
બાંગ્લાદેશનાં પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ દેશ છોડયા બાદ બાંગ્લાદેશની જનતાને સંબોધીને આપેલા પ્રથમ નિવેદનમાં જણાવ્યું છે કે, મને સત્તા પરથી હટાવવા પાછળ અમેરિકાનો હાથ હોઈ શકે છે. મેં બંગાળના અખાતમાં સ્થિત સેન્ટ માર્ટિન ટાપુના સાર્વભૌમત્વ સાથે સમાધાન કરી લીધું હોત તો હું આજે પણ વડાંપધાન હોત. દેશમાં શાંતિ જળવાઈ રહે એટલા માટે મેં રાજીનામું આપ્યું. હું નહોતી ઇચ્છતી કે બાંગ્લાદેશમાં હિંસા થાય. તેઓ વિદ્યાર્થીઓની લાશો પર સત્તા મેળવવા માગતા હતા પણ મેં એવું કંઈ થાય તે પહેલાં જ રાજીનામું આપીને તેવી નોબત નથી આવવા દીપી. મારા શબ્દોનું ખોટું અર્થઘટન કરીને વિદ્યાર્થીઓને ઉશ્કેરવામાં આવ્યા. મેં ક્યારેય પ્રદર્શનકારી વિદ્યાર્થીઓને રજાકાર નહોતા કહ્યા. કેવી રીતે કાવતરું થડાયું એ જોવું હોય તો તમે મારા બાંગ્લાદેશ માંજ રહી હોત તો વધાર ગોસા ભડક હોત અને વધુ મોત થયા હોત. તેથી મેં દેશ છોડવાનો કપરો નિર્ણવ લીધો. અવામી લીગના નેતાઓની હત્યા થઇ રહી છે અને કાર્યકરોને હેરાન કરવામાં આવી રહ્યા છે એ જાણીને મારું હૃદય દ્રવી ઊઠયું છે. હું જલદી પરત ફરીશ. અગાઉ જૂન, ૨૦૨૧માં પણ બાંગ્લા અખબારોમાં દાવો કરાયો હતો કે અમેરિકા બાંગ્લાદેશ પાસેથી સેન્ટ માર્ટિન ટાપુ માગી રહ્યું છે અને ત્યાં મિલિટરી બેઝ બનાવવા માગે છે. ત્યાર બાદ બાંગ્લાદેશ વર્કર્સ પાર્ટીના અધ્યક્ષ રશીદ ખાન મેનને સંસદમાં પણ કહ્યું કે અમેરિકા સેન્ટ માર્ટિન ટાપુ મેળવવા માગે છે અને બાંગ્લાદેશને કવાડનું સભ્ય બનવા દબાણ કરી રહ્યું છે. ગત વર્ષે જૂનમાં હસીનાએ કહ્યું હતું કે જો વિપક્ષી બાંગ્લાદેશ નેશનલ પાર્ટી સત્તા પર આવશે તો સેન્ટ માર્ટિન ટાપુ વેચી મારશે.
સેન્ટ માર્ટિન ટાપુ માત્ર ત્રણ ચો. કિ.મી છે.
નોબાંગ્લાદેશના રાજકારણમાં હંગામો મચાવનારો સેન્ટ માર્ટિન ટાપુ માત્ર ત્રણ યો. કિ.મી.નો છે અને મ્યાંમારથી ફક્ત પાંચ માઇલ દૂર છે. ત્યાં અંદાજે ૩,૭૦૦ લોકોની વસ્તી છે. તેઓ મુખ્યત્વે માછીમારી, ડાંગરની ખેતી, નાળિયેરની ખેતી અને દરિયાઇ શેવાળ કાપવાનું કામ કરે છે. અહીં થતા ચોખા અને નાળિયેરની મ્યાનમારમાં નિકાસ થાય છે. નાનો હોવા છતા ટાપુ વ્યુહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ છે.
બંગાળનો અખાત નજીક હોવાથી ટાપુ ખૂબ મહત્ત્વપૂર્ણ૧૯૭૧માં બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યા બાદથી સેન્ટ માર્ટિન ટાપુ દેશના રાજકારણ પર હાવી રહ્યો છે. તે બંગાળના અખાતથી નજીક હોવાના કારણે અને મ્યાંમાર સાથે દરિયાઇ સીમાને કારણે આ રા. સ્તરે ખાસ કરીને અમેરિકા અને ચીનની તેના તરફ રૂચિ વધી. બંને આ ક્ષેત્રમાં પોતાની ઉપસ્થિતિ મજબૂત કરવા પ્રયાસો કરતા રહ્યા છે. અમેરિકા સેન્ટ માર્ટિન ટાપુ પર કબજો એટલા માટે ઇચ્છે છે કે જેથી તે અહીં મિલિટરી બેઝ બનાવી ચીનને પડકારી શકે. આ ક્ષેત્રમાં અમેરિકી દળોની ઉપસ્થિતિ તેને ચીન પર વ્યુહાત્મક સરસાઈ મેળવવામાં મદદરૂપ થઈ શકે છે.
બ્રિટિશકાળમાં ટાપુભારતનો ભાગ હતો.
૧૯૩૭માં મ્યામારથી અલગથયા બાદ આ ટાપુ બ્રિટિશભારતનો હિસ્સો હતો. ૧૯૪૭માંભારતના ભાગલા પડયા બાદ તેપાકિસ્તાનના નિયંત્રણમાં ગયોઅને ૧૯૭૧ના મુક્તિ સંગ્રામબાદ બાંગ્લાદેશનો હિસ્સોબન્યો ૧૯૭૪માં બાંગ્લાદેશ-મ્યાંમાર વચ્ચે સમજૂતી થઇ કેઆ ટાપુ બાંગ્લાદેશી ક્ષેત્રનોહિસ્સો રહેશે. અમેરિકાક્ષેત્રમાં પોતાના અન્ન માટે ટાપુમેળવવા માંગે છે.
અમેરિકા કબજો કરવા માગે છે તે ટાપુનો ઇતિહાસ.
બંગાળની ખાડીમાં બાંગ્લાદેશનો એક માત્ર ટાપુ સેંટ માર્ટિન આવેલો છે. જેને અમેરિકાએ બાંગ્લાદેશ પાસેથી માગ્યો છે. આ સ્થળને કોકોનટ ટાપુ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યાં આશરે ચાર હજાર જેટલા લોકો રહે છે. ૧૮મી સદીમાં May Th આ ટાપુ વેપારનું કેન્દ્ર ગણાતો હતો. શરૂઆતમાં તેનું નામ ઝઝીરા રાખવામાં આવ્યું હતું. ૧૯૦૦માં એક બ્રિટિશ ભૂમિ સર્વેક્ષણ દળે સેંટ માર્ટિન ટાપુને બ્રિટિશ ભારતનો હિસ્સો જાહેર કર્યો હતો અને તેને ખ્રિસ્તી પાદરી સેંટ માર્ટિનનુ નામ આપ્યું હતું. એવા પણ રિપોર્ટ છે કે આ ટાપુનું નામ ચટગાંવના તત્કાલીન ડેપ્યુ. કમિશન માર્ટિનના નામે રાખવામાં આવ્યું છે. ૧૯૩૭માં મ્યાંમારથી અલગ થયા બાદ તે ભારતનો હિસ્સો બની ગયો, ૧૯૪૭માં વિભાજન સમયે તે પાકિસ્તાનનો હિસ્સો બન્યો, બાદમાં ૧૯૭૧માં બાંગ્લાદેશના હિસ્સામાં આવ્યો હતો. આ ટાપુની આસપાસ ચીન પણ પોતાનું પ્રભુત્વ જમાવવા માગે છે. જ્યારે ચીનને રોકવા માટે અમેરિકા પણ આ ટાપુ પર કબજો કરવા માગે છે.