134 વર્ષ ચાલેલી કાયદાકીય લડાઈની સંપૂર્ણ કથા.આગામી ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં બની રહેલા ભવ્ય સમમંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે
ભગવાન રામની નગરી અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીના રોજ ભવ્યાતિભવ્ય શ્રીરામમંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થશે. એ માટે વ્યાપક તૈયારીઓ ચાલી રહી છે. મંદિરના ઉદ્ઘાટનની સાથે જ અયોધ્યામાં બનેલું શ્રીરામમંદિર ભારત સહિત દુનિયાભરમાં ફેલાયેલા હિંદુઓ માટે આસ્થાનું મોટું કેન્દ્ર બનીને ઊભરશે. આજે જે ભવ્ય રામમંદિર આકાર લઈ રહ્યું છે તેની પાછળ દાયકાઓ સુધી ચાલેલી કાયદાકીય લડાઈ છે. અયોધ્યામાં મંદિરનિમાણની સફર ઘણા પડકારોથી ભરેલી રહી છે. બાબરી વિવાદ, અદાલતોમાં ચાલેલી લાંબી લડાઈ અને પછી સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મંદિરનું નિર્માણકાર્ય શરૂ થવું. હવે દેશવાસીઓ રાહ જુએ છે ૨૨ જાન્યુઆરીની.
ઈ.સ. ૧૫૨૬માં મુગલ શાસક બાબર ભારત આવ્યો. તેનાં બે વર્ષ બાદ બાબરના સૂબેદાર મીર બાકી એ અયોધ્યામાં મસ્જિદ બનાવડાવી. મસ્જિદ એ જ જગ્યાએ બની જ્યાં ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો. મસ્જિદનું નામ બાબરી મસ્જિદ આપ્યું. મુગલો અને નવાબોના શાસન દરમિયાન ઈ.સ. ૧૫૨૮થી ૧૮૫૩ સુધી આ મામલામાં હિંદુઓ વધારે મુખર ન થઈ શક્યા. ૧૯મી સદીમાં મુગલો-નવાબોનું શાસન નબળું પડવા લાગ્યું. અંગ્રેજી હકૂમત પ્રભાવી થઈ. આ સમયગાળામાં જ હિંદુઓએ મુદ્દો ઊભો કર્યો કે ભગવાન રામના જન્મસ્થાન મંદિરને તોડીને મસ્જિદ બનાવાઈ છે. ત્યાર બાદથી રામલલાના જન્મસ્થળને પાછું મેળવવા લડાઈ શરૂ થઈ.
બાબરી મસ્જિદ બન્યાનાં 330 વર્ષ બાદ પહેલી FIR
મીર બાકીએ મસ્જિદ બનાવ્યાનાં ૩૩૦ વર્ષ બાદ ઈ.સ. ૧૮૫૮માં આ લડાઈ કાયદા અધીન થઈ ત્યારે પહેલી વાર પરિસરમાં હવન, પુજન કરવા માટે એફઆઇઆર થઈ, ‘અયોધ્યા રિવિઝિટેડ’ પુસ્તક અનુસાર પહેલી ડિસેમ્બર ૧૮૫૯ના રોજ અયોધ્યાના એક પોલીસ અધિકારીએ તેમના રિપોર્ટમાં જણાવ્યું કે પરિસરમાં થતરો બનેલો છે. આ પહેલો કાયદેસર દસ્તાવેજ છે જેમાં પરિસરમાં ભગવાન રામના પ્રતીક હોવાના પ્રમાણ છે. ત્યાર બાદ તારની વાડ ઊભી કરીને વિવાદિત ભૂમિના આંતરિક અને બહારના પરિસરમાં મુસલમાનો અને હિંદુઓને અલગ અલગ પૂજા અને નમાજની મંજૂરી આપવામાં આવી.
શ્રીરામ માટે પાકું ઘર બનાવવાની વાત અદાલત પહોંચી
ઈ.સ. ૧૮૫૮માં બનેલી ઘટનાના ૨૭ વર્ષ બાદ ૧૮૮૫માં રામજન્મભૂમિ માટેની લડાઈ અદાલતમાં પહોંચી કે જ્યારે નિર્મોહી અખાડાના મહંત રઘુબર દાસ કેઝાબાદની કોર્ટમાં સ્વામિત્વ બાબતે દીવાની મુકદ્દમો દાખલ કરાવ્યો. દાસે બાબરીન માળખાની બહાર આંગણામાં સ્થિત રામ ચબુતરા પર બનેલા કામચલાઉ મંદિરને પાકું બનાવવા અને છાપરું નાખવાની માગ કરી હતી. જજે ચુકાદો આપ્યો કે ત્યા હિંદુઓને પૂજા-અર્ચનાનો અધિકાર છે પણ તેઓ જિલ્લા અધિકારીના નિર્ણય સામે મંદિરને પાકું બનાવવા અને છાપરું નાખવાની મંજૂરી ન આપી શકે.
આઝાદી બાદ ઝુંબેશ તીવ્ર બની
એક બાજુ દેશભરમાં આઝાદીનો ઝુંબેશ ચાલી રહી હતી તો બીજી બાજુ રામજન્મભૂમિની લડાઈ પણ ચાલી રહી હતો. દેશ આઝાદ થયાના થોડા સમય બાદ ૨૨ ડિસેમ્બર ૧૯૪૭માં માળખાની અંદર ગુંબજ નીચે મૂર્તિઓ બહાર ઊપસી આવી. આઝાદી પછી ૧૬ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ પહેલો મુકલ્મો હિંદુ મહાસભ્યના સભ્ય ગોપાલસિંહ વિશારદે સિવિલ જજ, ફૈઝાબાદની કોર્ટમાં દાખલ કર્યો અને મુખ્ય ગુંબજની નીચે રહેલી ભગવાનની પ્રતિમાઓની પુજા- અર્ચનાની માગ કરી હતી. ૧૧ મહિના બાદ પા૨મી ડિસેમ્બર, ૧૯૫૦ના દિવસે આવી જ માગણી સાથે મહંત રામચંદ્ર પરમહંસે સિવિલ જજની કોર્ટમાં કેસ દાખલ કર્યો. મુકદ્દમામાં બીજા પક્ષને ” સંબંધિત સ્થળે પુજા-અર્થનામાં અવરોધ ઊભો કરતા રોકવાનો માગણી કરાઈ હતી. ત્રીજી માર્ચ, ૧૯૫૧એ કોર્ટે પૂજા-અર્ચનામાં અવરોધ ઊભો ન કરવા સૂચના આપી
૧૮ ડિસેમ્બર, ૧૯૫૯ના રોજ રામાનંદ સંપ્રદાય તરફથી નિર્મોહી અખંડાના ૬ લોકોએ કેસ દાખલ કરીને આ સ્થળ પર દાવો કર્યો હતો. સાથે જ માગણી કરી કે તેમને પૂજા-અર્થનાની મંજૂરી આપવામાં આવે. ૧૮ ડિસેમ્બર ૧૯૬૧ના રોજ યુપીના સુન્ની વકફ બોર્ડે કેસ કરીને મ ગણી કરી હતી કે આ જગ્યા મુસલમાનોની છે. માળખું હિંદુઓ પાસેથી લઈને મુસલમાનોને સોંપવામાં આવે અને મુર્તિઓ હટાવી લેવામાં આવે. જોકે ૧૦૮૬ની પહેલી ફેબ્રુઆરીએ ફૈઝાબાદના ડિસ્ટ્રિકટ જજ કે. એમ. પાયએ સ્થાનિક વકીલ ઉમેશ પાંડેયની અરજીના અનુસંધાને વિવાદિત સ્થળનું તાળું ખોલવાનો ચુકાદો આપ્યો હતો.
રામ, કૃષ્ણ અને શિવનાં સ્થળો પર મસ્જિદનિર્માણ સામે અભીયાન
૧૯૮૨માં વિશ્વ હિંદુ પરિષદે રામ, કૃષ્ણ અને શિવના સ્થળોએ મસ્જિદોના નિમાણને કાવતરું ગણાવી આ સ્થળોની મુક્તિ માટે અભિયાન ચલાવવાની જાહેરાત કરી. બે વર્ષ પછી ૧૯૮૪ની : એપ્રિલે દિલ્હીમાં સતો-મહંતો, હિંદુ નેતાઓએ અયોધ્યામાં શ્રીરામજન્મભૂમિ સ્થળની મુક્તિ માટે અને વળું ખોલાવવા આઘેલન કરવાનો નિર્ણય કર્યો. ૧૯૮૯માં પ્રયાગમાં કુંભમેળા દરમિયાન મંદિરનિમાંણ માટે ગામેગામ શિલાપુજન કરાવવા નિર્ણય થયો. સાથે જ ૯ નવેમ્બર, ૧૯૮૯ના રોજ શ્રીરામજન્મભૂમિ સ્થળે મંદિરના શિલાન્યાસની જાહેરાત કરાઇ. ઘણા વાદ-વિવાદ બાદ તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ શિલાન્યાસની મંજુરી આપી હતી.
અડવાણીની રથયાત્રાએ આંદોલનને ધાર આપી.
આદોલન તીવ્ર બનતું હતું એવામાં લાલકૃષ્ણ અડવાણી રથયાત્રા લઈને નીકળ્યા. આ યાત્રાએ રામજન્મભૂમિ આંદોલનને વધારે ધાર આપી યાત્રા દરમિયાન અડવાણીની ધરપકડ થઈ. કેન્દ્રમાં સતાપરિવર્તન પણ થયું. ભાજપના સમર્થનથી બનેલી જનતાદળની સરકાર તૂટી. કોંગ્રેસના સમર્થનથી ચંદ્રશેખર વડાપ્રધાન બન્યા. આ સરકાર પણ વધુ ન ચાલી અને ચૂંટણી થઈ તેમાં કોંગ્રેસ સત્તા પર આવી.
૧૯૯૨ની છઠ્ઠી ડિસેમ્બરે વિવાદિત માળખું તોડી પડાયું.
એક તરફ રામજન્મભૂમિ આંદોલન ચરમ પર હતું. બીજી બાજુ રાજકીય ફેરબદલ થયા કરતી. એવામાં ૧૯૯૨ની છઠ્ઠી ડિસેમ્બરે અયોધ્યા પહોંચેલા હજારો કારસેવકોએ બાબરી મસ્જિદનું વિવાદિત માળખું તોડી પાડયું અને તે જગ્યાએ સાંજે કામચલાઉ મંદિર બનાવીને પુજા-અર્ચના શરૂ કરી દીધી હતી. કેન્દ્રની તત્કાલીન પી. વી. નરસિમ્હા રાવ સરકારે ઉત્તરપ્રદેશની કલ્યાણસિંહ સરકાર સહિત અન્ય રાજ્યોની ભાજપ સરકારોને સસ્પેન્ડ કરી દીધી. બાબરી તોડી પડાયા બાદ ૧૯૯૩ની પહેલી જાન્યુઆરીએ ન્યાયાધીશ હરિનાય તિલહરિએ દર્શન-પૂજનની મંજુરી આપી હતી જ્યારે સાતમી જાન્યુઆરીએ કેન્દ્ર સરકારે માળખાવાળા સ્થળે અને કલ્યાણસિંહ સરકાર દ્વારા ન્યાસને અપાયેલી ભૂમિ સહિત કુલ ૬૭ એકર જમીન હસ્તગત કરી લીધી હતી.
હાઇકોર્ટમાં માલિકી હક્કની સુનાવણી
એપ્રિલ, ૨૦૦૨માં અલ્હાબાદ હાઇકોર્ટની લખનઉ બેન્ચે વિવાદિત સ્થળના માલિકોહક નક્કી કરવા સુનાવણી શરૂ કરી હતી. પાચમી માર્ચ, ૨૦૦૩ના રોજ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને સંબંધિત સ્થળનું ખોદકામ કરવા નિર્દેશ કરાયો. ૨૨ ઓગસ્ટ, ૨૦૦૩ના પુરાતત્ત્વ સર્વેક્ષણે અદાલતને રિપોર્ટ સોંપ્યો, જેમાં સબંધિત સ્થળે જમીનની નીચે વિશાળ હિંદુ ધાર્મિક માળખું હોવાની વાત કહી હતી. ૨૦૧૦ની ૩૦ સપ્ટેમ્બરે હાઇકોર્ટે આ સ્થળને ત્રણે પક્ષ- શ્રીરામલલા વિરાજમાન, નિર્મોહી અખાડા અને સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડને સરબા ભાગે વહેંચવાનો આદેશ કર્યો ન્યાયાધીશોએ વચ્ચેના ગુંબજ નીચે જ્યાં મૂર્તિઓ હતી તેને શ્રીરામનું જન્મસ્થાન માન્યું હતું. ૨૦૧૯માં સુપ્રીમે મંદિરનિર્માણનો માર્ગ મોકળો કર્યો ૬ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજયી સુપ્રીમ કોર્ટે રામમંદિર જન્મભૂમિ સ્થળ કેસની દૈનિક ધોરણે સુનાવણી હાથ ધરી હતી. ૪૦ દિવસના અંતે ૧૬ ઓક્ટોબરે સુનાવણી પૂરી થઈ અને કોર્ટે ચુકાદો અનામત રાખ્યો. ૨૦૧૯ની ૯ નવેમ્બર ૧૩૪ વર્ષથી ચાલી આવતી લડાઈનો નિર્ણાયક દિવસ હતો. આ દિવસે સુપ્રીમ કોર્ટે સંબંધિત સ્થળને શ્રીરામજન્મભૂમિ માન્યુ અને ૨.૭૭ એકર જમીન રામલલાની માલિકોની માની અદાલતે નિર્માહો અખાડા અને સુન્ની વકફ બોર્ડના દાવા રદ કરી દીધા. સાથે જ નિર્દેશ કર્યો કે મંદિરનિર્માણ માટે કેન્દ્ર સરકાર ત્રણ મહિનામાં ટ્રસ્ટ બનાવે અને તેમાં નિર્મોહી અખાડાના એક પ્રતિનિધિને સામેલ રાખે. અદાલતે યુપી સરકારને આદેશ કર્યો કે તે મુસ્લિમ પક્ષને મસ્જિદ બનાવવા પાંચ એકર જમીન અયોધ્યામાં કોઈ યોગ્ય સ્થળે ઉપલબ્ધ કરાવે
૨૦૨૦માં ખાતમુહૂર્ત અને હવે પ્રાણપ્રતિષ્ઠા
પાંચમી ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં મંદિરનિર્માણ માટે શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની જાહેરાત કરી હતી. તેના છ મહિના બાદ પાંચ ઓગસ્ટે મંદિરનો શિલાન્યાસ થયો અને હવે ૨૨ જાન્યુઆરીએ મંદિરમાં ભગવાન શ્રીરામની મુર્તિની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે.
1528માં બાબરના સૂબેદાર મીર બાકીએ અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થળે બાબરી મસ્જિદ બનાવડાવી હતી.
1885માં નિર્મોહી અખાડાના મહંત રઘુબર દાસે ફૈઝાબાદ કોર્ટમાં વિવાદિત ભૂમિના સ્વામિત્વ બાબતે દીવાની મુકદ્દમો દાખલ કરાવ્યો હતો.
1950ની ૧૯ જાન્યુઆરીએ હિંદુ મહાસભાના સભ્ય ગોપાલસિંહ વિશારદે ફૈઝાબાદ કોર્ટમાં ગુંબજની નીચેની પ્રતિમાઓની પૂજા-અર્ચનાની માગ કરી હતી.
2019માં સુપ્રીમ કોર્ટે વિવાદિત ભૂમિ શ્રીરામનું જન્મસ્થળ હોવાનું માન્યું અને સરકારને ત્રણ મહિનામાં મંદિરનિર્માણ માટે ટ્રસ્ટ બનાવવા કહ્યું.
🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎
રામ મંદિર નિર્માણ.અયોધ્યા નો ઇતિહાસ.રામ મંદિર નો ઇતિહાસ.અયોધ્યા રામ મંદિર.અયોધ્યા રામ મંદિર લાઈવ.અયોધ્યા રામ મંદિર રંગોળી.અયોધ્યા રામ મંદિર કયા રાજ્યમાં આવ્યુ.ayodhya ram mandir.ayodhya ram mandir opening date.ayodhya ram mandir photo.ayodhya ram mandir timing.ayodhya ram mandir history.ayodhya ram mandir distance.અયોધ્યા રામ મંદિર લાઈવ.અયોધ્યા રામ મંદિર રંગોળી.અયોધ્યા રામ મંદિર કયા રાજ્યમાં આવ્યુ.ayodhya ram mandir.ayodhya ram mandir opening date.ayodhya ram mandir photo.
ayodhya ram mandir timing.
ayodhya ram mandir history.
ayodhya ram mandir distance.
ayodhya ram mandir image.
ayodhya ram mandir donation.
ayodhya ram mandir video.
ayodhya ram mandir completion date.