આણંદ જિલ્લા નો નકશો 👇👇👇
ભરૂચ જિલ્લાના જોવાલાયક સ્થળો
💫આણંદ જિલ્લા ના તાલુકા ઓ 💫.
👉 આણંદ, આક્લવાવ, તારાપુર, ખભાત, બોરસદ, પેટલાદ, ઉમરેઠ, સોજીત્રા,
💫💫 આણંદ જિલ્લા ની વિશષતાઓ 💫💫💫💫
👉એશિયાની સૌથી મોટામાં મોટી ડેરી અમૂલ આણંદમાં આવેલી છે.
👉ગુજરાતની સૌપ્રથમ ઇજનેરી કૉલેજ આણંદના વલ્લભવિદ્યાનગર ખાતે શરૂ થઈ હતી.
👉આણંદ જિલ્લાના વાસદની ‘તુવેરદાળ” જાણીતી છે તથા ઉમરેઠનાં ‘અન્ના’’ જાણીતાં છે.
👉ખંભાતમાં અકીક પોલિશ કરવાનો ઉદ્યોગ વિકસેલો છે. આ ઉપરાંત ખંભાતનો “હલવો”, “તાળા” અને “સુતરફેણી” જાણીતાં છે.
👉વસતીગીચતાની દૃષ્ટિએ આણંદ ગુજરાતમાં ત્રીજું સ્થાન ધરાવે છે.
👉 ગુજરાતમાં સૌથી વધુ તળાવો દ્વારા સિંચાઈ આણંદ અને ખેડા જિલ્લામાં થાય છે.
💫💫💫💫💫સરહદ આણંદ જિલ્લાની💥💥💥🪐🪐
👉આણંદ જિલ્લાની ઉત્તરે ખેડા જિલ્લો, પૂર્વમાં વડોદરા જિલ્લો, દક્ષિણમાં ભરૂચ જિલ્લો તથા ખંભાતનો અખાત (દરિયાકિનારો) અને પશ્ચિમમાં અમદાવાદ જિલ્લો આવેલો છે.
જોવાલાયક સ્થળો :-👉👉👉🪐
👉આણંદ :- આનંદગીર નામના ગોસાઈએ નવમી સદીમાં આણંદ શહેર વસાવ્યું હતું.
👉“નૅશનલ ડેરી ડેવલપમૅન્ટ બોર્ડ” (NDDB)નું મુખ્યમથક છે તથા IRMA (Institute of Rural Management) નું મુખ્યમથક છે.
🔜એશિયાની સૌથી મોટી અમૂલ ડેરી આવેલી છે.
🔜 આણંદ પાસે સારસા ગામે જાણીતું “સતકેવલ મંદિર” આવેલું છે.
🔜🔜🔜 યાદ રાખવા જેવી બાબતો 🔜🔜🔜🔜🔜 🔜🔜🔜🔜🔜🔜🔜🔜🔜🔜🔜🔜🔜🔜🔜🔜
-👉અમુલ ડેરી :- સરદાર વલ્લભભાઈ પટેલની સલાહથી 14 ડિસેમ્બર,1946ના રોજ ત્રિભુવનદાસ પટેલના ચૅરમૅનપદ હેઠળ ‘ખેડા જિલ્લા ખેડૂત દૂધ ઉત્પાદક સંઘ”ની સ્થાપના થઈ. જે 1955માં યુનિસેફની સહાયથી અમૂલ ડેરી કહેવાઈ.
👉
• ત્રિભુવનદાસ પટેલ :-
👉 ગુજરાતમાં ડેરી ઉદ્યોગક્ષેત્રના પ્રણેતા ત્રિભુવનદાસ પટેલે ઈ.સ.1919માં આણંદ સેવક સમાજની સ્થાપના કરી. 1946થી 1971 દરમિયાન તેઓ સતત 25 વર્ષ ‘અમૂલ ડેરી’ના ચૅરમૅન રહ્યા.
ડૉ.વર્ગીસ કુરિયન :-
👉ઈ.સ.1921માં કેરળમાં કાલિકટ ખાતે જન્મેલા ડૉ.વર્ગીસ કુરિયન ભારતમાં “શ્વેતક્રાંતિ”ના પ્રણેતા છે. ઈ.સ.1949થી અમૂલ ડેરીમાં જોડાયા પછી આજીવન અમૂલ સાથે જોડાયેલા રહ્યા. 2012માં તેમનું મૃત્યુ થયું. “આઈ ટુ હેડ અ ડ્રીમ” તેમનું જાણીતું પુસ્તક છે. ઈ.સ.1990માં ડૉ.વર્ગીસ કુરિયનને યુનોનો શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
પેટલાદ :- પેટલાદમાં ખંભોળજ ખાતે ખ્રિસ્તી ધર્મનું તીર્થસ્થાન, “નિરાધારોની માતા” અને “આરોગ્ય માતાનું ધામ” આવેલું છે.
વલ્લભ વિદ્યાનગર :-
👉વિદ્યાનગરી તરીકે જાણીતું નગર વલ્લભભાઈ પટેલના આશીર્વાદથી વ્યવસાયે ઇજને૨ એવા શ્રીભાઈલાલ પટેલના અથાગ પ્રયત્નોથી વિદ્યાધામ તરીકે વિકાસ પામેલું,
👉નગર એટલે આણંદ પાસે આવેલું વલ્લભવિદ્યાનગર.
👉 ગુજરાતની સૌપ્રથમ ઇજનેર કૉલેજ વલ્લભવિદ્યાનગરમાં સ્થપાઈ.
👉 ખંભાત :-પ્રાચીનકાળમાં “સ્તંભતીર્થ”, “સ્તંભપુર” તરીકે ઓળખાતુ સમૃદ્ધ બંદર હતું.
👉 ખંભાતમાં પ્રાચીન હસ્તપ્રતો અને ગ્રંથાલયો આવેલાં છે. આ ઉપરાંત કોતરણીવાળી જુઆ મસ્જિદ આવેલી છે.
👉ખંભાત પાસે ‘નગરા’નામનું જૂના ખંડેરો ધરાવતું જર્જરિત નગર છે.
👉 જહાંગીર દરિયો જોવા અમદાવાદથી ખંભાત બંદરે આવ્યો હતો.
👉ખંભાતની નજીક વ્હોરાઓનું તીર્થધામ “કાકાની કબર” આવેલું છે.
👉ગુજરાતનું સૌથી મોટું તાપ વિદ્યુતમથક (થર્મલ પાવર સ્ટેશન) ખંભાતથી 20 કિ.મી. દૂર ધુવારણમાં આવેલું છે.
👉ખંભાતના “હલવો”, “તાળા” અને “સુતરફેણી’ જાણીતાં છે.
👉લૂણેજ :- ઈ.સ.1958માં ગુજરાતમાં સૌપ્રથમ લૂણેજ ખાતેથી ખનીજતેલ અને કુદરતી વાયુ મળી આવ્યાં હતાં.
🔜બોરસદ :- ઈ.સ.1923માં બોરસદ સત્યાગ્રહ થયો હતો. ફૂલમાતા મંદિર, નારાયણ દેવ મંદિર, મહાકાળેશ્વર મંદિર, તોરણમાતા મંદિર આવેલાં છે.
🔜કરમસદ :- સરદાર પટેલનું મૂળ વતન છે.
🔜બોચાસણ :- બોરસદ તાલુકાના બોચાસણ ખાતે સ્વામીનારાયણ –સંપ્રદાયની શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાનું મુખ્યમથક છે.
મુખ્ય નદીઓ :- સાબરમતી અને મહી,
🔜ખેતી :- તમાકુ, કેળાં, ડાંગરનાં ઉત્પાદન માટે જાણીતું છે. 👉ખનીજ :- ઈ.સ.1958માં લૂણેજ ખાતેથી ગુજરાતમાં સૌપ્રથમ ખનીજતેલ મળી આવ્યું હતુ. વર્તમાનમાં ખંભાત પાસે ખનીજતેલ મળી આવે છે.
🔜 ઉદ્યોગ :- અકીકનો પૉલિશ કરવાનો ઉદ્યોગ ખંભાત ખાતે વિકાસ પામ્યો છે.
*🔜રાષ્ટ્રીય રાજમાર્ગ :- રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર-8 (નવો નંબર-48) તથા રાષ્ટ્રીય ઍક્સપ્રેસ હાઇ-વે નંબર-1 પસાર થાય છે.
🔜યુનિવર્સિટી/વિદ્યાપીઠ :- ચરોતર યુનિવર્સિટી ઑફ સાયન્સ ઍન્ડ ટૅક્નૉલૉજી, ચાંગા, આણંદ – સ્થાપના – 2009
🔜આણંદ ઍગ્રિકલ્ચર યુનિવર્સિટી, આણંદ, સ્થાપના – 2004
🔜સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર; સ્થાપના-1955
🔜મ્યુઝિયમ / ગ્રંથાલય :- સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ, વલ્લભવિદ્યાનગર ,👉 રજની પરીખ આર્ટ્સ કૉલેજ, આર્કિયોલોજિકલ મ્યુઝિયમ, ખંભાત.
🔜 રિસર્ચ સ્ટેશન અને વિજ્ઞાન કેન્દ્ર :- નૅશનલ રિસર્ચ સ્ટેશન ફોર મેડિસિન ઍન્ડ ઍરોમેટ્રિક પ્લાન્ટ, બોરિયાવી
🔜 ટોબેકો રિસર્ચ સ્ટેશન, ધર્મજ (તમાકુ સંશોધન કેન્દ્ર) → રિૉડક્ટિવ બાયોલોજી રિસર્ચ યુનિટ, આણંદ
🔜 બીડી તમાકુ સંશોધન કેન્દ્ર, આણંદ 👉પોલ્ટ્રી કૉમ્પ્લેક્સ, આણંદ
🔜 લાઈવ સ્ટૉક રિસર્ચ સ્ટેશન, આણંદ
🔜સરદાર પટેલ રિન્યુએબલ એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટયૂટ, વલ્લભ વિદ્યાનગર
*🔜વાવ/કૂવા :- જ્ઞાનવાળી વાવ – ખંભાત
🔜 કુંડ / તળાવ :- વેરાઈ માતાનું તળાવ, આણંદ → નારેશ્વર તળાવ, ખંભાત
*🔜ડેરી – અમૂલ ડેરી – એશિયાની સૌથી મોટી ડેરી
*🔜બંદરો :- આણંદમાં ખંભાત બંદર જાણીતું છે.