છેલ્લા પંદર દિવસથી ચાલુ થયેલા કમોસમી વરસાદને કારણે ઘઉંના અને ઇસબગુલ, ડુંગળી, ઘઉં, ધાણા, બટાટા, પશુના નીરાવ ના પાકને ખાસ્સું નુકસાન થયું છે.
એકલા ઉત્તર ગુજરાતમાં ઘંઉ અને ઇસબગુલના પાકને અબજો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે.
જયારે સૌરાષ્ટ્ર ના મોટા ભાગમાં કમોસમી વરસાદને કારણે ભારે નુક્સાન જોવા મળી રહ્યું છે,
દક્ષિણ ગુજરાતનો કેરીના પાકને ૭૦ ટકા નુકસાન થયું હોવાનું વલસાડના ખેડૂતોનું કહેવું છે.
આવખતે કેરી બહુ જ ઓછી મળશે. ૧૦ મે પછી તે મળવી પણ મુશ્કેલ બની જશે. આ જ રીતે હાળી ના અરસાથી જ ઘઉંની લણણી નો આરંભ થતો હોવાથી તેના પાકને ખાસ્સું નુકસાન થયું છે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બીજીતરફ ખરાબ મોસમ અને માવઠા ના અહેવાલોના લાભ લઈને સટોડિયાઓ એગ્રીકોમોડિટીના ભાવને ઊછાળી દેવા માં સક્રિય થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
કમોસમી વરસાદનો લાભ ઊઠાવી બૂમરાણ મચાવીને ઘઉંના ભાવને ઊંચી સપાટીએ લઈ જવા સક્રિય થઈ ગયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. જયારે ડુંગળી ના ભાવ તળિયે બેસી ગયા છે જે ખેડુતો ને નુક્સાન થયું છે
કૃષિ ક્ષેત્રે ના નિષ્ણાતો નું કહેવું છે કે હોળીના ફૂલણણીનો સમય આવી ગયો છે.તેની લણણી બાકી છે. તને વરસાદનું પાણી અડી જાય તો તેની ખાસ્સું નુકસાન થઈ શકે છે. કૃષિકારોના અંદાજ મુજબ ઇસબગુલના પાકને અંદાજે ૨૫ ટકાની આસપાસનું નુકસાન થઈ શકે છે.
ગુજરાતના કચ્છ વિસ્તારમાં પાંચ છ પાણીના ભારથી છોડ નમી જવાની અને દિવસથી હળવો વરસાદ પડ્યો હોવાથી ઇસબગુલના પાકને બહુ નુકસાન થયુ હોવાનું જણાતું નથી. જોકે ઇસબગુલની લણણી પણ ૧૫-૨૦ દિવસથી ચાલુ થઈ ગઈ હતી. તેથી ખાસ્સો માલ ગોદામમાં પહોંચી ગયો હોવાની શક્યતા છે.
રાજસ્થાન જેવા વિસ્તારમાં હોળી પછી તેની લણણી થાય છે. તેથી રાજસ્થાનના ઇસબગુલની વાવણી કરતાં વિસ્તારમાં વરસાદ થયો હોય તો ઇસબગુલના પાકને નુકસાન થયું હોવાની સંભાવના છે. તેના નુકસાનના આંકડાંઓ બહાર આવતા બજાર પર તેની કેટલી અસર આવશે તે સ્પષ્ટ થશે. Chandryaan ૩ ની બધી માહિતીઓ
કેરીનો પાકને નુકસાન થવા ના કારણ આપતા સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતના ખેડૂતો કહે છે કે દિવસે ગરમી અને રાત્ર ૧૮ ડિગ્રીથી પણ ઓછું તાપમાન થઈ જતું હોવાથી કાચી કેરી (મરવા)માંથી ગોટલીની સ્ટ્રેન્થ જ આવતી નથી. તેની ફલિકરણની ટ્યૂબ જ સંકોચાઈ જાય છે.તેથી તેનો વિકાસ જ રૂંધાઈ જાય છે. પરિણામે દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકને ૭૦ ટકા નુકસાન થવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે.
સૌરાષ્ટ્રના વિસ્તારમાં પણ કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા બદલાવને કારણે કેરીના પાકને બહુ જ મોટું નુકસાન થયું છે. પરિણામે આ વરસે ઊનાળામાં કેરી મળવી દોહ્યલી થઈ જશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ સાથે પવન ફૂંકાતા કેરી પણ ખાસ્સી પડી ગઈ છે. તેથી પણ કેરીનો ફાલ ખાસ્સો ખરી ગયો છે
કૃષી નિષ્ણાતોનું અરસાથી ઘઉંની લણણીનો આરંભ થાય છે. આ લણણી પૂરી થઈ નથી. તેથી તેને ૨૦ટકા સુધી નુકસાન થઈ શકે છે. ઘઉંના ઊભા પાકને પાણી લાગી જવાથી દાણાની ગુણવત્તા પર તેની અસર પડવાની સંભાવના છે.
બીજું કમોસમી વરસાદના દાણા છૂટા પડી જવાની શક્યતા રહેલી છે. હોળી પછી લણણી ચાલુ કરી હોય તેમણે પણ લણણી કર્યા પછી ખળાંમાં ઘઉં રાખી મૂક્યા હોવાથી તેમના લખેલા ઘઉંને પણ નુકસાન થયું હોવાની શક્યતા છે. કાચા અંદાજ મુજબ ઘઉંના પાકને ૨૦ ટકાથી ૨૨ ટકાનું નુકસાન થવાની શક્યતા છે. જોકે ઘઉંનું વાવેતર પણ ગત વર્ષ કરતાં વધુ રહ્યું હોવાથી હાલને તબક્કે તેની તીવ્ર અછત સર્જાવાની સંભાવના સીમિત છે. ઘઉંના પાકને નુકસાન જરૂર આ નુકસાન કરતાં વધુ મોટું નુકસાન બતાવીને સટોડિયાઓ ઘઉંના ઊછાળીને બમણા કરી દેવાની ફિરાકમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. તેજીવાળા ગ્રુપે સ્ટોરેજ વધારીને ભાવ વધારવાની ચાલ ચાલવા માંડી છે. જોકે હજી સુધી ભાવમાં નજીવા વધારાને બાદ કરતાં મોટો વધારો થયો નથી. અત્યારે બજારમાં ઘઉંના ભાવ રૂ ૨૫૦૦થી ૩૫૦૦ની રેન્જમાં બોલાઈ રહ્યા છે. છૂટક બજારમાં તેના ભાવ ઊંચા હોવાની સંભાવના રહેલી છે. ઘઉંને કાળી ટપકી લાગી જાય કે શ્યામ પડી જાય તો પણ તેના ભાવ તૂટી જવાની શક્યતા છે. તેને કારણે પણ નુકસાન થયું છે.
ધાણાની લણણી પૂરી થઈ ગઈ છે. તેમ જ ઊંઝા માર્કેટ યાર્ડમાં રોજની ૨૫૦૦૦થી વધુ બોરી ધાણાની આવક થઈ રહી છે. કાઠિયાવાડના બજારોમાં તો ધાણાની તેનાથી પણ વધુ મોટી આવકો એપીએમસીમાં થઈ રહી છે. પરિણામે ધાણાનીલણણી બાકી રહી ગઈ હોય તેટલા પાકમાંથી સીમિત પાકને નુકસાન થયું હોવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. જીરૂના સારી ક્વોલિટીના માલનો આજની તારીખે બજારમાં સપ્લાય ચાલુ છે. રોજની ૫૦૦૦૦ બોરીનો સપ્લાય ઊંઝામાં આવી રહ્યો છે. રાયડાનો પાક પણ લેવાઈ ગયો હોવાથી તેને પણ નુકસાન થયું નથી.
બાજરીના પાકને બહુ નુકસાન થયું નથી. વરસાદ થોડો ઘણો પડે તો તેનાથી બાજરીને નુકસાન થતું નથી. એરંડા ઊભા છે. તેને નુકસાન ન થાય. બહુ જોરથી પવન આવે તો જ તેની ડાળ ભાંગી જવાની સમસ્યા થઈ શકે છે. ઉનાળું મગફળીને નુકસાન થવાની સંભાવના નહિવત છે. સૌરાષ્ટ્ર અને બનાસકાંઠામાં પણ મગફળીનો પાક લેવાઈ રહ્યો છે. તેનો પાકને ખાસ કોઈ નુકસાન થયું નથી. મોટાભાગનો કપાસ લેવાઈ ગયો છે. છેલ્લી વીણાટ બાકી શકે છે, તેથી તેને પણ નુકસાન થયું નથી.
નોંધ:- આ માહિતી નો અહેવાલ માત્ર અમારી જાણકારી અને મળતી માહિતી મુજબ જ છે. ચસોટ આંકડા ચાસા મળી ચકે નહિ, માહીતી સંભવિત માહીતી મુજબ જ છે