Breaking
16 જૂન 2025, સોમ

આઈપીએલ મેચ લાઇવ,આઈપીએલ મેચ પહેલો દીવસ, આઈપીએલ લાઇવ સ્કોર, cricbuzz Live , ipl ctriket score live

 ઇન્ડિયન પ્રીમિયર લીગની (આઇપીએલ ૨૦૨૩) ૧૬મી સિઝન નો પ્રારંભ થવામાં હવે ગણતરીના કલાકો બાકી રહી ગયા છે. વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ તથા ચાર વખતની ચેમ્પિયન ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે ૩૧મી માર્ચે ક્રિકેટના બેટિંગ ટી ૨૦ શૉ તરીકે ગણાતી આઇપીએલનો ઓપનિંગ મુકાબલો રમાશે અને આ મેચની તમામ ટિકિટો વેચાઈ ચૂકી છે. ક્રિકેટના ફેન્સ પણ પોતા ના ઓલ ટાઇમ ફેવરિટ મહેન્દ્રસિંહ ધોની સંભવિત છેલ્લી વખત અમદાવાદમાં ૨મશે તે ધારણા સાથે પણ ઓપનિંગ મુકાબલો જોવા માટે સાંજે ૭ઃ૩૦થી શરૂ થશે અને તે પહેલાં બોલિવૂડના સ્ટાર્સ પરફોર્મન્સ દ્વારા સમર્થકોને મુગ્ધ કરશે. ૧૮ ડબલ હેડર સાથે કુલ ૧૨ સ્ટેડિયમમાં કુલ ૭૦ લીગ મેચો રમાશે. આ વખતે હોમ અને અવે ફોર્મેટ મુજબ પ્રત્યેક મેચ ૧૪ મેચ રમશે. તમામ ૧૦ ફ્રેન્સઈન ને બે ગ્રૂપ માં રાખવામાં આવી છે. ગ્રૂપ – એ માં મુંબઇ, કોલકાતા, રાજસ્થાન, દિલ્હી અને લખનઉ છે. ગ્રૂપ- બીમાં ચેન્નઈ, હૈદરાબાદ, બેંગ્લોર, પંજાબ અને ગુજરાતને સ્થાન અપાયું છે. તમામ ટીમના ૧૦ કોચ ની પ્રતિષ્ઠા પણ દાવ ઉપર લાગશે.


કોણ આપશે પરફોર્મન્સ :-  


અર્જિતસિંહ, રશ્મિકામંધાના, તમન્ના ભાટિયા સાંજે ૬ વાગ્યા થી લાઈવ પર્ફોર્મન્સ આપશે, ત્યારબાદ ભવ્ય આતશબાજી યોજાશે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નો મેઇન ગેટ બપોરે ૩:૦૦ વાગ્યાથી ખોલી દેવાશે, મેટ્રો સર્વિસ ૨ાત્રે ૧ઃ૩૦વાગ્યા સુધી દોડાવવામાં આવશે


હાર્દિકસેનાઅનેધોનીબ્રિગેડ આજે આમનેસામને થશે



મેચ પહેલાં બન્ને ટીમોએ તેના ચાર-ચાર ઇમ્પેક્ટ પ્લેયરની જાહેરાત કરવી પડશે


અમદાવાદ । વિશ્વન સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ૩૧મી માર્ચથી ડિફૉલ્ડંગ ગેમ્પિયન ગુજરાત ટાઇટન્સ તથા ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચેના ઓપનિંગ મુકાબલા સાથે આઇપીએલની ૧૬મી સિઝનનો પ્રરંભ થઈ જશે. ૨૦૨૨માં પ્રથમ વખત લીગમાં સામેલ થયા બાદ રેકોર્ડ પેપર ઉપર નાના દેખાતા ખેલાડીઓ વડે હાર્દિક પંડ્યાએ ટીમને ચેમ્પિવન બનાવી હતી. ફાઇનલમાં ગુજરાતની ટીમે રાજસ્થાન રોયલ્સને હરાવીને ટાઇટલ જીત્યું હતું. ચાર વખત ચેન્નઇ સુપર કિંગ્સને ચેમ્પિયન બનાવી ચૂકેલા સુકાની ધોનીની ટીમ સામે ગુજરાતની ટીમ મેદાનમાં ઊતરશે ત્યારે તેની સામે ટાઇટલનું રક્ષણ કરવાનો પડકાર રહેશે. ૨૦૨૨ની સિઝનમાં બંને ટીમ બે વખત ટકરાઇ હતી અને બંને વખત ગુજરાતે મેચ જીતી હતી. ટોસ જીતનાર ટીમ રનચેઝ કરવાનું વધારે પસંદ કરશે પિચ બેટિંગ માટે આસાન હોવા છતાં મેચના બીજા ભાગમાં થોડીક ધીમી પડી શકે છે. મેચનો સાંજે ૭ઃ૩૦થી પ્રારંભ થશે.



તમામનિયમોનું કડક પાલન કરાશેઃ BCCI


દેશમાં કોરોનાના વધતા કેસીસ વચ્ચે IPL ૨૦૨૩માં સાવચેતી રખાશે


નવી દિલ્હી । દેશમાં આઈપીએલની ૧૬મી સિઝન શરૂ થવાની તૈયારીમાં છે તેની સાથે જ દેશમાં કોરોનાએ ફરીથી માથું ઊંચક્યું છે. પાછલા કેટલાક મહિનાના આંકડા પર એક નજર નાખીએ તો કોરોનાના નવા કેસીસમાં વધારો જોવા મળી રહ્યો છે, જે પરેશાન કરનારી બાબત છે. ઘણા રાજ્યોમાં કોવિડના કેસીસમાં ૩૦ ટકા સુધીનો વધારો સામે આવી રહ્યો છે. નોંધનીય છે કે કોરોના વાઇરસના પ્રકોપ વચ્ચે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત જાયન્ટ્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે પ્રથમ મુકાબલો રમાશે. આ દરમિયાન કોરોનાના કેસીસમાં થઇ રહેલાં વધારાને ધ્યાનમાં રાખીને બીસીસીઆઈએ કોરોનાના નિયમોનું કડક પાલન કરાવવાનો આદેશ કર્યો છે. બીસીસીઆઈ સ્ટેડિયમની અંદર ભીડને સંભાળવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. તેને લઇને બીસીસીઆઈ સરકાર દ્વારા ઈશ્યૂ ક૨વામાં આવેલી માર્ગરેખાનું ચુસ્ત પાલન કરશે. બીસીસીઆઈએ સાવચેતીના ઉપાય તરીકે તમામ ટીમોના ખેલાડીઓ, કોચ, સ્ટાફ, સ્ટેડિયમ સ્ટાફ વગેરેને સ્વાસ્થ્ય અને સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાનો આદેશ કર્યો છે.


બીસીસીઆઈએ કોવિડ પોલિસીમાં કોઇ બદલાવ કર્યો નથી જો કે બીસીસીઆઈએ પોતાની કોવિડ પોલિસીમાં કોઇ ફેરફાર કર્યા નથી. બીસીસીઆઈના નિયમો હેઠળ કોવિડ- ૧૯થી સંક્રમિત ખેલાડીએ હજું પણ સાત દિવસ સુધી ક્વોરન્ટાઇનનું પાલન કરવું પડશે. નિયમો અનુસાર ખેલાડીઓએ ત્યાં સુધી ક્વોરન્ટાઇન રહેવું કે જ્યાં સુધી ખેલાડીના સતત ત્રણ ટેસ્ટ નેગેટિવ ના આવે.


આઇપીએલ ચેમ્પિયનને રૂા. 20 કરોડ, રનર્સઅપને 13 કરોડનું ઈનામ

 ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૬મી સિઝનની ઈનામી ૨કમ કુલ મળીને રૂપિયા ૪૬.૫ કરોડ થવા જાય છે. એક રિપોર્ટમાં બોર્ડના સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, આઇપીએલ ૨૦૨૩ની સિઝનની ચેમ્પિયન ટીમને રૂપિયા ૨૦ કરોડનું ઈનામ મળશે. જ્યારે રનર્સઅપ ટીમને રૂપિયા ૧૩ કરોડ મળશે. પ્લે ઓફમાં પ્રવેશનારી બાકીની બંને ટીમને રૂપિયા ૭-૭ કરોડ આપવામાં આવશે.







Leave a Reply