Breaking
15 જૂન 2025, રવિ

અરવલ્લી જિલ્લો , અરવલ્લી જિલ્લાના જાણીતા સ્થળો, અરવલ્લી જિલ્લાના જોવાલાયક સ્થળો,અર્વલી જિલ્લા ની માહિતી

💥💥  અરવલ્લી જીલ્લાના જોવાલાયક સ્થળો :-💥🌾

👉મોડાસા :- 15મી સદીમાં કવિ પદ્મનાભે “કાન્હડદે પ્રબંધ’માં રાજા બત્તડનું “મહુડાસુ” એવો ઉલ્લેખ કરેલ છે. પ્રાચીનકાળમાં ૨ેલ છે. “મોહડકવાસક” નામથી આ નગર જાણીતું છે.

 👉સલ્તનતકાળના હજીરા અને દરગાહો આવેલી છે.

ખેડા જીલ્લા ની મજાની વાતો જાણો

✨આ ઉપરાંત મોડાસા નજીક બાજકોટ ખાતે દેવરાજધામ આવેલું છે. જ્યાં દેવાયત પંડિતની સમાધિ આવેલી છે.

✨મહાદેવ ગ્રામ (બાકરોલ) :- સમગ્ર ભારતમાં દિલ્હીના રાજઘાટ સિવાયની રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું એકમાત્ર સમાધિ સ્થળ જે મહાદેવ ગ્રામ ખાતે મેશ્વો અને ઝૂમ્મર નદીના સંગમસ્થાને “હાથિયા ડુંગર” પર આવેલ છે.

✨શામળાજી ઃ- પ્રાચીન નામ – ગદાધરપુરી, જે મેશ્વો નદીના કિનારે આવેલ છે.

✨ગદાધરપુરીના નામે જાણીતા આ નગરમાં વિષ્ણુની ગદાધારણ કરેલી મૂર્તિ આવેલી છે. મંદિરનું બાંધકામ ચૌલુક્યશૈલીમાં થયેલું છે.

✨ મેશ્વો અને પિંગળા નદીના સંગમસ્થાન “નાગધરા” તરીકે ઓળખાય છે. આ ઉપરાંત ‘શ્યામલવન’આવેલું છે.

✨દેવની મોરી :- શામળાજી પાસે આવેલા દેવની મોરી ખાતે ક્ષત્રપકાળનો બૌદ્ધ સ્તૂપ ‘“ઈંટેરી સ્તૂપ’’ તથા બુદ્ધની પ્રતિમા મળી આવી છે.

અમદાવાદ માં રાત્રે થાય છે આવા કામ

અમદાવાદ ની સિક્રેટ વાતો જાણો

✨ભિલોડા :- દિગંબર જૈનો માટે જાણીતું તીર્થસ્થળ, કીર્તિસ્તંભ સાથેનું જિનાલય આવેલું છે.

✨ઝાંઝરી :- બાયડ તાલુકાના ડાભા ગામ પાસે ગંગેશ્વર મહાદેવ પાસે નાનકડો ધોધ આવેલો છે.

✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨

મુખ્ય નદીઓ :- માઝમ, મેશ્વો, વાત્રક, હાથમતી

✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨

* સિંચાઈ યોજના :-✨✨✨👉✨✨✨✨✨

✨હાથમતી બંધ – ફતેહપુરગામ, તાલુકો – ભિલોડા – હાથમતી નદી પર

✨માઝમ બંધ – મોડાસા પાસે, માઝમ નદી પર શ્યામ સરોવર બંધ – શામળાજી ખાતે, મેશ્વો નદી પર

💥વાત્રક બંધ – માલપુર પાસે, વાત્રક નદી પર

💥ખેતી :- બાજરી, ઘઉં, મકાઈ, મગફળી તેમ જ કપાસની ખેતી થાય છે.

💥ખનીજ :- શામળાજીના ડુંગરોમાંથી બાંધકામ માટેનો પથ્થર મળી આવે છે. આ ઉપરાંત અરવલ્લી જિલ્લામાંથી થોડા પ્રમાણમાં ફાયરક્લે પણ મળી આવે છે.

💥ઉદ્યોગો ઃ- મોડાસા ખાતે લાકડાના ફર્નિચરના ઉદ્યોગનો વિકાસ થયેલો છે.

💥વાવ / કૂવા ઃ- હીરૂવાવ – મોડાસા

💥વણઝારીવાવ – મોડાસા

💥 કુંડ / તળાવ :- દેસણનો ભૃગુકુંડ – ભિલોડા

*💥રાષ્ટ્રીય રાજમાર્ગ :- રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર-૭ (નવો નંબ૨-48)પસાર થાય છે.

💥મેળા ઃ-_ શામળાજીનો મેળો (આદિવાસી મેળા તરીકે પણ ઓળખાય છે.) કાર્તિકી પૂર્ણિમાના રોજ ભરાય છે.

💥 કર્માબાઈનું તળાવ, શામળાજી

♦ મુખ્યમથક : મોડાસા

♦ તાલુકા : 6

પ્રોજેક્ટર વીશે જાણવા માટે અહી ક્લીક કરો

1. મોડાસા

2. મેઘરજ

3. માલપુર

4. ધનસુરા

5. બાયડ

6. ભિલોડા

ક્ષેત્રફળ – 3217 ચો.કિ.મી.

♦ કુલ વસતી – 10,51,745

♦ લિંગપ્રમાણ – 940

💥શિશુ લિંગપ્રમાણ – 899

♦ વસતીગીચતા – 327

સાક્ષરતા – 76.06%

અરવલ્લી જિલ્લાની સરહદ :ઉત્તરે રાજસ્થાન, પૂર્વમાં મહીસાગર, દક્ષિણમાં ખેડા અને ગાંધીનગર,છે. જે પહેલા સાબરકાંઠા જિલ્લાનો એક ભાગ હતો.

 અરવલ્લી પર્વતમાળાના નામ પરથી જિલ્લાનું નામકરણ કરવામાં આવ્યું.

વડોદરા જિલ્લા ના જોવાલાયક સ્થળો

💥પશ્ચિમમાં સાબરકાંઠા જિલ્લો આવેલ છે.

 💥સરવલ્લીમાં શામળાજી પ્રખ્યાત વૈષ્ણવતીર્થ છે.

 💥મહાત્મા ગાંધીજીનું સમાધિસ્થળ મહાદેવ ગ્રામ ખાતે આવેલું છે.

Leave a Reply