Breaking
15 જૂન 2025, રવિ

રક્ષાબંધનને સ્પેશિયલ બનાવવા પરિવાર સાથે આ પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ શકો છો.

જયપુર .

જયપુર પિંક સિટી તરીકે ઓળખાય છે. આમેર કિલ્લો, નાહરગઢ કિલ્લો, હવા મહેલ અને જંતર મંતર જેવા ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈને રક્ષાબંધનની ઉજવણી કરો. જોહરી બજાર અને બાપુ બજારને એક્સપ્લોર કરો.

ભાઈ અને બહેનના તહેવાર રક્ષાબંધન આ વર્ષે ૧૯મી ઓગસ્ટે ઉજવવામાં આવશે તે સૌથી જાણીતો હિન્દુ તહેવારમાંનો એક છે. જો તમે આ દિવસને ખાસ બનાવવા માંગો છો તો તમે તમારી બહેન અને પરિવાર સાથે ભારતની આ જગ્યાએ મુલાકાત લઈ શકો છો.

મથુરા-વૃંદાવન કે દ્વારકાજો ભાઈઓ તેમની બહેનો સાથે રક્ષાબંધનની રજાઓ ગાળવા માંગતા હોય તો તેઓ મથુરા, વૃંદાવન કે દ્વારકા જઈ શકે છે. રક્ષાબંધનની ઉજવણી માટે આ સ્થળ શ્રેષ્ઠ છે. ભગવાન કૃષ્ણની ભૂમિ, બાંકે બિહારી મંદિર, ગોવર્ધન પર્વત, દ્વારકાધીશ મંદિર સહિત ઘણા પ્રાચીન કૃષ્ણ-રાધાના મંદિરો ખૂબ પવિત્ર અનુભૂતિ કરાવશે.

ઉદયપુરરાજસ્થાનનું એક સુંદર શહેર જેને લેક સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉદયપુર તેના શાંત લેક, આરસપહાણના મહેલો અને લીલાછમ બગીચાઓ માટે જાણીતું છે. તમે રક્ષાબંધન ઉજવવા માટે આવી સુંદર જગ્યા પર જઈ શકો છો. અહીં તમે તળાવ પર બોટ રાઈટ માટે જઈ શકો છો.

ભુજકચ્છની સાંસ્કૃતિક રાજધાની ભુજ એ એક શહેર છે જે ગુજરાતના સમૃદ્ધ વારસા અને કારીગરીનું સુંદર ઉદાહરણ છે. આ શહેરના મહેલો, સંગ્રહાલયો અને સ્થાનિક હસ્તકલા જેમ કે બાંધણી, ભરતકામ અને મિરર વર્ક માટે જાણીતું છે. ભુજના શાહી ઈતિહાસની ઝલક મેળવવા માટે આયના મહેલ, પ્રાગ મહેલ અને કચ્છ મ્યુઝિયમની મુલાકાત લો. અહીંના સ્થાનિક વ્યંજનો તમારા માટે યાદગાર સંભારણું બની રહેશે.

Leave a Reply