Breaking
15 જૂન 2025, રવિ

સર્વ જ્ઞાનમાંથી શાણા અને સમજુ માણસોઆત્મજ્ઞાનને પસંદ કરે છે,ધ્યાન ના ફાયદા,ધ્યાન નો અર્થ,ધ્યાન કેન્દ્રિત કરવાની રીત,ધ્યાન એટલે શું,ધ્યાન pdf,ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ,ધ્યાન યોગ,ધ્યાન ની વિવિધ પદ્ધતિઓ,ધ્યાન મુદ્રા,ધ્યાન કરવાની રીત,

સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે, જેટલું ધ્યાન કરશો તેટલો વિકાસ અને ધાર્મિક બાબતો મહત્ત્વની છે, તેથી આ ક્ષેત્રોમાં વિકાસ કરવાની બાબત પણ આપણા માટે પાયાની બાબત છે. ધ્યાન સાથે આપણું મન નજદીકીથી સંકળાયેલું છે. ધ્યાન એટલે આપણો અમનમાં પ્રવેશ. એક અર્થમાં અમન પણ મનનો જ વિસ્તાર છે. અમન એટલે અર્ધજાગ્રત મનનો વિસ્તાર.

અર્ધજાગ્રત મન આપણા જાગ્રત મન કરતાં અનેક ગણી વધુ શક્તિઓ ધરાવે છે. અમન એટલે આપણો આત્મા. ધ્યાનની અવસ્થામાં આપણે પરમાત્માની અપાર, અખૂટ અને અનંત શક્તિ આંશિકરૂપે પ્રાપ્ત કરીએ છીએ.

આ શક્તિઓને આપણે યોગિક શક્તિઓ તરીકે ઓળખીએ છીએ. જેમાં શરીરને સૂક્ષ્મ કરવાની શક્તિ, શરીરને હળવું કરવાની શક્તિ, શરીરને મોટું કરવાની શક્તિ, શરીરને ભારે કરવાની શક્તિ, ઈચ્છિત પદાર્થ પ્રાપ્ત કરવાની શક્તિ, ભૌતિક પદાર્થ સંબંધી ઈચ્છાની અનાયાસ પૂર્તિ, ભૌતિક પદાર્થો પર આધિપત્ય જેવી અન્ય શક્તિઓનો સમાવેશ થાય છે.

શેક્સપિયરે કહ્યું છે કે ‘સર્વ જ્ઞાનમાંથી શાણા અને સમજુ માણસો આત્મજ્ઞાનને પસંદ કરે છે.’ આત્મા આપણા સૌમાં બેઠેલી મહાસત્તા છે. તેના વિશેનું જ્ઞાન આપણને થવું જ જોઈએ. આત્મજ્ઞાન આત્માની અનુભૂતિ તરફ દોરી જાય છે, તેથી તે ઘણી ઊંચી અવસ્થા છે. આત્મજ્ઞાન સાથે આત્મબળ, આત્મશ્રદ્ધા, આત્મસંતોષ, સ્વયં શિસ્ત અને સ્વયં વિવેક વગેરે પણ સંકળાયેલાં છે. આત્મા સાથે જોડાયેલ આ બાબતો મોંઘેરાં રત્નો સમાન છે, પારસમણિ સમાન છે. તેમના સ્પર્શથી આખા જીવનને સોનેરી ઓપ આપી શકાય છે.

ધ્યાનમાં જેટલા ઊંડા ઊતરતા જઈએ તેટલો જીવનમાં સુખ- શાંતિનો વ્યાપ વધતો જાય છે. સંત કબીરે કહ્યું છે કે, ‘એક સાથે સબ સધે સબ સાધે સબ જાય; માલી સિંચે મૂલ કો ફૂલ ફલ આધાય.’ ધ્યાન માત્રને સાધવાથી બધી જ બાબતો તેમાં સમાવિષ્ટ થઈ જાય છે, તેમ તેમનું કહેવું છે. ધ્યાન આપણા આત્મા સાથે સંકળાયેલ છે.પરમાત્મા એટલે વૈશ્વિક શક્તિ જે સમગ્ર બ્રહ્માંડનુ સંચાલન કરે છે.

આપણા મગજમાં અબજો ન્યૂરોન આવેલા છે. આ ન્યૂરોન્સ પાસેઆપણા સંબંધોના વ્યાપમાં સમાવિષ્ટ બધા જ વિષયો અને ક્ષેત્રોનોહિસાબ અંકિત થયેલ હોય છે. આ ન્યૂરોન્સ સાથે આપણી પિનિયલગ્લેન્ડ જોડાયેલી છે. આ ગ્લેન્ડ સાથે આપણો આત્મા પણ જોડાયેલો છે.આપણે ધ્યાન કરીએ છીએ ત્યારે આપણો આત્મા એટલે અર્ધજાગ્રત મનસબળ બને છે. જેની અસર આપણા આભામંડળ પર પડે છે. તેથી તેનુંપ્રભાવ ક્ષેત્ર પ્રબળ બને છે.

આપણે જે વિષય પર ધ્યાન કેન્દ્રિત કરીએ. તેના પર વધતા ઓછા પ્રમાણમાં તેની અસર પહોંચે છે. જેને આપણે દુવા કહીએ છીએ.વિદ્યાર્થીઓ નિયમિત ધ્યાન કરે તો તેમની એકાગ્રતા વધે છે. યાદશક્તિનો વિકાસ થતાં તેઓ તેમના અભ્યાસના ક્ષેત્રમાં ઝળહળતું પરિણામ લાવી શકે છે. બધા જ વિષયોમાં તેમનો રસ કેળવાઈ અને જળવાઈ રહે છે. ઉત્તરોત્તર તેમના ભણવાના ક્ષેત્રમાં વિકાસ થતો રહે છે.

ધ્યાનથી વિદ્યાર્થી સંશોધનના ક્ષેત્રમાં પણ સરળતાથી સિદ્ધિ મેળવી શકે છે. જે વિષય પર તે સંશોધન કરવા માંગે છે, તેની જાણકારી તેના અર્ધજાગ્રત મનને પહેલાંથી હોય છે. તેથી જો જાગ્રત મન તેના અર્ધજાગ્રત મનને જરૂરી માહિતી યોગ્ય રીતે પહોંચાડે તો તેને ધાર્યું પરિણામ મળે છે. ધંધાકીય ક્ષેત્રમાં વ્યક્તિ મન શાંત રાખી વ્યવહાર કરતી રહે તો તેનો આગવો પ્રભાવ સામેની વ્યક્તિઓ પર પડે છે તેથી ધંધામાં ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે છે.

કયા ધંધામાં કઈ રીતે અને ક્યારે આગળ વધવું તેની સૂઝ અને સમજ ધ્યાની વ્યક્તિને સતત મળતી રહે છે. તેથી તેના ધંધામાં વણથંભ્યો વિકાસ થતો રહે છે, કારણ કે તેના અર્ધજાગ્રત મન પાસે બધી જ જાણકારી હોય છે. ધ્યાનથી તે પ્રબળ બને છે. જેટલી તેની પ્રબળતા વિશેષ તેટલો સફળતાનો વિકાસ વધુ ધ્યાનને કારણે ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રે વણથંભ્યો વિકાસ થતો રહે છે.

ધ્યાનને કારણે આગવી શિસ્ત, સૂઝ અને સમજ વિકાસ પામતી રહે છે. જેની નોંધ જાગ્રતમન પણ રાખે છે અને જરૂરી પ્રતિભાવરૂપે અર્ધજાગ્રત મન વધુ ને વધુ પ્રબળ બનતું રહે તે માટે સહજ રીતે સહયોગ આપતું જ રહે છે. જાગ્રત મન અને અર્ધજાગ્રત મન વચ્ચેની આ સમજૂતી વ્યક્તિને આધ્યાત્મિકતાનાં શિખરો સહેલાઈથી સર કરાવે છે. ભક્તિભાવનાં મૂળ ઊંડાં ને ઊંડા જતાં જવાને કારણે આત્માની અનુભૂતિ અને મોક્ષ તરફ ધીરી ગતિએ પણ મક્કમ રીતે પ્રગતિ થતી રહે છે.

ધ્યાનથી સરળતા, સૌમ્યતા અને સદ્ભાવનાનો વણથંભ્યો વિકાસથતો રહે છે. તેથી પરસ્પરના સામાજિક સંબંધો દેઢ અને સુમેળભર્યા બનેછે. આપણું જીવન સુખ-શાંતિભર્યું બની રહે છે એ જ આપણા જીવનમાટે આપણી સફળતા કે જેથી આપણા જીવનમાં સ્વર્ગ ઊતરી આવે.જીવનના દરેક ક્ષેત્રમાં સતત પ્રગતિ થતી રહે તે જ જીવનની સાચી સિદ્ધિ.ધ્યાનથી અંગત જીવન અને સામાજિક જીવન આનંદ, શાંતિ અને પ્રેમથીછવાયેલું રહે છે. અહંકાર નિર્મૂળ થઈ જતો હોઈ વ્યવહારમાં મીઠાશવધતી જાય છે. સંત કબીરે કહ્યું છે કે, ‘ઐસી બાની બોલિયે, મન કાઆપા ખોય; ઔરન કો શીતલ કરે આપહુ શીતલ હોય.’

Leave a Reply