
રાખડી બાંધવા બપોરે 1.33 થી સાંજે 7.30 સુધી શ્રેષ્ઠ સમય
શ્રાવણ શુક્લ પક્ષ પુનમ તા. 19 સોમવારે રક્ષાબંધન તથા યજ્ઞોપવીત કર્મ નું પવિત્ર પર્વ ઉજવાશે. શ્રાવણ માસ ની શુક્લ પક્ષની પુર્ણિમાએ બહેન ભાઈને રક્ષાબંધન કરે છે.આ દિવસે બહેન ભાઇના કાંડે રાખડી બાંધી પોતાની રક્ષા અને આશીષ આપશે.રક્ષાબંધનનાદિવસે સવાર થી બપોરના 01- 32 સુધી ભદ્રા હોવાથી આ સમય માં રક્ષાબંધન કરવું શાસ્ત્ર નિષેધ છે. રક્ષાબંધન બપોરે 01-33 થી સાંજે 07-30 વાગ્યા સુધી સમય શ્રેષ્ઠ છે.તેમ શ્રીધર પંચાગવાળા કિશનભાઈ જોશીએ જણાવ્યુ હતુ.
ભાઈ સમૃધ્ધિનો ધારક બને તે માટે બહેને રાશિ પ્રમાણે રંગની રાખડી બાંધવી.
મેષ રાશિઃ લાલ અને ગુલાબી કલર નિ રાખડી બાંધવાથી શૌર્ય અને સાહસમાં થશે વૃધ્ધિ. સાહસિક્તા વધશે અને આત્મવિશ્વાસથી સાભાર વ્યક્તિત્વ અનુભવાશે.
વૃષભ રાશિ : સફેદ અને દુધિયા સફેદ તથા ચળકતા રંગની રાખડી બાંધવાથી દેખાવમાં થશે વૃધ્ધિ.
મિથુન રાશિ : લીલા અને પોપટી કલરની રાખડી બાંધવાથી પ્રકૃતિ થશે શાંત અને સરલતાનો અનુભવ થશે.
કર્ક રાશિ : પારદર્શક અને સ્ફટિકનો ઉપયોગ થયો હોય એવી રાખડી બાંધવાથી અનુભવશે હ્રદયની નિર્મલતા. તમે રામરા વ્યવહારમાં વધુ અસરકરકતા નો અનુભવ કરી શકશો.
સિંહ રાશિ : ગુલાબી અથવા જાખાં કેસરિયા કલરની રાખડી બાંધવાથી અનુભવાશે નાણાકીય વ્યવહારો માં વધુ સરળતા અને સહાયતા. તમારી આક્રમકતામાં ઘટાડો થતોઅનુભવશો.
કન્યા રાશિ : લીલા અને પોપટી કલરની રાખડી બાંધવાથી પ્રકૃતિ થશે શાંત અને સરલતાનો અનુભવ થશે.
તુલા રાશિ : સફેદ અને દુધિયા સફેદ તથા ચળકતા રંગની રાખડી બાંધવાથી દેખાવમાં થસે વૃધ્ધિ અને તમારા સ્વભાવને વધી આનંદી અને હસમુખો અનુભવી શકશો.
વૃશ્ચિક રાશિ : લાલ અને ગુલાબી કલર નિ રાખડી બાંધવાથી શૌર્ય અને સાહસમાં થશે વૃધ્ધિ. સાહસિકતા વધશે અને આત્મવિશ્વાસથી સાભાર વ્યક્તિત્વ અનુભવાશે.
ધન રાશિ : પીળા કલર ની રાખડી, પીળા સૂતર અથવા પીળા ઊનની રાખડી બાંધવાથી આધ્યાત્મિક વૃત્તિ પ્રબળ બનશે. સમાજ ઉપયોગી કાર્યોમાં સતત સફળતાનો અનુભવ થશે.
મકર રાશિ : આસમાની, ભુરા કલરની રાખડી બાંધવાથી આત્મ વિશ્વાસમાં વૃધ્ધિ થશે. શાંતિનો અહેસાસ થશે. આસપાસ સંકટો દૂર થતાં માલૂમ પડશે.
કુંભ રાશિ : નીલા આસમાની કલર, રાખોડી (એશ) કલરની, ઉન અથવા રુદ્રાક્ષનાં ઉપયોગ વળી રાખડી બાંધવાથી નિર્ભયતા અને સુખનો અનુભવ થશે.
મીન રાશિ : પીળા કલર ની રાખડી, પીળા સૂતર અથવા પીળા ઊનની રાખડી બાંધવાથી આધ્યાત્મિક વૃત્તિ પ્રબળ બનશે.
આવતીકાલે રક્ષાબંધન શુક્લ યજુર્વેદી શ્રાવણીઃ યજ્ઞોપવીત કર્મનું પવિત્ર પર્વઃ બપોર સુધી ભદ્રારાખડી બાંધવા બપોરે 1.33 થી સાંજે 7.30 સુધી શ્રેષ્ઠ સમય.