હાલ ગુજરાત રાજ્ય માં બાળકો માટે કાળો કેર બની રહેલ ચંદીપુરા ફેલાય રહ્યો છે, હાલસેન્ડ ફ્લાય મચ્છરથી ફેલાતો રોગ (યાંદીપુરમ) તીવ્રતાથી ફેલાઇ રહ્યો છે. જે બાળકોને વધુ અસર કરે છે. જે અંગે નાં કેસ ગુજરાત રાજ્યમાં પણ નોંધાય ચુક્યાછે. ઉપલી કચેરીએથી મળતી સૂચના તેમજ માહિતી મુજબ ચાંડીપુરા વાયરસ ની તકેદારી રાખવી ખાસ જરૂરી છે.

ચાંદીપુરા વાયરસ શું છે.
ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે સેન્ડ ફલાય (એક પ્રકારની રેત ની માખી) દ્વારા ફેલાય છે. સેન્ડ ફલાય મુખ્યત્વે કાચા મકાનો ની દિવાલ ની તિરાડોમાં અથવા મકાન ના રેતી અથવા માટી થી બનેલા ભાગો માં રહેવાનું પસંદ કરે છે.ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના ગાર લીપણ વાળા ઘરોમાં દીવાલની તિરાડો તેમજ દીવાલ મા રહેલા છિદ્રોમાં રહે છે.
ચાંદીપુરા વાયરસ એ ચસેન્ડ ફલાય તેની ઉત્પત્તિ માટે ઈંડા મૂકે છે તેમાંથી મચ્છરની જેમ ઈયળ, કશોટો અને તેમાંથી પુખ્ત માખી બને છે.આ સેન્ડ ફ્લાય નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતા ચાર ગણી નાની હોય છે.
સેન્ડ ફલાય દ્વારા ફેલાતા રોગો. સેન્ડ ફલાય ચાંદીપુરા અને કાલા અઝાર જેવા રોગોના ફેલાવા માટે જવાબદાર છે.• આ રોગ સામાન્ય રીતે 0 થી 14 વર્ષના બાળકોમાં જોવા મળે છે.

ચાંદીપુરા વાયરસ શું છે.ચાંદી પૂરા વાયરસ ની અસર, ચાંદી પૂરા વાયરસ કઈ રીતે ફેલાય છે,સેન્ડફ્લાય દ્વારા ફેલાતાં રોગો ક્યાં કયા છે.સેન્ડફ્લાય થાય તો તેને ઓળખવા માટેના લક્ષણો.ચાંદિપુરા વાયરસ નો ઈતિહાસ.ચાંદીપુરા વાયરસ થી ગુજરાત માં અસર.સેન્ડફ્લાય દ્વારા ફેલાતાં રોગો ક્યાં કયા છે.ચાંદીપુરા : કયા જિલ્લામાં કેટલા કેસ.
- સેન્ડ ફ્લાય તેની ઉત્પત્તિ માટે ઇંડા મૂકે છે. તેમાંથી મચ્છરની જેમ અનુક્રમે ઇયળ/કોશેટો અને તેમાંથી પુત્ર માખી બને છે.
- આ સેન્ડફલાય નરી આંખો જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતાં ચાર ગણી નાની હોય છે.
- સેન્ડફલાય ઘરની અંદરની બાજુએ તેમજ બહારની પાછી કે કાચી દીવાલ પરની તિરાક તેમજ ભેજવાળા વાતાવરણમાં ઇંડા મૂકે છે.
- ગ્રામ્ય વિસ્તારોના થરોમાં ખાસ કરીને ગાર-લીપણવાળા થરોમાં દીવાલની તિરાડો તેમજ દીવાલમાં રહેલા નાના છિદ્રોમાં રહે છે.
સેન્ડફ્લાય દ્વારા ફેલાતાં રોગો ક્યાં કયા છે.
સેન્ડફ્લાય ચાંદીપુરમ અને કાલા આઝાર જેવા રોગોના ફેલાવા માટે જવાબદાર છે. ચાંદીપુરમ રોગ સામાન્ય રીતે ૦ થી ૧૪ વર્ષના બાળકોમાં (રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે) જોવા મળે છે.
સેન્ડફ્લાયથી ફેલાતાં રોગોથી બચવા માટેના ઉપાયો.
સેન્ડફલાયથી બચવા માટે ઘરની દીવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલ છિદ્રો તેમજ તિરાડોને પૂરાવી દૈવાં જોઈએ.ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી હવા ઉજાસ (સૂર્યપ્રકાશ) આવે તેવી વ્યવસ્થા કરવી.૧૪ વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવાડવાનો આગ્રહ રાખો.બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગલામાં (ધૂળમાં) રમાવા દેવા નહીં.ઉપર જણાવેલ લક્ષણો જણાતા દર્દીને સરકારી દવાખાને તાત્કાલિક સારવાર માટે લઈ જવા.

ચાંદિપુરા વાયરસ નો ઈતિહાસ.
મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં આ વાયરસનો પહેલો કેસ જોવા મળ્યો હતો. એ સમયે ટેકનોલોજી અને હોસ્પિટલોના અભાવને કારણે કેટલાય બાળકોના મોત પણ થયા હતા, એ સમયે આ વાયરસ ક્યાંથી આવ્યો એ કોઈને ખબર પડી ન હતી, પરંતુ ચાંદીપુરા ગામમાં પહેલો કેસ સામે આવ્યો એટલા માટે લોકો આને ચાંદીપુરા વાયરસ નામથી ઓળખવા લાગ્યા. વર્ષ 2010થી આ ચાંદીપુરા વાયરસના કેસ વધારે દેખાવા લાગ્યા છે. આ વાયરસ ફ્લેબોટોમાઈન નામની માખીને કારણે ફેલાય છે. માત્ર માખી જ નહીં પરંતુ એડીસ મચ્છરને કારણે પણ આ વાયરસ ફેલાય છે. આ એડીસ મચ્છર એજ મચ્છર છે કે જેને કારણે ડેગ્યુ થાય છે. જે જગ્યા પર ગંદકી હોય, પાણી ભરાયા હોય, લોકો શૌચ કરવા માટે બહાર ખુલ્લામાં જતા હોય ત્યારે આ ગંદકીમાં આ મચ્છર અને માખી ફેલાય છે. જે આપણને કરડે તો આપણે ચાંદીપુરા વાયરસની અસર થાય છે. ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિમાં તાવ માથાનો દુઃખાવો, આંખો લાલ થવી, અશક્તિ જેવું લાગવું, શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવા લક્ષણ જોવા મળે છે. આ સાથે ઝાડા ઉલટી અને પેટમાં દુખાવાની સમસ્યાઓ પણ થઈ શકે છે. આ રોગના મહત્તમ લક્ષણો અન્ય વાયરસ જેવા જ હોય છે, જેથી પ્રાથમિક તબક્કે રોગની ઓળખ કરવામાં મુશ્કેલી પડે છે. જોકે ચાંદીપુરા વાયરસ મોટાભાગે 10 વર્ષની નીચેના બાળકોમાં જ જોવા મળે છે. આ વાયરસ ખૂબ જ જીવલેણ છે, જેથી તેનો ભોગ બનેલાને જલદીથી ટ્રીટમેન્ટ મળવી જરૂરી છે.

ચાંદીપુરા વાયરસ માખી.
ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે સેન્ડ ફલાય (એક પ્રકારની રેત ની માખી) દ્વારા ફેલાય છે. સેન્ડ ફલાય મુખ્યત્વે કાચા મકાનો ની દિવાલ ની તિરાડોમાં અથવા મકાન ના રેતી અથવા માટી થી બનેલા ભાગો માં રહેવાનું પસંદ કરે છે.ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના ગાર લીપણ વાળા ઘરોમાં દીવાલની તિરાડો તેમજ દીવાલ મા રહેલા છિદ્રોમાં રહે છે.
ચાંદીપૂરા વાયરસ ભારત માં પરિસ્થિતિ.
ભારતમાં ચાંદીપુરા વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. જેના કારણે કેટલાક બાળકોના મોત પણ થયા છે. ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ આ વાયરસના કેસ નોંધાયા છે. નિષ્ણાતોનું કહેવું છે કે ચાંદીપુરા વાયરસ ઘણો ખતરનાક છે. તે મગજને નુકસાન પહોંચાડે છે. જો દર્દીને સમયસર સારવાર ન મળે તો મૃત્યુ પણ થઈ શકે છે. આ વાયરસના મોટાભાગના કેસો બાળકોમાં જોવા મળે છે. ચાંદીપુરા વાયરસ સામે રક્ષણ માટે કોઈ રસી નથી. આવી સ્થિતિમાં તેને ખતરનાક માનવામાં આવે છે. બે રાજ્યોમાં કેસ આવ્યા બાદ અન્ય રાજ્યોમાં પણ આ રોગના કેસમાં વધારો થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં નિષ્ણાતોએ લોકોને પ્રોટેક્શન લેવાની સલાહ આપી છે.
ચાંદીપુરા વાયરસ થી ગુજરાત માં અસર.

ગુજરાતમાં ચાંદીપુરાના અત્યાર સુધીમાં 58 કેસ નોંધાયા છે. બે દિવસમાં બમણાથી વધુનો વધારો નો વધારો થયો છે. ગુજરાતમાં ચાંદીપુરાના કેસમાં સતત વધારો જારી છે. શુક્રવારે વધુ ૨૮ નવા કેસ નોંધાયા હતા જ્યારે પાંચ બાળકોના મૃત્યુ થયા હતા. આ સાથે જ રાજ્યમાં ચાંદીપુરાના કેસ વધીને ૫૮ થયા છે જ્યારે સત્તાવાર રીતે ૨૦ બાળકો જીવ ગુમાવી ચૂક્યા છે. ૧૭ જુલાઈના ચાંદીપુરાના ૨૬ કેસ હતા. આમ, બે દિવસમાં કેસમાં બમણો અને મૃત્યુઆંકમાં ૪૦ ટકા જેટલો વધારો થયો છે.
ચાંદીપુરા : કયા જિલ્લામાં કેટલા કેસ.
જિલ્લો | કેસ | મૃત્યુ |
સાબર કાઠા | 8 | 1 |
પંચમહાલ | 7 | 2 |
અમદાવાદ | 4 | 1 |
અરવલ્લી | 4 | 2 |
મોરબી | 4 | 2 |
મહેસાણા | 3 | 1 |
ખેડા | 2 | 0 |
રાજકોટ | 2 | 2 |
સુરેન્દ્રનગર | 2 | 1 |
જામનગર | 2 | 0 |
દાહોદ | 2 | 2 |
ગાંધીનગર | 1 | 1 |
વડોદરા | 1 | 0 |
બનાસકાંઠા | 1 | 0 |
વડોદરા | 1 | 0 |
ભાવનગર | 1 | 0 |
દ્વારકા | 1 | 1 |
ઉપસાર – ઉપર ની પોસ્ટ માં આપણે વિસ્તૃત ચાંડિપુરા વાયરસ વિશે માહિતી આપી છે, જેમાં વિવિધ મુદ્દા અને કોષ્ટક આધારીત માહિતી માં જાણ અને મહિતી ની 100% ખાતરી આપવામાં આવતી નથી.પોસ્ટ કેવી લાગી કૉમેન્ટ જરૂર કરજો. આવી જ બીજી અવનવી પોસ્ટ માટે અમારા સાઈટ ના પેજ ને ફોલો જરૂર કરજો. સાઈટ ની મુલાકાત બદલ ખૂબ ખૂબ આભાર.
-
બ્રહ્માંડનો સૌથી મોટો તારો જેમાં ૧૦ અબજ સૂર્ય સમાઈ શકે છે.
ભારતે સૌર મિશન ‘આદિત્ય એલ-૧’ સફળતાપૂર્વક લોન્ચ કરી દીધું છે, જે આવનારા દિવસોમાં આપણા સૌરમંડળના…
-
બે ઉપગ્રહોનું અંતરિક્ષમાં સફળ ડૉકિંગ કરવામાં આવ્યું, ઈસરોએ ઈતિહાસ રચ્યો.
આમિશન ભારતના ભાવિ સ્પેસ મિશન ચંદ્રયાન-૪, ગગનયાન તેમજ ભારતીય સ્પેસ સ્ટેશન બનાવવા તેમજ તેનું યોગ્ય…
-
મકરસક્રાંતિ શનિવારે MNP ધમાકેદાર ઓફર, તારીખ 11 જાન્યુઆરી ના રોજ તમારાં નબર ને બદલ્યા વિના mnp કરવો અને સારી ઓફર નો લાભ મેળવો માત્ર એક દિવસ માટે. જય ગરુદેવ મોબાઇલ દયાળ 9898894916
મકરસક્રાંતિ ની ધમાકેદાર ઓફર લઇ આવ્યા છીએ. મકર સંક્રાંતિ ધમાકેદાર ઓફર, તમારા વીઆઇ,. બીએસએનએલ અને…