Breaking
15 જૂન 2025, રવિ

નવસારી જિલ્લા, નવસારી જિલ્લામાં આવેલા જોવાલાયક સ્થળો,નવસારી જિલ્લા ના નકશા, નવસારી જિલ્લા ના તાલુકા, નવસારી જિલ્લા ના જોવાલયક સ્થળો,નવસારી નું મુખ્ય મથક,

ભારત ના ગુજરાત રાજ્ય ના 32 જિલ્લા માંથી એક જિલ્લો નવસારી છે. નવસારી જિલ્લા નું મુખ્ય મથક નવસારી જ છે. નવસારી જિલ્લામાં 6 તાલુકા આવેલા છે, કે જે નવસારી, વસંદા, ગણદેવી,ચીખલી, જલાલ પોર અને ખેર ગામ છે.

નવસારી જિલ્લામાં  આવેલા જોવાલાયક સ્થળો નીચે મુજબ છે.

   નવસારી :- નવસારી એ “પુસ્તકોની નગરી” તરીકે પણ જાણીતું છે. પૂર્ણા નદીના કિનારે વસેલું એક સમયનું “નવસારિકા બંદર” અર્થાત્ આજનું નવસારી જે “નાગવર્ધન”, “નવસેરર”, “નાગમંડ”, “પારસીપુરી”, “નાગશારક” જેવા નામોથી જાણીતું છે, દાદાભાઈ નવરોજી, જમશેદજી તાતાનું જન્મસ્થાન. ફિલ્મ સ્ટાર જેકી શ્રૉફ અને જાણીતી ગઝલ ગાયિકા પિનાઝ મસાણી પણ નવસારીના જ છે.

અહીં નવસૈય્યદ પીરની દરગાહ આવેલી છે જે બધી જ કોમનું આસ્થાનું પ્રતિક છે. ઉભરાટ :- દરિયાકિનારે આવેલું પર્યટનસ્થળ છે. ગણદેવી :- ગણદેવીનું મૂળ નામ “ગણપદિકા”, “ગુણપાદિકા” હતું. ગંગેશ્વર મહાદેવ અને સતીનું મંદિર છે. આ ઉપરાંત ખાંડ ઉદ્યોગનો વિકાસ થયો છે. વાસંદા :-  નૅશનલ પાર્ક આવેલો છે.

ચીખલી :- ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર. આ ઉપરાંત મજીગામ ખાતે મલ્લિકાર્જુનનું પુરાણું શિવાલય આવેલું છે.

બીલીમોરા :- વલસાડી સાગમાંથી વિવિધ કલાત્મક રાચરચીલું બનાવવાનો ઉદ્યોગ વિકસેલો છે. સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ ઉપરાંત રાસાયણિક ઉદ્યોગ વિકાસ પામેલો છે.

મરોલી :- કસ્તૂરબા સેવાશ્રમ આવેલો છે.

દાંડી :- મહાત્મા ગાંધીએ મીઠાના કાયદાનો ભંગ કરવા ઐતિહાસિક દાંડીકૂચ આરંભી હતી. 6 એપ્રિલ 1930ના રોજ અહીં ચપટી મીઠું ઉપાડી ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કરી સ્વતંત્રતા સંગ્રામમાં નવચેતના જગાવી હતી. તેની યાદમાં દાંડી સ્મારક આવેલું છે.

કરાડી (જલાલપોર) :- “ગાંધીકુટિર” સંસ્થા આવેલી છે.

ઉનાઈ (વાંસદા તાલુકો) :-ઉનાઈ માતાનું મંદિર ઉપરાંત ગરમપાણીનાં ઝરાં માટે જાણીતું છે.

આ ગરમપાણીમાં ગંધક, સલ્ફર વગેરે રસાયણોનું પ્રમાણ હોવાથી રોગમાં તેનું પાણી ફાયદો આપે છે.

*• મુખ્ય નદીઓ :- પૂર્ણા, અંબિકા, મીંઢોળા કાવેરી.તી

ખેતી:- શેરડી, જુવાર, કેરી

વન્ય જીવસૃષ્ટિ :- વાંસદા નૅશનલ પાર્ક, તાલુકો – વાંસદા

ઉદ્યોગ:- બીલીમોરા ખાતે વલસાડી સાગમાંથી રાચરચીલું બનાવવાનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે.

રાષ્ટ્રીય રાજમાર્ગ :- રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર-8 (નવો નંબર-48) પસાર થાય છે.

→ સાબરમતી આશ્રમથી દાંડી સુધીનો રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર-228 (નવો નંબર-64) પસાર થાય છે. જેને યુનેસ્કો દ્વારા “વર્લ્ડ હેરિટેજ વે” જાહેર કરવામાં આવ્યો છે.

 

નવસારી જિલ્લો નું મુખ્ય મથકનવસારી
નવસારી જિલ્લા ના તાલુકા6, નવસારી , વાસન્ડા, ગણદેવી, ચીખલી, જલાલપોર, ખેરગામ,
નવસારી જિલ્લો નું ક્ષેત્ર ફ્લ 2209 ચો કિમી
જોવાલાયક સ્થળો નવસારી, ઉભરાટ, ગણદેવી, વાસંડા, ચીખલી, બીલીમોરા, મરોલી, દાંડી, કરાડી, ઉનાઈ વગેરે,
મુખ્ય નદીપુર્ણા, અબિકા, મીંઢોળ, કાવેરી,
નવસારી ની જિલ્લાની સરહદ તાપી, સુરત, ડાંગ,, વલસાડ






    Leave a Reply