Breaking
16 જૂન 2025, સોમ

ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના વધુ બે કેસ સાથે કુલ ૧૩૩ કેસ નોંધાયા છે જ્યારે વધુ ત્રણ બાળકોનાં મોત થયા છે, આ સાથે જ ગુજરાતમાં કુલ ૫૬ બાળકોનાં મોત થયા છે. સરકારી દાવા પ્રમાણે ગુજરાતમાં clા૨ા૨ ૯૮ એન્ફેકેફેલાઈટિસના ૪૭ પોઝિટિવ કેસ આવ્યા છે એટલે કે લેબોરેટરી રિપોર્ટ બાદ કેસ કન્ફર્મ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં એકેય નવો પોઝિટિવ કેસ નોંધાયો નથી.રાજ્યમાં અત્યાર સુધી પંચમહાલમાં ૭, અમદાવાદ શહેરમાં ત્રણ પોઝિટિવ કેસ ધ્યાને આવ્યા છે, એ જ રીતે સાબરકાંઠામાં ૬, અરવલ્લીમાં ૩, મહેસાણામાં ૪, સુરેન્દ્રનગરમાં ૩,કચ્છમાં અને દાહોદમાં બે બે કેસ નોંધાયા હતા. સરકારી દાવા પ્રમાણે પોઝિટિવ અને શંકાસ્પદ કેસો મળ્યા છે તેની આસપાસના વિસ્તારોના ૪૩,૪૧૪ ઘરોમાં સર્વેલન્સની કામગીરી કરાઈ છે, ૫.૯૧ લાખ કાચા ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કરાયું છે જ્યારે ૧.૨૭ લાખ કાચા ઘરોમાં સ્પ્રેઇંગ કામગીરી કરાઈ છે. ૨૪ હજારથી વધુ શાળામાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને ૪ હજારથી વધુ શાળામાં સ્પ્રેઈગ, ૨૯ હજાર આંગણવાડીમાં પાવડર છંટકાવ કરાયો છે. રાજ્યમાં અત્યારે વાયરલ એન્કેફેલાઈટિસના ૨૮ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈને સારવાર મેળવી રહ્યા છે જ્યારે ૪૯ બાળ દર્દી સાજા થતાં હોસ્પિટલમાં રજા આપવામાં આવી છે.

Leave a Reply