Breaking
16 જૂન 2025, સોમ

ડિજિટલ કરન્સીના પાયલોટ પરીક્ષણનો સમયગાળો વધારવા RBIની વિચારણા કરી રહી છે

 ડિજિટલ કરન્સીના પાયલોટ પરીક્ષણનો સમયગાળો વધારવા RBIની વિચારણા કરી રહી છે 

 રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા રિટેલ અને જથ્થાબંધ સેગમેન્ટમાં સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC)ની પાયલોટ ટ્રાયલ વધુ એક વર્ષ લંબાવી શકે છે. આમાં ટેસ્ટ સાથે સંકળાયેલી બેંકોના સૂત્રોએ કહ્યું કે સીબીડીસીમાં ટ્રાન્ઝેક્શન વધારવાની જરૂર છે. જ્યારે તે સંપૂર્ણ રીતે શરૂ થાય ત્યારે જ તેને નિયમિત કરી શકાય છે.

જથ્થાબંધ સેગમેન્ટ માટે સીબીડીસીનું પાયલોટ પરીક્ષણ નવેમ્બર ૧, ૨૦૨૨થી શરૂ થયું હતું, જ્યારે રિટેલ સેગમેન્ટ માટે તે ૧ ડિસેમ્બર, ૨૦૨૨થી શરૂ થયું હતું.

હોલસેલ સેગમેન્ટમાં પાયલોટ ટેસ્ટિંગ માટે નવ બેંકોની ઓળખ કરવામાં આવી હતી. આઠ બેંકોએ રીટેલ પાયલોટ ટ્રાયલ શરૂ કરી અને ચાર વધુ બેંકો પાછળથી જોડાઈ. આરબીઆઈએ સીબીડીસી રિટેલ પાયલોટમાં સામેલ ચાર બેંકોના માંગ પત્રોના આધારે રૂ. ૧.૭૧ કરોડ જાહેર કર્યા હતા.

રિટેલ સેક્ટરમાં ડિજિટલ કરન્સી ટ્રાન્ઝેક્શન વધ્યા નથી તેનું એક કારણ એ છે કે વપરાશકર્તાઓ ડિજિટલ ચલણ સ્વીકારતી દુકાનો વિશે જાણતા નથી. રિટેલ પાયલોટ સ્કીમ લગભગ શકે છે. ૧૦,૦૦૦ થી ૧૨,૦૦૦ દુકાનદારોને આવરી લે છે અને તેના લગભગ એક લાખ ગ્રાહકો છે.

આની સામે સૌથી મોટો પડકાર એ છે કે મોટાભાગના ગ્રાહકો યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસનો સરળતાથી ઉપયોગ કરી રહ્યા છે અને તેઓ કોઈ અન્ય ડિજિટલ પેમેન્ટ ઈન્ટરફેસનો  ઉપયોગ કરવા માંગતા નથી.

બીજી સમસ્યા ક્યુઆર કોડ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડિજિટલ કરન્સી માટે અલગ ક્યુઆર કોડની જરૂર છે. ઘણા વેપારીઓ પાસે એક કે બે ક્યુઆર કોડ હોય છે અને તેઓ બીજા ક્યુઆર કોડનો ઉપયોગ કરવા માંગતા નથી. જો સમાન ક્યુઆર કોડનો ઉપયોગ યુપીઆઈ અને ડિજિટલ કરન્સી માટે કરવામાં  આવે તો યુપીઆઈની અસરકારકતા પર પ્રતિકૂળ અસર થઈ

તેથી રિઝર્વ બેંક એક જ ક્યુઆર કોડ વડે, ડિજિટલ કરન્સી અને યુપીઆઈ દ્વારા ચુકવણી કરવાની રીત શોધી રહી છે. સ્ત્રોત અનુસાર, જો ટેક્નોલોજી તેમને પરવાનગી આપે તો તેઓ પ્રયાસ કરી શકે છે.’

Leave a Reply