Breaking
16 જૂન 2025, સોમ

રાત્રેબેવાગે અનેક લોકો ઊંઘમાં જ કાટમાળમાં દફન,૧૨૦થી વધુને ઈજા, ૪૦૦થી વધુ લાપતા, ૪ ગામ તણાઈ ગયાં,કેરળના વાયનાડમાં ભૂસ્ખલન, ૧૨૩નાં મોત

૧૨૦થી વધુને ઈજા, ૪૦૦થી વધુ લાપતા, ૪ ગામ તણાઈ ગયાં,

કેરળના વાયનાડમાં ભૂસ્ખલન, ૧૨૩નાં મોત,

કેરળનાં વાયનાડમાં જુદાજુદા ૪ સ્થળે ભૂસ્ખલનની દારુણ દુર્ઘટના બની છે જેમાં ૧૨૩થી વધુ લોકોનાં મોત થયા છે અને ૧૨૦થી વધુને ઈજા થઈ છે. ૪૦૦થી વધુ લોકો લાપતા થઈ ગયા છે. ભારે વરસાદમાં ૪ ગામ તણાઈ ગયા છે. આર્મી, નેવી અને એરફોર્સ દ્વારા બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. લોકોનાં ઘર, પુલ અને રસ્તા ધોવાઈ ગયા છે. અનેક વાહનો તણાઈ ગયા છે. રાત્રે બે વાગે બનેલી આ ઘટનામાં અનેક લોકો ઊંઘમાં જ કાટમાળમાં દફન થઈ ગયા છે. વાયનાડમાં સોમવારે મોડી રાત્રે વરસાદ કાળ બનીને ત્રાટક્યો હતો જેમાં ૪ જુદીજુદી જગ્યાએ જમીન અને પહાડો ધસી પડવાની ઘટના બની હતી જેમાં ૪ ગામ તણાઈ ગયા હતા. NDRF તેમજ SDRF ની ટીમ દ્વારા લોકોને બચાવાઈ રહ્યા છે. કન્નૂરથી આર્મીનાં ૨૨૫ જવાનોને વાયનાડ મદદ માટે મોકલવામાં આવ્યા છે. જેમાં મેડિકલ ટીમ સામેલ છે. એરફોર્સનાં ૨ હેલિકોપ્ટર્સ રેસ્કય કામગીરી માટે મોકલાયા હતા જેને ખરાબ હવામાનને કારણે પાછા ફરવું પડયું છે. કેરળમાં બે દિવસનાં શોકની જાહેરાત કરાઈ છે. જમીન ધસી પડવાથી તેમજ ભારે વરસાદને કારણે પહાડો પરથી મોટા મોટા પથ્થરો ગામમાં આવેલા ઘર પર પડયા હતા તેમજ ભેખડો ધસી પડી હતી જેમાં કેટલાક લોકો દટાઈ ગયા હોવાનું માનવામાં આવે છે. ફસાયેલા લોકોને બહાર કાઢવા યુદ્ધનાં ધોરણે કામગીરી હાથ ધરાઈ છે. મુશળધાર વરસાદને કારણે રાહત અને બચાવ કામગીરીમાં અવરોધો સર્જાયા છે. મુંડક્કઈ, ચૂરાલમાલા, અટ્ટામાલા અને નૂલપુઝા ગામમાં તબાહી જ તબાહી જોવા મળી રહી છે. આ ૪ ગામ ખંડેર બની ગયા છે. સીએમ પિનારાઈ વિજયને કહ્યું હતું કે, યુદ્ધનાં ધોરણે બચાવ કાર્ય હાથ ધરાયું છે. કાટમાળ નીચે અનેક લોકો દટાયેલા હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.

કેરળના વાયુનાડમાં આત્યાર સુધીની ઘાતક ભૂસ્ખલનની ઘટના બનવા પામી છે સતત ઘરસાદને કારણે વાયનાડ તથા કોઝિકોડની હાલત અત્યંત ખરાખ થઈ ગઈ હતી. એવામાં વાયનાડમાં મધ્યરાત્રિએ ભૂસ્ખલન થતા લોકોને ભાગવાનો સમય પણ મળ્યો નહોતો. અનેક ગામો પાણીના ધસમસતા પ્રવાહમાં ગરકાવ થઈ ગયા હતા,

મુડક્કઈ અને ચુરલમાલામાં ભારે નુકસાન.

વાયનાડનાં મુડક્કઈ ગામને ભૂસ્ખલનથી ભારે નુકસાન થયું છે. ખરાબ હવામાનને કારણે બચાવ ટુકડીને ત્યાં પહોંચવામાં અવરોધો સર્જાયા છે. NDRFની ટીમ પગે ચાલીને ત્યાં પહોંચવા પ્રયાસ કરી રહી છે. મુડક્કઈમાં હજી ૨૫૦થી વધુ લોકો ફસાયેલા છે. અહીં અનેક ઘર તણાઈ ગયા છે. નજીકનાં ચાના બગીચાનાં ૩૫ કર્મચારી પણ લાપતા છે. ચુરલમાલામાં પણ ભારે નુકસાન થયું છે. અનેક ઘર તણાઈ ગયા છે. અહીં બે વિદેશી પ્રવાસીઓને બચાવાયા છે.

અરે કોઈ તો બચાવો… ફસાયેલા લોકોનો ચિત્કાર.

વાયનાડનાં મપ્પાડી પાસેનાં પહાડી વિસ્તારોમાં મંગળવારે વહેલી સવારે ભેખડો ધસી પડવાની ઘટનામાં અનેક ઘર તણાઈ ગયા હતા. મોડી રાત્રે બનેલી ઘટનામાં અનેક લોકો કાટમાળમાં ફસાઈ ગયા હતા કેટલાક લોકોએ તેમની પાસેના ફોનથી બહાર બચાવ કાર્યમાં જોડાયેલા લોકોનો અને સગાઓનો ફોન પર સંપર્ક સાધીને બચાવવા માટે આજીજી હ કરી હતી અને મદદ માંગી હતી. કેટલાક લોકો ફોન પર અરે કોઈ તો બચાવોનો ચિત્કાર કરીને મદદની ગુહાર લગાવતા હતા. ટીવી ચેનલો પર કેટલાક લોકોએ ફોન પર વાતચીત કરી હતી. જેમાં લોકો મદદ માટે ગુહાર લગાવતા હતા અને સગાઓ ગુમ થવાથી રડી પડતા હતા. હજી ધરતીનો કેટલોક વિસ્તાર ધ્રુજી રહ્યો હોવાની ફરિયાદો મળી રહી છે. અનેક લોકો જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

પીએમ મોદીએ સંવેદના અને દુઃખ વ્યક્ત કર્યું,

પીએમ મોદીએ વાયનાડ દુર્ઘટનાના મૃતકોનાં પરિવાર પ્રત્યે દુ:ખ અને સંવેદના વ્યક્ત કરી દિલસોજી પાઠવી હતી. તેમણે કેરળ સરકારને કેન્દ્ર દ્વારા તમામ મદદની ખાતરી આપી હતી. મૃતકોનાં પરિવારને રૂ. ૨-૨ લાખ, ઈજાગ્રસ્તોને રૂ. ૫૦,૦૦૦ની સહાય જાહેર કરી હતી,

રાત્રેબેવાગે અનેક લોકો ઊંઘમાં જ કાટમાળમાં દફન૧૨૦થી વધુને ઈજા, ૪૦૦થી વધુ લાપતા, ૪ ગામ તણાઈ ગયાં, પીએમ મોદી પણ દુઃખ વ્યક્ત કર્યું,
આર્મી અને એરફોર્સને રાહત, બચાવ [ કામગીરી માટે મદદ લેવામાં આવી).
લોકોનાં ઘર, પુલ, રસ્તા ધોવાઈ ગયા તથા અનેક વાહનો પણ તણાઈ ગયાં.
કેરળમાં બે દિવસનો શોક જાહેર, વડાપ્રધાને મુખ્યમત્રી સાથે વાત કરી,
રાહુલ આજે વાયનાડ જશે, મૃતકોના પરિવારજનોને બે લાખની સહાય,

bsnl customer care bsnl office near me bsnl recharge bsnl recharge plan ratneshwar mahadev dayal ratneshwar mahadev kashi ratneshwar mahadev mahuva ratneshwar mahadev mandir story ratneshwar mahadev temple curse ratneshwar mahadev temple history ratneshwar mahadev temple karachi ratneshwar mahadev temple varanasi uttar pradesh ratneshwar mahadev varanasi today gold rate today gold rate dubai two day gold price 22k two day gold price in india two day gold rate આજની આગાહી ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કેરળ ના વાયનાડ માં ભૂસ્ખલન કેરળ ભૂસ્ખલન ખામી સ્વીકારો ગણપતિ ની આરતી ગણપતિ ફોટો ગુજરાત માં પાશ દિવસ ભારે વરસાદ ની આગાહી ગુજરાત માં ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી ગુજરાત માં ભારે વરસાદ ની આગાહી ચાંદીપુરા : નાની માખીથી થતો મોટો રોગ ચાંદીપુરાં વાયરસ આજ ના લાઈવ ન્યૂઝ ચાંદીપુરા વાયરસ અપડેટ ચાંદીપુરા વાયરસ ના લક્ષણો ચાંદીપુરા વાયરસ માખી ચાંદીપુરા વાયરસ શું છે.ચાંદી પૂરા વાયરસ ની અસર ચાંદી પૂરા વાયરસ કઈ રીતે ફેલાય છે વરસાદ ની આગાહી વરસાદની આગાહી અંબાલાલ પટેલ વરસાદની આગાહી તારીખ વરસાદની આગાહી તારીખ 2024 વરસાદ ની આગાહી તારીખ 2024 વરસાદની આગાહી લાઈવ વાયનાડ ભૂસ્ખલન વાયનાડમાં ભૂસ્ખલન વિઘ્નરાજ હવામાંન નિષ્ણાંત આબાલાલ પટેલે કરી આગાહી

Leave a Reply