Breaking
15 જૂન 2025, રવિ

સ્વાતંત્ર્યદિનની સાચી ઉજવણી કેવી રીતે કરી શકાય છે.સ્વતંત્રતા દિવસ સ્પીચ.આઝાદી પહેલાનું ભારત નિબંધ.સ્વતંત્રતા સેનાનીઓના નામ.ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ pdf.15 August 1947 day.15 August 2024.15 મી ઓગસ્ટ ચિત્ર.15 મી ઓગસ્ટ વિશે શાયરી.independence day 15 મી ઓગસ્ટ.15 મી ઓગસ્ટ speech.

પર્વતની તળેટીમ આવેલું એક નાનકડું શહેર તેનું નામ વિસનગર વિસનગર તેની ધાર્મિક પ્રતિભાને કારણે ખ્યાતિ પામેલું. અહીં એક શ્રીકૃષ્ણ રાધાનું વિશાળ મંદિર જે શ્રદ્ધાનું સ્થાનક બની ગયું હતું આ મંદિરમાં ચારધામન પ્રતિમાઓનું સ્થાપન પણ હતું. જે લોકો ચારધામની જાત્રા – કરી શકે તે બધા અહીં પૂજ કરતાં અને જાત્રા કર્યાને સંતોષ મેળવતા હતા.

મંદિરમ નાતજાતના, ઊંચનીચન ભેદભાવ વગર બધાને પ્રવેશ મળતો આ મંદિરમ અવારનવાર ભજનકીર્તન હવન, કથાપરાયણ વગેરે થતા, જેનો લાભ બધાને મળતો હતો.

એકવાર વિસનગરના શેટ ધનપતદાસ તેમના પરિવાર સાથે આલિશાન ગાડીમ બેસીને મંદિરે આવ્યા. આજે તેમના દીકરા આનંદનો જન્મદિવસ હતો. આજે તેમણે પોતાની નવી ગાડી છોડાવી હતી. શેઠ, શેઠાણી અને તેમનો પુત્ર આનંદ નવી ગાડીમાંથી ઉતરી મંદિરમાં પ્રવેશ્યાં. પ્રભુની પૂજા-આરતી કરી, પ્રસાદ ધરાવ્યો, પૂજારીને સારી એવી દક્ષિણા આપીને ત્રણેય ) મંદિરમાંથી બહાર આવ્યાં.

મંદિરના પગથિયા પાસે અનેક ભિખારી મીટ માંડીને બેઠા હતા. તેમને આટલા મોટા શેઠ પાસેથી ખૂબ લાભ થશે તેવી આશા હતી. બધા શેઠને તાકી રહ્યા. કેટલાક નાનાં નાનાં બાળભિખારી શેઠ પાસે હાથ લંબાવી ઊભા રહ્યાં.

એક નાનકડા ભિખારીએ શેઠનો કોટ ખેંચી હાથ લંબાવ્યો. શેઠ તાડૂક્યા, ‘હટ હટ… આધો જા… ભાન વગર ના … વળગી પડે છે… હટ…’સાબ બહુ ભૂખ લાગી છે.

‘આઘો રહે, અડકીશ નહીં ગંદા હાથે…” શેઠાણી તાડૂક્યાં.

‘મમ્મી, આમ ન કર. બિચારાને ભૂખ લાગી છે. આજે મારો બર્થ ડે છે. કંઈક આપને!’ આનંદે કેહ્યું.‘બર્થ ડે છે તો શું? આ મંદિરમાં પૂજા કરી, પ્રસાદ ચડાવ્યો.

પૂજારીને દક્ષિણા આપી તે શું ઓછું છે? વળી, રાત્રે પાર્ટી પણ રાખી છે. ચાલ અહીંથી…’ શેઠાણીએ આનંદનો હાથ ઝાલી આગળ ચાલવાનું શરૂ કર્યું.ત્રણેય આગળ વધ્યાં. ત્યાં જ ધનપતદાસને તેમના મિત્ર કેયુરશેઠ અને શેતલ શેઠાણી મળી ગયાં.

ચારેય વાતોએ વળગ્યાં. એટલામાં આનંદની નજર તેની શાળાના પ્યુન રઘુભાઈ પર પડી. રઘુભાઈ મંદિર પાસે બેઠેલા ગરીબોને લાડુ વહેંચી રહ્યા હતા. આનંદ તરત જ રઘુભાઈ પાસે પહોંચી ગયો અને બોલ્યો, ‘ગુડ મોર્નિંગ, રઘુ અંકલ!’રઘુભાઈએ સામે ‘ગુડ મોર્નિંગ, બેટા’ કહીને પ્રતિસાદ આપ્યો. ‘અંકલ, તમે આજે બધાને લાડુ કેમ આપો છો? તમારો બર્થ ડે છે?.

આનંદે પૂછયું. રઘુ અંકલ ખડખડાટ હસી પડયાઅને બોલ્યા, ‘બેટા, આજે મારોનહીં, આપણા ભારતમાતાની,આપણાં દેશનો બર્થ ડે છે.’ ‘આપણાં દેશનો બર્થ ડે તે કેવી રીતે?!

બેટા, ભૂલી ગયો? આજે સ્વાતંત્ર્ય દિન એટલે કે ૧૫મી ઓગષ્ટ છે.’’યસ, યસ… આજે મારો પણ બર્થ ડે છે.’ આનંદ બોલ્યો. ‘અંકલ, આપણા દેશનો બર્થ ડે… આ વાત અમે ઇતિહાસના ક્લાસમાં શીખ્યા છીએ, પણ તમે મને ફરીથી સમજાવોને!’

આનંદે આગ્રહભર્યા અવાજે કહ્યું.રઘુઅંકલ બોલ્યા, ‘બેટા, ભારતના ઈતિહાસમાં આજનો દિવસ સુવર્ણક્ષરે લખાયો છે.

આપણા કેટલાય શહીદોના બલિદાન બાદ ભારતની દોઢસો- બસ્સો વર્ષની ગુલામીની મજબૂત જંજીરો આ દિવસે તૂટી હતી. ૧૯૪૭માં ૧૫મી ઓગષ્ટે ભારતની ધરતી પર આઝાદીનો ધ્વજલહેરાયો હતો.

આ દિવસે શાળાઓ, કોલેજો, ઓફિસો, સરકારી કાર્યાલયોમાં ધ્વજવંદન થાય છે, અને પછી જાહેર રજા હોય છે. કેટલીક જગ્યાએ આઝાદીનાં દ્રશ્યો સાથે સરઘસ નીકળે છે. કેટલીક જગ્યાએ સામાજિક કાર્યકર્મોનું આયોજન થાય છે.

સાંજે સરકારી મકાનો પર રોશની થાય છે. રોશનીનો ઝગમગતો પ્રકાશ લોકોના દિલોમાં પ્રકાશ ભરાય છે. ‘જયહિંદ’ અને ‘ગાંધીજી કી જય’ નાદથી વાતાવરણ ગૂંજી ઉઠે છે. ઈતિહાસનો આ શુભ અને ગૌરવમય દિવસ છે.

આની પાછળ બાપુની તપસ્યા, જવાહરલાલનો ત્યાગ, સરદાર વલ્લભભાઈની મક્કમતા, સુભાષચંદ્ર બોઝ અને ભગતસિંહની કુરબાની રહેલી છે. આવા મહાનઅને અણમોલ દિવસને આપણે જેટલી ખુશીથી મનાવીએ તેટલો ઓછો છે. આજેઠેરઠેર મિઠાઈ પણ વહેંચાય છે.”અંકલ, એટલે આજે તમે બધાને લાડુ વહેચવા નીકળ્યા છો?’ આનંદે પૂછ્યું.’હા બેટા, આ શુભ દિવસે કોઈ પણ ગરીબ કે ભિખારી મિઠાઈ વગર ન રહે એમ હું માનું છું”રઘુ અંકલ, મને તમારી આ વાતો બહુ ગમી…’

આટલું બોલી આનંદ પોતાનાં માતા-પિતા પાસે પહોંચી ગયો, પરંતુ તેના મનમાં રઘુ અંકલની વાતો ઘુમરાતી હતી.સાંજ પડી. આનંદની બર્થ ડેપાર્ટી હતી એટલે તેનો મિત્રો અરમાન, ધ્વનિલ, શિવમ્, અર્શ, તનય તથા મનસ્વી, પ્રિયાંશી, મૈત્રી બધાં જાતજાતની ભેટસોગાદલઈને આવી પહોંચ્યાં.

બર્થ ડે પાર્ટી માટે મિઠાઈ-નાસ્તાનાં બોક્સ તૈયાર હતાં. રસોડામાં આનંદની બહેનો વિશાખા અને નિધિ ડીનરની તૈયારી કરાવી રહી હતી.આનંદ આજે રઘુ અંકલના માર્ગે ચાલવા માગતો હતો. તેણે પોતાના મિત્ર વર્તુળને પોતાની યોજના સમજાવી. ઘરના પાછલા બારણેથી બધા મિત્રો મિઠાઈ અને નાસ્તાનાં બોક્સ લઈ બહાર નીકળ્યા. તેમણે તે બધાં બોક્સ ધ્વનિલની ગાડીમાં ગોઠવ્યાં. ડ્રાઈવર એમની સાથે હતો.

યોજના અનુસાર બધી મિઠાઈમાંથી અમુક ભાગ અનાથાશ્રમમાં અને બાકીનો ભાગ મંદિર પાસે બેઠેલા ભિખારીઓમાં વહેંચી દીધો. આવું ઉત્તમ કાર્ય કરવાથી બાળકો ખુશ-ખુશ થતાં આનંદને ત્યાં પાછા આવ્યા.રસ્તામાં અરમાન બોલ્યો, ‘આપણે બધા તહેવારોમાં, શુભ પ્રસંગોમાં, પાર્ટીમાં સગાવ્હાલાના પેટ ભરીએ છીએ, પણ ક્યારેય ગરીબોનો વિચાર કરતાં જ નથી.”‘સાવ સાચું. આપણને તો આપણા ફ્રેન્ડ-સર્કલમાં જ રસ છે. આજે આનંદે આપણને એક બહુ સરસ વાત સમજાવી છે’ ધ્વનિલ અને શિવમ્ બોલ્યો.

જ્યારે આખી હકીકતની જાણ આનંદનાં માતા-પિતાને થઈ ત્યારે તેઓ રાતા-પીળા થઈ ગયાં. પાર્ટીમાં હાજર રહેલો જિનેન્દ્ર અંકલે તેમને શાંત પાડતાં કહ્યું, “અરે, આ તો બહુ ગર્વની વાત છે કે તારા દીકરાએ પોતાના અને દેશના બર્થ ડેની ખુશીમાં આવું ઉત્તમ કામ કર્યું છે.

આપણે તો તેમને આવા સારાં કાર્યો કરવા બદલ બાળકોને શાબાશી આપવી જોઈએ અને માર્ગદર્શન પણઆપવું જોઈએ.’ ‘બિલકુલ સાચું કહ્યું તમે, જિનેન્દ્ર અંકલ. મારાં મમ્મી- પપ્પા થોડાં ચિંગુસ છે ચિંગુસ…’ વિશાખા બોલી.આ વાત સાંભળી બધા હસી પડયા. ‘આનંદ તારો બર્થ ડે એકલા આપણે જ નહીં, પરંતુ આખો દેશ પણ સાથેસાથે ઉજવી રહ્યો છે. સાચું ને?’ જિનેન્દ્ર અંકલે આનંદને આશીષ આપતાં કહ્યું.બાળ વાંચકો, જીવનમાં તહેવારો, શુભ પ્રસંગો, પાર્ટીઓ તો આવ્યા જ કરે છે. આપણે બધાએ પ્રસંગનો આનંદ બધામાં વહેચતા શીખવું જોઈએ. ભારતમાતા કી જય…. વંદે માતરમ્…

Leave a Reply