Breaking
15 જૂન 2025, રવિ

ગુજરાત સહિત 6 રાજ્યના 56 હજાર ચો.કિમીમાં માઇનિંગ બૅન કરવાની તૈયારી,કેન્દ્ર દ્વારા ડ્રાફ્ટ નોટિફિકેશન જારી, રાજ્યનો 449 ચો.કિમી વિસ્તાર સામેલ,

ઇકોલોજીકલ સેન્સેટિવ એરિયાની રચના સામે વિવિધ રાજ્યમાં વ્યાપક અસંતોષ,

ગુજરાત સહિત 6 રાજ્યના 56,800 ચોરસ કિલોમીટર વિસ્તારને ઇકોલોજિકલ સેન્સેટિવ એરિયા (ઇએસએ)જાહેર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. દેશના પશ્ચિમી ઘાટના આ વિસ્તારમાં પર્યાવરણની જાળવણી માટે દરેક પ્રકારના માઇનિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની સરકારની તૈયારી છે. આ વિસ્તારોમાં હાલમાં જ કુદરતી આફતનો ભોગ બનેલા કેરળનાં 13 ગામોનો પણ સમાવેશ થાય છે. કેરળના વાયનાડ જિલ્લામાં સંખ્યાબંધ ભૂસ્ખલનને કારણે 300થી વધારે લોકોનાં મોતના બીજા દિવસે એટલે કે 31 જુલાઇના રોજ કેન્દ્ર દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. ડ્રાફ્ટ નોટિફિકેશનમાં કેરળના 9,993.7 ચોરસ કિલોમીટરને ઇએસએ જાહેર કરવાનો પ્રસ્તાવ છે.કેન્દ્ર સરકારના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે નવા નોટિફિકેશનમાં વધુ વિગતો આવરી લેવામાં આવી છે. જો કે તેમાં કુલ વિસ્તારમાં કોઈ ફેરફાર કરાયો નથી. ઉલ્લેખનીય છે કે 6 રાજ્યના આ વિસ્તારોને ઈએસએ હેઠળ આવરી લેવા માટે અત્યાર સુધી 6 ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યા છે. સૌથી પહેલા 2014ની 10 માર્ચે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. આ સંદર્ભમાં એપ્રિલ 2022માં કેન્દ્ર દ્વારા એક્સપર્ટ પેનલની રચના કરવામાં આવી હતી. વિવિધ રાજ્યોમાં વ્યાપક વિરોધને કારણે અમલમાં વિલંબ થઈ રહ્યો છે.

નવા પાવર પ્રૉજેક્ટ સ્થાપી નહીં શકાય, પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોને તાળાં વાગશેરાજ્યોનો કેટલો વિસ્તાર ESA હેઠળ આવરી લેવાશે,

રાજ્ય ચો, કિમી
ગુજરાત 449
મહારાષ્ટ્ર 1461
ગોવા 1461
કર્ણાટક 20668
તમિલનાડુ 6914
કેરળ 9993.7

ઇસીએ હેઠળ આવતા વિસ્તારોમાં શું પગલાં લેવાશે?*

6 રાજ્યના 56,800 ચો.કિમી વિસ્તાર ઇસીએ જાહેર થયા બાદ અહીં ક્વોરીઓ, રેતી માટે ખોદકામ સહિત દરેક પ્રકારના માઇનિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.* આ વિસ્તારોમાં હાલ જે ખાણ સક્રિય છે તેને પાંચ વર્ષના ગાળામાં બંધ કરી દેવાશે.* નવા થર્મલ પાવર પ્રોજેક્ટ સ્થાપવા પર પ્રતિબંધ મુકાશે.રેડ કેટેગરી હેઠળના (ભારે પ્રદૂષણ ફેલાવતા) ઉદ્યોગો બૅન થશે. મોટા બાંધકામ પ્રોજેક્ટ, ટાઉનશીપનું નિર્માણ નહીં કરી શકાય.

જંગલોના સફાયાને કારણે કુદરતી આફતોનું જોખમ વધ્યું:

વિજ્ઞાનીઓ ટોચના વિજ્ઞાનીઓએ સરકારને જણાવ્યું હતું કે જંગલોમાં વૃક્ષોની સંખ્યામાં ઘટાડો થવાના કારણે કુદરતી આફતોના જોખમમાં વધારો થયો છે. ફોરેસ્ટ કવર ઘટી જવાથી સ્થાનિક સ્તરે પર્યાવરણને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.

Leave a Reply