મહુવા તાલુકાના દયાળ ગામે દરિયા કિનારે આવેલું પ્રાચીન મહાદેવનું નું મંદિર આવેલુ છે. અહી મહાદેવ ના મંદિર ના પાશળ ના ભાગ મા દરિયા ની અદર એક મોટી ગુફા આવેલી છે,અહી ગુફાની અંદર પાસ પાડવો દ્વારા મહાદેવ ની સ્થાપના કરવામાં આવેલી છે,
રત્નેશ્વર મહાદેવ અમરનાથની ગુફાના દર્શન કરાવે છે. ૬૫ ફૂટ લંબાઈ અને ૧૮ ફૂટ જેટલી ઉંચાઈ ધરાવતી આ ગુફામાં રત્નેશ્વર મહાદેવની સ્થાપના નિષ્કલંક મહાદેવ ના સ્થાપના સમયની પુરાતન માનવામાં આવે છે.
જેથી પ્રાચીન પુરાણાં માં રત્નેશ્વર મહાદેવજી પ્રત્યે શિવ ભક્તો ની શ્રધ્ધા દરિયાના પાણી જેટલી અખૂટ છે.
મહુવાના દયાળ ગામે શિલ્પકારે જાણે પોતાના મોજારૂપી હાથ વડે કંડારીને બનાવ્યું હોય તેવી કુદરતી અલૌકિક ગુફા માં આવેલું રત્નેશ્વર મહાદેવજીનું મંદિર પ્રાચીન મંદિરોમાં સમાવિષ્ટ થાય છે.
દરિયાની ભરતી સમયે સમુદ્ર પોતે જાન્ને મહાદેવજીના ચરણોને પંપાળવા આવતો હોય તેમ દિવસમાં બે વખત રત્નેશ્વર મહાદેવનો જળાભિષેક થાય છે,
ગુફાના મુખ પર કુદરતી રીતે પાણી નો ફુવારો થાય છે. જેના પર સૂર્યકિરણો પડવાથી મેઘ ધનુષ્ય જેવું સુંદર કુદરતી દ્રશ્ય સર્જાઈ છે.
રત્નેશ્વર મહાદેવજીનું મંદિર અમરનાથની પ્રતિકૃતિ હોય તેમ ગુફામાં કબૂતરોની જોડી આજે પણ જોવા મળે છે. સુપ્રસિધ્ધ શિવધામની ગુફાની લંબાઈ આશરે ૬૫ ફૂટ અને ઉંચાઈ ૧૬ થી ૧૮ ફૂટ જેટલી છે.
દિરયાઈ પાણીના કારણે રત્નેશ્વર મહાદેવજીની ગુફા પાણી મા ગરકાવ થઈ જતી હોવાથી રત્નેશ્વર મહાદેવજીના દર્શન સવારે ૮-૧પથી બપોરે ૧-૧૫ સુધી અને રાત્રે ૮-૪૨થી ૧-૪૨ સુધી જ કરી શકાય છે.
ગ્રામજનોના પૂર્વજોએ કહેલી લોકવાયકા પ્રમાણે રત્નેશ્વર મહાદેવની ઉગમણી પૂર્વ પાણી બાજુએ રક્તપીતથી પીડાતા લોકોએ જળસમાધિ લીધી છે. તે બે લોકોની દેરી ઉપરના ભાગે આજે પણ હયાત છે.દયાળ ગામમાં રક્તપીત્તથી પીડા ગયતા ઉન્માન ગામ લોકોએ જળસમાધિ આપી હતી. તેમાંથી સંત દેવીદાસે તેઓને બચાવી પરબની વાવે લઈ ગયા હતા અને તેમના અંતિમ સમય સુધી સેવા ચાકરી કરી હતી.
આ ગુફાની બહાર જમીન પર દયાળજી મહેતાએ સ્થાપના કરેલા બે પ્રાચીન શિવલીંગ આવેલા હતા, જે કાળક્રમે જીર્ણ થવાથી આ જગ્યાએ લોકફાળાથી વર્ષ ૧૯૯૯ માં શિવધામ બાંધવામાં આવ્યું હતું. રત્નેશ્વર મહાદેવનું મંદિર દરિયાકાંઠે આવેલું હોવાથી વાહન લઈ પહોંચી શકવા માટે કાસો રસ્તો છે, જે ગ્રામજનોએ માર્ગ બનાવ્યો છે. શ્રાવણ માસના દરેક સોમવારે અહીં ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે. જન્માષ્ટમી અને ભાદરવા ના પ્રથમ દિવસે અહીં મેળો પણ ભરાય છે