Breaking
15 જૂન 2025, રવિ

રામમંદિર: મુખ્ય યજમાન લાકડાંની પાટ પર પોઢશે, બ્રહ્મચર્યનું પાલન કરવુંપડશે.ram mandir ayodhya.ayodhya ram mandir. ram mandir.ayodhya temple.temple of ayodhya.ayodhya ram mandir photos.

 અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાની પ્રાણપ્રતિષ્ઠાનો સમય જેમ-જેમ નજીક આવી રહ્યો છે તેમ-તેમ જ હવે ઉત્સાહનો સંચાર વધી રહ્યો છે. મંદિરની પ્રાણપતિષ્ઠા વિધિ મુદ્દે રોજ નવીને નવી જાણકારી સામે આવી રહી છે. સૂત્રોના અનુસાર પ્રાણપ્રતિષ્ઠા સમારંભ સંપૂર્ણ પણે સનાતની અને વૈદિક પરંપરાઓ અનુસાર યોજાશે. ૨૨ જાન્યુઆરીના રોજ ૮૪ સેન્કડ માટેના અભિજિત મુહૂર્તમાં આયોજિત થનારા આ સમારંભના મુખ્ય યજમાનપદે એક દંપતી રહેશે. દંપતીએ ૧૫ જાન્યુઆરીના રોજથી જ ઉપવાસ, જપ, તપ, હવન, સ્નાન અને દાન સહિતના ૪૫ નિયમોનું સખ્તાઈપૂર્વક પાલન કરવાનું રહેશે. તેમણે લાકડાંની ચોકી (પાટ) પર સૂવું પડશે. બબચર્યાનું પાલન કરવું પડશે.

રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખજાનચી સ્વામી ગોવિંદદેવગિરિ મહારાજે પ્રાણપ્રતિષ્ઠાના યજમાન માટે નિયમો વિશે કાશીના વિદ્વાન પંડિત ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ પાસે સલાહ માગી હતી. તેમણે ખજાનચીને મોકલેલા પત્રમાં કહ્યું હતું કે, મુખ્ય યજમાને આઠ દિવસ સુધી તમામ ૪૫ નિયમોનું પાલન કરવું પડશે. તેમાં પ્રાયશ્વિત, ગૌદાન, દશવિધ સ્નાન, પ્રાયશ્ચિત શૌર, પંચગવ્યપ્રદેશન પણ સામેલ છે. અને તેમણે નિયમો અનુસાર પોતાની જીવનચર્યા પણ બદલવાની રહેશે.

મુખ્ય યજમાને પ્રાયશ્ચિત, ગૌદાન, દશવિધ સ્નાન, પ્રાયશ્ચિત ક્ષૌર, પંચગવ્યપ્રાશન વિધિ કરવાની રહેશે.

યજમાને જપ, તપ, હવન, સ્નાન અને દાન સહિતના ૪૫ નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે.


કયા નિયમોનું પાલન કરવું પડશે.

> રોજ સવારે સ્નાન, બહારનું ભોજન નહીં લઈ શકે, વ્યસનનો ત્યાગ.

>> મનને વિચલિત કરતા દશ્યો નહીં જોવા, કોધ ન કરવો, પોતાને શાંત રાખવા, અહંકાર અને મદથી દૂર રહેવું.

> સત્ય બોલવું અને સત્ય બોલવામાં અડચણ હોય તો મૌન રાખવું.

> આચાર્ય, બ્રાહ્મણ અને ઋત્વિજો સાથે વિવાદ ન કરલો, કઠોર વાણી અને કડવા શબ્દોનો પ્રયોગ ન કરવો.

> પુરુષ યજમાન સીવેલા વસ્ત્ર નહીં પહેરે, પત્ની લહેંગા, ચોલી જેવા સીવેલા વસ્ત્ર પહેરી શકશે. ગરમ વસ્ત્ર પહેરી શકાશે.

> નિત્યપુજન પહેલાં યજમાન ફળાહાર કરી શકે છે. ગરમ અને ઠંડું શુદ્ધ પાણી લઈ શકે છે. બોટલનું પાણી નહીં પી શકાય.

> રાત્રીમાં આરતી બાદ સાત્વિક ભોજન લઈ શકે છે. રાત્રે સિંધવ મીઠાનો ઉપયોગ કરી શકાય છે.

>> હળદર, રાઈ, સરસવ, અડદ, મુળા, રીંગણ, લસણ, ડુંગળી, દારૂ, માંસ, ઇંડા અને તેલના બનેલા ખાદ્ય પદાર્થોનો ઉપયોગ નહીં કરી શકાય.

> દવા અને પાન લઈ શકાય છે. ભોજનની વસ્તુઓ ભગવાનને ભોગ ધરાવીને પ્રસાદના રૂપમાં લઈ શકાય છે.

> બપોરે બ્રાહ્મણોને પહેલા જમવા બેસાડવા તે બાદ યજમાન ભોજન લે. રાત્રે પણ આ નિયમનું પાલન જરૂરી.

>> દિવસે ઊંઘ નહીં લઈ શકાય. લાકડાની પાટ પર જ સુવાનું રહેશે. ખાટલા પર બેસવું કે સૂઈ જવું વર્જિત છે.

રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા બાદ ભક્તોને તિરુપતિનો લાડુ પ્રસાદમાં મળશે.

અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીએ ભગવાન રામલલા રામમંદિરમાં વિરાજમાન થશે. શ્રીરામ મંદિરના અભિષેકમાં ભાગ લેવા આવનારા ભક્તોને આ અવસર પર એક ખાસ પ્રસાદ પણ મળશે. આ પ્રસાદ હશે તિરુમલામાં ભગવાન વેંકટેશ્વરને ચઢાવવામાં આવતા પ્રસિદ્ધ પ્રસાદ તિરુપતિ લાડુનો શ્રી વેંકટેશ્વર મંદિરનું સંચાલન કરતા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે અયોધ્યામાં ભક્તોને લગભગ એક લાખ લાડુ વિતરીત કરવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સેંકડો વીવીઆઈપી તથા હજારો ભક્તો ૨૨ જાન્યુઆરીએ અયોધ્યા મંદિરના અભિષેક સમારોહમાં ભાગ લેવા માટે પહોંચી રહ્યા છે. ટીટીડીના કાર્યકારી અધિકારીએ જણાવ્યું હતું કે ભગવાન વેંકટેશ અને ભગવાન રામ વિષ્ણુના અવતાર છે. સમગ્ર દેશ ૨૨ । જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તિર્થક્ષેત્રના ભવ્ય ઉદ્ઘાટનની આતુરતાથી રાહ જોઇ રહ્યો છે. અમે અહીં ભક્તોને તિરુપતિ લાડુનો પ્રસાદ વહેંચીશુ.

🔎🔎🔎🔎🔎🔎🔎🔎🙏🙏🔎🔎🔎🔎🔎🔎

ram mandir ayodhya.ayodhya ram mandir.

ram mandir.ayodhya temple.temple of ayodhya.ayodhya ram mandir photos.

ram mandir ayodhya photos.ayodhya ram mandir photo.ram temple ayodhya.ram temple in ayodhya.ayodhya ram mandir budget.ram mandir construction cost.ram mandir latest news.when ram mandir construction will complete.ram mandir date.ayodhya ram mandir location.ayodhya ram mandir news.ram mandir opening.ram mandir project cost.ram mandir update.when will ram mandir be ready.ram mandir cost.where is ayodhya ram mandir.ram mandir inauguration.ram mandir ayodhya completion date.when will ram mandir be completed.ram mandir ayodhya budget.ayodhya ram mandir which state.

Leave a Reply