે , ૪૮ કલાકમાં તપાસ પૂરી કરીને પ્રાથમીક રિપોર્ટ થાણા ઈન્ચાર્જને મોકલવાનો રહેશે,એ પછી થાણા અધિકારી અહેવાલ મળ્યાના ૨૪ કલાકમાં ફરિયાદનો યોગ્ય નિકાલ કરશે, ઘટનાની વિગતો સાચી હશે તો ઈ – એફ આઈ આર દાખલ થશે.રાજ્યના ગૃહ વિભાગે ત્રીજી જૂને આ સંદર્ભે ઠરાવ કર્યો છે . ફરિયાદનો નિકાલ કરવાનો રહેશે,જો ૭૨ કલાકમાં નિકાલ નહિ થાય તો ફરિયાદ પેન્ડિંગ હોવા અંગેનો ઈ – મેલ કે એસએમએસ તરતજ પોલીસ અધિક્ષક, મદદનીશ પોલીસ કમિશનરને જશે,बेकमे भरती की जानकारी के लिए क्लिक करें

 એ પછી પોલીસ કમિશનર સુધી જાણ થશે.આમ પાંચ દિવસમાં આખરી નિર્ણય અંગેની કાર્યવાહી નહિ થાય તો રનિંગ નંબર આપોઆપ ફાળવવામાં આવશે,એટલું જ નહિ પરંતુ ૧૨૦ કલાકની સમય મર્યાદામાં કાર્યવાહી નહિકરવા બદલ પોલીસ કમિશનર – નાયબ પોલીસ કમિશનર,પોલીસ અધિક્ષક પોલીસ સ્ટેશનના સંબંધિત અધિકારીની જવાબદારી નક્કી કરી તેમની વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરાશે, ગૃહ વિભાગના આ નિર્ણયના કારણે …સ્વમેળે ફરિયાદ કરવાથી ફરિયાદ નોંધવામાં પોલીસની આડોડાઈ નો અંત આવશે.ઈ – એફઆઈઆર અપલોડ થવાના ૭૨ કલાકમાં એટલે કે ત્રણ દિવસ સુધીમાં થાણા અધિકારીએ જણાવવા માં આવશે.

Leave a Reply