Breaking
15 જૂન 2025, રવિ

મોચાં ચક્રવાત મોચાં ચક્રવાત ,મોચા વાવાઝોડું, નુમોચા વાવાઝોડું live

 ૯ મેએ ચક્રવાતઃ ત્રાટકવાની MDની આગાહી

વરસાદ વચ્ચે બંગાળના અખાતમાં ભીષણ‘મોચા’ ચક્રવાત સર્જાઈ રહ્યુ છે 

ચક્રવાતનીસ્થિતિમાં ક્ષેત્રમાં કલાકના ૪૦-૫૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈશકેછે

 હાલ દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળના અખાતના દક્ષિણ-પૂર્વના ભાગમાં ચક્રવાતના ની સ્થિતિ સર્જાય છે . હવામાન વિભાગે માછીમારો અને નાવિકોને તે ક્ષેત્રમાં નહીં જવાની ચેતવણી આપી છે. હવામાન વિભાગના નિયામક મૃત્યુંજય મહાપાત્રાએ આ સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું કે ૯ મેએ બંગાળના અખાતના દક્ષિણ-પૂર્વના ભાગેથી ચક્રવાત આવવાની શક્યતા છે. આવનારા દિવસોમાં તેના રૂટ વિશે વધુ માહિતી અપાશે. મહાપાત્રાએ ઉમેર્યું કે ૬ મેએ લો પ્રેશર એરિયા બનવા સાથે બીજા દિવસે સાઇક્લોનિક સરક્યુલેશનની શક્યતા છે. આ ચક્રવાત ‘મોચા’ નામથી ઓળખાશે, જે યમને સૂચવેલું નામ છે. ચક્રવાત ૮ મેએ એક જગ્યાએ કેન્દ્રિત થવાની અને ૯ મેએ તેજ થવાની શક્યતા છે. તે ઉત્તરમાં બંગાળના અખાતની મધ્ય તરફ આગળ વધી શકે છે.

ગરમીતી અસરો માપવા ભારતને પોતાનો ઇન્ડેક્સ મળશે

હવામાન વિભાગે એમ પણ જણાવ્યું કે ગરમીની અસરો માપવા આવતા વર્ષથી ભારતને પોતાનો ઇન્ડેક્સ મળશે. મહાપાત્રાએ કહ્યું કે હીટ ઇન્ડેક્સ પ્રયોગ માટે છે. તે માન્ય નથી. આવતા વર્ષથી આપણે પોતાની સિસ્ટમ મલ્ટિ-પેરામીટર પ્રોડક્ટ લાવીશું, જેને ‘હીટ હેઝાર્ડ સ્કોર’ પણ કહે છે. ભારત પોતાની વસ્તી પર ગરમીની અસરોનું આકલન કરવા અને લની ચેતવણી જારી. 

દિલ્હીમાં ફરી વરસાદ : ઉત્તર ભારતના પાંચ રાજ્યોમાં યલો એલર્ટ જાહેર

દિલ્હીને વરસાદે ઠંડુ રાખ્યું છે તો ભારતીય હવામાન વિભાગે ઉત્તરના પાંચ રાજ્યો ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, અને દક્ષિણ પાક. ઉપર સાઇક્લોનિક સરક્યુલેશન અને હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં વરસાદ સહિત યલો એલર્ટની આગાહી કરી છે.` હિમાચલ પ્રદેશના અને અન્ય પર્વતીય

નવી દિલ્હી, તા. ૩ | વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ હરિયાણા દિશા ઉત્તરપશ્ચિમ રાજસ્થાનમાં સાઇક્લોનિક સરક્યુલેશન સ્વરુપમાં હોવાથીથી તાપમાન ઘટ્યું છે.

બંગાળની ખાડીમાં સાઇક્લોનિક સરક્યુલેશનના લીધે ચક્રવાત આવે તેવી સંભાવના : ઓડિશામાં એલર્ટ

દિલ્હીના કેટલાય વિસ્તારોમાં પડેલા ભારે વરસાદના લીધે તાપમાન ગગડીને ૨૮.૩ ડિગ્રી ઉતરી ગયું છે. આ તાપમાન દિલ્હીના સરેરાશ તાપમાન કરતા ૧૧ ડિગ્રી ઓછું છે. જ્યારે લઘુત્તમ તાપમાન ૧૯.૩ ડિગ્રી સેલ્સિયસ હતું.

આટલું ઓછું હોય તેમ હવામાન વિભાગે બંગાળની ખાડીમાં પહેલા ચક્રવાતને લઈને એલર્ટ જારી કર્યા છે. છ મેની આસપાસ બંગાળની ખાડીમાં એક સાઇક્લોનિક સરક્યુલેશન બનવાની સંભાવના છે. તેના કારણે તે વિસ્તારમાં લો પ્રેશર એરીયા બનશે. તેની અસર ૪૮ કલાક સુધી રહેશે. ચક્રવાતની સંભાવનાને

ચંદીગઢમાં લગભગ દસ ડિગ્રી સેલ્સિયસ જેટલો ઘટાડો નોંધાયો હતો, જે છેલ્લા ૩૬ વર્ષમાં સૌથી નીચું તાપમાન છે. મેમાં ચંદીગઢનું સરેરાશ તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસ રહેતું હોય છે, પરંતુ તે રવિવારે ઘટીને ૩૦.૯ ડિગ્રી સેલ્સિયસ થયું હતું. સોમવારે વધુ વરસાદ પડતા તાપમાનનો પારો ગગડીને ૨૫.૭ ડિગ્રી સેલ્સિયસે પહોંચી ગયો હતો. પંજાબ અને હરિયાણામાં ભેજવાળી હવા અનુભવાઈ રહી છે અને તાપમાનમાં ઘટાડો થવાથી એકદમ ખુશનુમા વાતાવરણ દિવસ દરમિયાન અનુભવાયું હતું.

મોંચા વાવાઝોડા ને લઈને ઓડિશા સરકાર રેડ એલર્ટ પર છે. હરિયાણાના સૌથી ગરમ સ્થળોમાં એક હિસારે પણ તાપમાનમાં ઘટાડો નોંધાવ્યો હતો. હિસારમાં મે ૨૦૨૨માં  સરેરાશ તાપમાન ૪૭.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે આ વખતે આ તાપમાન – ૩૦ ડિગ્રી સેલ્સિયસ જ છે, આમ તાપમાનમાં રીતસરનો ૨૭,૫ ડિગ્રી | સેલ્સિયસનો ફરક જોવા મળી રહ્યો છે. | આ વર્ષે તાપમાન હજી સુધી ૩૦ ડિગ્રી સેલ્સિયસથી ઉપર વધ્યું જ નથી. હવામાન વિભાગનું કહેવું છે કે ૧૪ મે પછી તાપમાન વધી શકે છે. આ રાજ્યોમાં વીજ વપરાશ પણ ઘટ્યો છે. અઘોષિત વીજકાપની કોઈ જાહેરાત થઈ નથી.

સાઈક્લોનિક સરક્યુલેશનની અસર તળે ગરમીના બદલે વરસાદ આવશે

રાજ્યના અમુક વિસ્તારમાં આજે અને આવતીકાલેવરસાદ પડવાનીઆગાહી

ગરમીમાં ૩થી ૪ ડિગ્રીનો વધારો થશે, અમદાવાદ ૩૯.૮ ડિગ્રી, સુરેન્દ્રનગર ૪૧.૮ ડિગ્રી

રાજ્યમાં અમુક વિસ્તારમાં આકરો તાપ અને અમુક વિસ્તારમાં વરસાદની એકસરખી સ્થિતિ હજુ બે દિવસ યથાવત રહે તેમ છે. રાજસ્થાનના સરહદ વિસ્તારમાં સાઇક્લોનિક સરક્યુલેશનની અસર તળે આગામી બે દિવસ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદની હવામાન ખાતાએ આગાહી કરી છે. બીજી તરફ અમદાવાદમાં આજે તીવ્ર ગરમીનો અનુભવ થયો હતો. સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં ૪૧.૮ ડિગ્રી નોંધાયું હતું. હવામાન ખાતાએ આગામી ૪ થી ૫ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં ૩ થી ૪ ડિગ્રીનો વધારો થવાની આગાહી કરી છે.

તા.૬ના રોજ હળવાથી મધ્યમ વરસાદ ગાંધીનગર, અમદાવાદ, આણંદ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, ભરૂચ, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, કચ્છમાં વરસી શકે છે. જ્યારે તા.૭ના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, ડાંગ, તાપી, અમરેલી અને ભાવનગરમાં વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. સાંજે અને રાત્રે ગાજવીજ જોવા મળી શકે છે,

આજ નું હવામાન લાઈવ

હવામાન નક્શા

Leave a Reply