
ગોહિલવાડમાં અડધો અષાઢ કોરો ગયા પછી ભાવનગર માં બાકીના દિવસોમાં મેઘરાજા મેહરબાન થઈ રહ્યાં હોઈ એવું નિર્માણ પામી છે. એકદિવસના વિરામ બાદ હવે ધોરી મહિનાના હોય તેવી સ્થિતિ ભાવનગરમાં મેઘરાજાએ વધુ એક ઈનિંગ શરૂ કરી છે. આજે ભાવનગર શહેર સહિત જિલ્લાના ૧૦ તાલુકાઓમાં ઝરમરથી લઈ ધોધમાર વરસ્યો છે.
ગઈકાલે મધ્યરાત્રિ બાદથી આજે વહેલી સવાર સુધીમાં મહુવા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ઉપરાંત ભાવનગર શહેર, વલ્લભીપુર, સિહોર, ગારિયાધાર અને પાલિતાણામાં વરસાદ વરસ્યો હતો અને આજે દિવસ દરમિયાન પણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
મંગળવારે મધ્યરાત્રિથી વહેલી સવાર સુધીમાં મહુવામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો, દિવસભર ઝરમર વરસાદના પગલે શહેરમાં ઠેર-ઠેર પાણી .
ભાવનગરમાં એક દિવસના વિરામ બાદ મેથરાજાએ ફરી વધુ એક ઈનિંગ શરૂ કરી છે. ગઈકાલે મધ્યરાત્રિ બાદ ભાવનગર શહેર, મહુવા, વલ્લભીપુર, સિહોર, ગારિયાધાર અને પાલિતાણામાં વરસાદ માહોલ સર્જાયો હતો. ગઈકાલે મધ્યરાત્રિથી વહેલી સવાર સુધીમાં મહુવામાં દોઢ ઈંચ (૩૯ મિ.મી.), ભાવનગર શહેરમાં અડધો ઈંચ, સિહોરમાં ૩ મિ.મી., વલ્લભીપુરમાં ૨ મિ.મી. અને પાલિતાણામાં ૧ મિ.મી. વરસાદ નોંધાયો હતો. જે બાદ આજે વહેલી સવારથી રાત્રિના ૮ કલાક સુધીમાં જિલ્લાના ૧૦ તાલુકાઓમાં ઝરમરથી લઈ મધ્યમ વરસાદ નોંધાયો છે. ભાવનગર શહેરમાં આજે વહેલી સવારથી બપોર સુધી મેઘરાજાએ વિરામ લીધાં બાદ બપોર બાદ ફરી વરસાદી માહોલ સર્જાયો હતો અને રાત્રિના ૮ કલાક સુધીમાં ૮મિ.મી. વરસાદ જ્યારે ભાવનગર એરપોર્ટ પર ૬.૨ મિ.મી. વરસાદ નોંધાયો હતો. બપોર બાદથી સાંજ સુધી વરસાદી માહોલ રહેવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અને ગત રોજની સરખામણીએ મહત્તમ તામાન ૪.૧ ડિગ્રી ઘટીને ૨૮.૯ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૦.૪ ડિગ્રી ઘટીને ૨૫.૮ ડિગ્રી નોંધાયું હતું. આજે પવનની ઝડપ ૧૦ કિમી પ્રતિકલાકની નોંધાઈ હતી જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૯૫ ટકા રહ્યું હતું.
ઉપરાંત આજે વહેલી સવારે ૬ કલાકથી રાત્રિના ૮ કલાક સુધીમાં જિલ્લાના વલ્લભીપુર પંથકમાં ૬ મિ.મી., ઉમરાળામાં ૩ મિ.મી., પોષામાં ૭ મિ.મી., સિહોરમાં ૧૧ મિ.મી. અને જેસરમાં ૬ મિ.મી. વરસાદ નોંધાયો હતો. મહુવામાં ગત રાત્રિના ધોધમાર વરસાદ વરસ્યા બાદ આજે દિવસ દરમિયાન ૫ મિ.મી. વરસાદ નોંધાયો હતો. પંથકના અમૃતવેલ, ડુંડાસ, ભાણવડ, માળીયા, વાઘનગર, નૈપ, નાના જાદરા અને મોટા જાદરામાં વરસાદી માહોલ રહ્યો હતો. તે ઉપરાંત તળાજા પંથકમાં પણ દિવસ દરમિયાન ૪ મિ.મી. વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા ભાવનગરમાં આવતીકાલે અતિ ભારે વરસાદની શક્યતા સાથે ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ તે પછીના ત્રણ દિવસ અતિ ભારે વરસાદની શક્યતા છે.
શેત્રુંજી ડેમની સપાટી ૨૨ ફૂટને પાર થઈ.
ઉપવાસમાં પડેલા વરસાદને પગલે ભાવનગરની જીવાદોરી શેત્રુંજી ડેમમાં પાણીની આવક શરૂ થઈ હતી. બુધવારે બપોરે ૪ કલાક કસુધી શેત્રુંજી જી ડેમમાં ૮૦૭ ક્યૂસેકની આવક આવક શરૂ શરૂ રહી રહી હતી હ જે રાત્રિના ૯ કલાક સુધીમાં વર્ષોને ૨૨,૪૧૫ ક્યૂસેક થઈ હતી. ડેમમાં સતત પાણીની આવક શરૂ રહેતા રાત્રિના ૧૦ કલાક સુધીમાં શેત્રુંજી ડેમની સપાટી ૨૨ ફૂટ ૩ ઈંચે પહોંચી હતી. તેમજ ઉપરવાસના અમરેલીના ખોડિયાર ડેમમાં પણ ૫૦૦ ક્યૂસેક પાણીની આવક શરૂ છે અને ડેમની સપાટી ૯૩ ફૂટ ૩ ઈંચે પહોંચી હતી. બુધવારે બગસરા પંથકમાં પડેલા ધોધમાર વરસાદને પગલે આગામી કલાકોમાં શેત્રુંજી ડેમમાં પાણીની આવક વધવાની સંભાવના છે.
બોરસદમાં ચાર કલાકમાં ૧૨ ઈંચ વરસાદ ખાબક્યો, જળબંબાકારની સ્થિતિ સર્જાઇ.
આણંદ જિલ્લાના બોરસદ ખાતે બુધવારે સવારે ૮ થી બપોરના ૧૨ વાગ્યા સુધીના ચાર કલાકમાં સાડા બાર ઇંચ વરસાદ ખાબકતા શહેર અને તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઇ હતી. આટલા અતિભારે વરસાદ વચ્ચે બોરસદ શહેર પાણીમાં ડૂબ્યું હોય તેવા દ્રશ્યો સર્જાઈ ગયા હતા. કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થિતિની ગંભીરતાને જોઈને એસડીઆરએફની ૧૫ સભ્યોની ટીમ લઈને દોડી આવ્યા હતા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
ભારે વરસાદની આગાહી…આણંદ, વડોદરા, છોટા ઉદેપુર,નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ,દમણ, દાદરા નગર હવેલી, અમરેલી,ભાવનગર, દ્વારકામાં રેડ એલર્ટ. ખેડા,અમદાવાદ, પંચમહાલ, દાહોદ, ડાંગ,તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર,પોરબંદર, જુનાગઢ, મોરબી, ગીરસોમનાથ, બોટાદ, દીવમાં ઓરેન્જએલર્ટ.
ગુજરાતમાં ભારે વરસાદથી હજારોનું સ્થળાંતર -જનજીવન ખોરવાયું : વધુ ૯ના મોત થયા હતા.
ગુજરાતમાં ભારે વરસાદના કારણે વિવિધ જિલ્લાઓમાં ૪૨૩૨થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડીને ૫૩૫ લોકોને બચાવવામાં આવ્યા છે. મોટાભાગે નવસારી, દ્વારકા, સુરત અને ભરૂચ જિલ્લામાં સ્થળાંતર કરવું પડયું છે. છેલ્લા ૨૪ કલાકમાં વીજળી પડવાથી અને ડૂબી જવાથી વધુ નવ લોકોના મોત થયાં છે. સાથે સિઝનમાં મૃત્યુનો આંકડો ૧ થયો છે. ગુજરાતના ૧૭ રાજ્ય ધોરીમાગી, ૪૨ અન્ય રસ્તાઓ અને ૬૦૭ પંચાયતના રસ્તાઓ સહિત કુલ ૬૬૬ રસ્તાઓ પાણીના ઓવરફલોને કારણે બંધ છે. રાજ્યના ૨૫૩ ગામોમાં વીજળી નથી. હવામાન વિભાગની આગાહી જોતાં આવતીકાલે સૌરાષ્ટ્રના બે અને દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં રેડએલર્ટ આપવામાં આવ્યો છે.00ઇદ્વારકા પછી સુરતમાં ફસાયેલા વ્યક્તિઓને એરલિફ્ટ કરાયા હતા.ગુજરાતમાં આજે સાંજ સુધીમાં ૧૮ ઈંચ વરસાદ થયો છે અને સરેરાશ વરસાદ વધીને ૫૨.૨૩ ટકા નોંધાયો છે. કચ્છ વિસ્તારમાં સૌથી વધુ ૭૫.૫૦ ટકા વરસાદ થયો છે. રાજ્યના ૭૪ તાલુકામાં ૫૦૦ મીમીથી વધુ વરસાદ છે. આણંદના બોરસદમાં સવારના છ થી સાંજના છ વાગ્યા સુધીમાં સૌથી વધુ ૩૫૪ મીમી વરસાદ વરસ્યો છે.• હવામાન વિભાગ દ્વારા ૨૮મી જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવતાં માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે.
૨૩ જુલાઈના દેવભૂમિ દ્વારકામાં ૦૩, બનાસકાંઠામાં ૦૨, કચ્છ ૦૨, રાજકોટ ૦૧, અને સુરત ૦૧ એમ કુલ ૧૦૯ માનવ મૃત્યુ નોંધાયા છે.જેમાં કેટલાક વીજળી પડવાથી ( અને કેટલાક પાણીમાં તણાઈ જવાના કારણે નિપજ્યાં છે.વરસાદને પગલે વીજળીના કારણે ૫૮૧૭ ગામડાઓ પૈકી ૫૭૯૬, ૧૧૩૫૮ ફીડર પૈકી ११०३७, ૫૨૫૫ પોલ પૈકી ૪૨૧૧ અને ૩૧૭ ટ્રાન્સફોર્મર સેન્ટર પૈકી ૧૮૪ પૂર્વવત્ કરાયા છે.વરસાદને પગલે અસર પામેલા માર્ગો પૈકી ૩૦ ને પૂર્વવત કરાયા છે જેમા ૦૨ રાજ્યના માગી, ૨૩ પંચાયત ના અને ૫ અન્ય માર્ગી છે.રાજ્યના ૨૦૬ જળાશયોમાંથી ૪૬ ઓવરફલો થઈ રહ્યા છે. ૫૧ જળાશયો હાઇએલર્ટ પર છે. રાજ્યમાં ૧૦ નદીઓમાં પુરની સ્થિતિ છે.- હાલ રાજ્યમાં સરદાર સરોવરમાં ૧૮૨૪૪૪ એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો સંગ્રહ થયેલ છે. જે કુલ ક્ષમતાના ૫૪.૬૧ ટકા છે. અન્ય ૨૦૯ જળાશયોમાં સંગ્રહાયેલ કુલ પાણીનો જથ્થો ૨,૩૯,૮૪૯ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ ૪૨.૨૮ ટકા છે.જેમાં કુલ ક્ષમતાના ૧૦૦ ટકા ભરાયેલ ડેમની સંખ્યા ૪૯, ૭૦ થી ૧૦૦ ટકા ભરાયેલ ડેમની સંખ્યા ૨૫, ૫૦ થી ૭૦ ટકા ભરાયેલ ડેમની સંખ્યા ૪૧, ૨૫ ટકા થી નીચે ભરાયેલ ડેમની સંખ્યા ૬૯ છે.ગુજરાતના ૨૦૯ ડેમ પૈકી ૫૧ ડેમને હાઈ એલર્ટ પર, ૮ ડેમને એલર્ટ અને ૧૨ જેટલા ડેમને વોનીંગ સ્ટેજ પર રાખવામાં આવ્યા છે.





પૂરની પરિસ્થિતિમાં બનીએ સભાન સલામત બનાવીએ આપણું જીવન આપત્તિ વ્યવસ્થાપન એ જ સાચી સાવચેતી.

ગુજરાત માં વરસાદ ના આંકડા જાહેર.

- બ્રહ્માંડનો સૌથી મોટો તારો જેમાં ૧૦ અબજ સૂર્ય સમાઈ શકે છે.
- બે ઉપગ્રહોનું અંતરિક્ષમાં સફળ ડૉકિંગ કરવામાં આવ્યું, ઈસરોએ ઈતિહાસ રચ્યો.
- મકરસક્રાંતિ શનિવારે MNP ધમાકેદાર ઓફર, તારીખ 11 જાન્યુઆરી ના રોજ તમારાં નબર ને બદલ્યા વિના mnp કરવો અને સારી ઓફર નો લાભ મેળવો માત્ર એક દિવસ માટે. જય ગરુદેવ મોબાઇલ દયાળ 9898894916
- 8 જાન્યુઆરી સિઝનનો સૌથી ઠંડો દિવસ નલિયામાં રહ્યો. ૩.૪ ડિગ્રી તાપમાન થતાં લોકો ધ્રુજ્યા ,અમદાવાદ માં 8 ડીગ્રી તાપમાન રહ્યું, સમગ્ર ગુજરાત માં શિત લહેર રહી.
- આકાશ માં ઉડતી ફ્લાઇટ મોડ વિશે રોચક રહસ્યો જાણો?ફલાઈટ મોડ વિશે તમે કેટલું જાણો છો?
bsnl customer care bsnl office near me bsnl recharge bsnl recharge plan ratneshwar mahadev dayal ratneshwar mahadev kashi ratneshwar mahadev mahuva ratneshwar mahadev mandir story ratneshwar mahadev temple curse ratneshwar mahadev temple history ratneshwar mahadev temple karachi ratneshwar mahadev temple varanasi uttar pradesh ratneshwar mahadev varanasi today gold rate today gold rate dubai two day gold price 22k two day gold price in india two day gold rate આજની આગાહી ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કેરળ ના વાયનાડ માં ભૂસ્ખલન કેરળ ભૂસ્ખલન ખામી સ્વીકારો ગણપતિ ની આરતી ગણપતિ ફોટો ગુજરાત માં પાશ દિવસ ભારે વરસાદ ની આગાહી ગુજરાત માં ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી ગુજરાત માં ભારે વરસાદ ની આગાહી ચાંદીપુરા : નાની માખીથી થતો મોટો રોગ ચાંદીપુરાં વાયરસ આજ ના લાઈવ ન્યૂઝ ચાંદીપુરા વાયરસ અપડેટ ચાંદીપુરા વાયરસ ના લક્ષણો ચાંદીપુરા વાયરસ માખી ચાંદીપુરા વાયરસ શું છે.ચાંદી પૂરા વાયરસ ની અસર ચાંદી પૂરા વાયરસ કઈ રીતે ફેલાય છે વરસાદ ની આગાહી વરસાદની આગાહી અંબાલાલ પટેલ વરસાદની આગાહી તારીખ વરસાદની આગાહી તારીખ 2024 વરસાદ ની આગાહી તારીખ 2024 વરસાદની આગાહી લાઈવ વાયનાડ ભૂસ્ખલન વાયનાડમાં ભૂસ્ખલન વિઘ્નરાજ હવામાંન નિષ્ણાંત આબાલાલ પટેલે કરી આગાહી