હાલ થોડા દિવસો પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની મુલાકાતના અનુભવો સોશિયલ મીડિયા પર શેર કરતા જણાવ્યું છે કે, હું હજુ પણ ત્યાંના દ્વીપોની અદ્ભુત સુંદરતા અને ત્યાના લોકોના અવિશ્વસનીય ઉમળકાથી આચર્યચકિત છુ મને અગતી, બંગારામ અને કાવારતીમાં લોકો સાથે સવાદની તક મળી. પ્રાકૃતિક સુંદરતા ઉપરાંત લક્ષદ્વીપની શાંતિ પણ મંત્રમુગ્ધ કરનારી છે. જેણે મને એ બાબતે વિચાર કરવાનો અવસર આપ્યો કે ૧૪૦ કરોડ ભારતીયોના કલ્યાણ માટે હજુ વધારે મહેનત કેવી રીતે કરવી? તેમણે લક્ષદ્વીપમાં સ્નોરકેલિંગની અને બીચ પર મોર્નિંગ વોકની તસવીરો પણ શેર કરતા કહ્યું કે જે લોકો રોમાય અપનાવવા ઇચ્છે છે તેમના લિસ્ટમાં લક્ષદ્વીપ હોવું જોઇએ.
લક્ષદ્વીપની શાંતિ મંત્રમુગ્ધ કરે છે : પીએમ મોદીનું દરિયામાં સ્નોર્કલિંગ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપના પ્રવાસની તસવીરો શેર કરી હતી. તેમણે નયનરમ્ય સાગરકાંઠે મોર્નિંગ વૉક કર્યું હતું અને સવારની નીરવશાંતિમાં સમય વીતાવ્યો હતો. તેમણે આ અનુભવ શેર કરતા કહ્યું કે લક્ષદ્વીપના લોકો સાથે રહીને તેમને ખૂબ આનંદ થયો. હું આ દ્વીપની સુંદરતા, અદ્ભુત દૃશ્યોથી આશ્વર્યચકિત છું. કુદરતી સૌંદર્ય ઉપરાંત લક્ષદ્વીપની શાંતિ મંત્રમુગ્ધ કરી દે તેવી છે. મેં એવી નીરવ શાંતિમાં એ વિચાર કર્યો કે ૧૪૦ કરોડ દેશવાસીઓના કલ્યાણ માટે વધુ મહેનત કેવી રીતે કરી શકાય? પીએમ મોદીએ લક્ષદ્વીપના દરિયામાં સ્નોર્કલિંગ કર્યું હતું અને સમુદ્રની અંદરની સુંદરતા, સજીવસૃષ્ટિને નિહાળી હતી. તેમણે આ અનુભવને વર્ણવતા લખ્યું કે જે લોકો અંદરનો આનંદ લેવા ઈચ્છે છે તેમના લિસ્ટમાં લક્ષદ્વીપનું નામ હોવું જોઈએ. અહીંનું સ્નોકલિંગ ખૂબ જ આનંદદાયક છે. પીએમ મોદીની આ તસવીરો વાયરલ થઈ હતી. લોકોએ લક્ષદ્વીપની સુંદરતાના ભરપેટ વખાણ કર્યા હતા અને માલદીવ્સને ટક્કર મારે એવા બીચ આપણી પાસે છે તેનો આનંદ લેવો જોઈએ એવો મત વ્યક્ત કર્યો હતો.