Breaking
15 જૂન 2025, રવિ

ratneshwar mahadev dayal,ratneshwar mahadev temple history,ratneshwar mahadev mandir story,ratneshwar mahadev varanasi,ratneshwar mahadev mahuva,ratneshwar mahadev kashi,ratneshwar mahadev temple curse,ratneshwar mahadev temple varanasi uttar pradesh,ratneshwar mahadev temple karachi,ratneshwar mahadev temple story

આપણે રજા ના દિવસો માં ફરવા જવાનું વિચારતા હોય એ છીએ, એમાંય ખાસ કરીને શ્રાવણ મહિનાની અંદર આપડે ભગવાન શિવ ના દર્શન કરવા માટે શિવલિંગનું પૂજન કરવા જઈ છીએ. અને મહાદેવ ના મદિરે દર્શન કરવા જતા હોય છે,તો આજે આપણે એક એવા સ્થળ ની મુલાકાત લેવા જેવી છે, કે ભગવાન શિવ અહી બિરાજ માન છે.

મહુવા તાલુકાના દયાળ ગામે દરિયા કિનારે આવેલું પ્રાચીન મહાદેવનું નું મંદિર આવેલુ છે. અહી મહાદેવ ના મંદિર ના પાશળ ના ભાગ મા દરિયા ની અદર એક મોટી ગુફા આવેલી છે,અહી ગુફાની અંદર પાસ પાડવો દ્વારા મહાદેવ ની સ્થાપના કરવામાં આવેલી છે,

સોરઠને ઉગમણે કીનારે ભાવનગર જિલ્લાનાં મહુવા તાલુકાના દયાળ ગામે આવેલું એક નેસીર્ગીક સ્થાનમાં અરબી સમુદનાં કિનારે ભાઠોડે પત્થરની ભેખડમાં પૂથ્વીનું પેટાળ ભેદી ભેડીને કિનારાનાં સ્થાન પર આવેલ ગુફાની અંદરના ભાગમાં રત્નેશ્વર મહાદેવનું પ્રાચિન શિવલીંગ આવેલ છે.

આ ઐતાહાસિક ગુઠામાં અમરનાથ મહાદેવની ગુઠાની જેમ બે કબુતરોની જોડી જોવા મળે છે. આ ગુફામાં પ્રવેશતા અમરનાથ મહાદેવની ગુફા હોપ તેવી પ્રતીતી થાય છે. આ રત્નેશ્વર મહાદેવની સ્થાપનાં પાંડવોએ કરી હોવાની લોકવાયકાપણ મંદિર સાથે જોડાયેલી છે.

રસ્તનેશ્વર મહાદેવની આ અલૌકીક ગુફા જાણે અરબી સમુદ્રના પોતાના મોજારૂપી હાથ વડે કંડારીને બનાવી હોય તેવી અનુભુતીનાં દર્શન થાય છે. આ ગુફાની લંબાઈ બાશરે ૬૫ ફુટ જેટલી અને ગુફાના પ્રવેશ ધ્વારની ઉંચાઈ લગભગ ૧૫ થી ૧૮ ફુટની છે.

આ રાનેશ્વર મહાદેવની ગુફામાં વસતા ને પાછા ઉલેચાના સાગરના જળ નિહાળતા કાચા હૈયા થરથરી ઉઠે છે. સાગરની ભરતી દ્વારા દિવસમાં બે વખત શિવલીંગ પર જલાભિષેક થાય છે. જે કુદરતી અકલ્પનીય અલૌકિક ઘટના છે. સમુદ્રની ભરતી વખતે ગુકાનાં મુખ ઉપર કુદરતી રીતે પાણીનો ફુવારો થાય છે. જયારે કુવારા પર સુર્યનાં કિરણો પડે છે ત્યારે સુવર્ણ મેઘધનુષ્ય જેવુ અદભુત તેમજ આહલાદક દશ્ય આકાર પામે છે.

રત્નેશ્વર મહાદેવન ગુકાની ઉગમણી પૂર્વ બાજુએ પહેલાનાં સમયમાં દરિયા મારફતે સ્કતપિતિયા માણસો એ જળ સમાધિ લીધેલ છે. તે લોકોની બે દેરીઓ ઉપરનાં ભાગે આવેલી છે.દયાળ ગામનાં રક્તપિતથી પિડાતા ઉજમ માને ગામ લોકોએ જળ સમાથી આપી હતી. પરંતુ તેમાંથી બચાવી પરમ પુજય સંત શ્રીદેવીદાસ પરબનીવાવ લઈ ગયેલા અને તેમનાં અંતિમ સમય સુધી તેમની સેવા કરી હતી.

પ્રાચિન ઇતિહાસની વાતો પરથી ગામની સ્થાપના વિશેની માહિતી જાણતા સિધ્ધરાજ સોલંકીના સમયે સિહોરમાં બ્રહ્મકુંડની સ્થાપના થયેલ તે સમયે બે પક્ષા વિધિમાં બે બ્રાહ્મણ ભાઈમો દયાળજી ખોખાજી તથા વિરાજી ખોખાજી મહેતા આવેલ હતા. માટે રાજાએ આ બંને ભાઈઓને દયાળ ગામની જમીન અર્પણ કરેલ તે સ્થળે ગામની સ્થાપના થયેલ અને દયાળજી મહેતાના નામ પરથી ગામનું નામ દયાળ રાખેલ હશે તેમ માનવામાં આવે છે. ગુફાની બહાર જમીન પર બે પ્રાચિન શિવલીંગ આવેલ છે. જેની સ્થાપનાં દયાળજી મહેતાએ કરી છે. રત્નેશ્વર મહાદેવનો ભાઠોડા સહિતનો આખો વિસ્તાર રતનગઢ તરીકે ઓળખાય છે. અને આ રતનગઢનો વિસ્તાર સિધ્ધક્ષેત્ર મનાય છે.

પિતૃઓનાં મોક્ષ માટે પ્રભાસ પાટણ જેવું મહત્વ આ સ્થળ ધરાવે છે. કુલ પધરાવવાથી પિત્રુઓને મોક્ષ મળે તેવુ આ પાવનકારી પવિત્ર સ્થળ મનાય છે. અહીં શ્રાવણ માસમાં લોકો શિવલીંગનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે.

શ્રાવણ માસનાં દર સોમવારે ૧૨ કલાકે દિપમાળાનું આયોજન થાય છે. જયારે જન્માષ્ટમી અને ભાદરવી અમાસનાં દિવસે અહીં લોકમેળો પણ ભરાય છે. દિવાળીનાં તહેવારનાં દિવસોમાં ભારે ધસારો જોવા મળે છે. ઉપરાત વિધાર્થીના વેકેશન પ્રવાસો ચાલુ રહે છે.જે રીતે ટટુ પર બેસીને અમરનાથ યાત્રા કરવામાં તેની તસ્વીરો જોઈને દર્શન કરવામાં સાચી મજા નથી.

એજ રીતે અહીં પણ ઉપરથી દર્શન કરવા કરતા ઓટ સમયે અલૌકિક વાતાવરણ વચ્ચે ગુફામાં પહોંચીને આ પૌરાણીક રત્નેશ્વર મહાદેવનાં દર્શન કરવાનો સોએ લહાવો લેવા જેવો છે. ગુફામાં રતનેશ્વર મહાદેવનાં દર્શન કરવા માટે તીથી વદ અને સુદનાં નિયત સમયે જ દર્શન કરી શકાય છે. અત્રે આપ ધાર્મિક દ્રષ્ટિએ આવો કે, પાછી એડવેંચર ટ્રીપ તરીકે આપને ખુશીની અનુભુતી થાય છે.

રતનેસ્વર કઈ રીતે જઇ શકો.

રાજકોટ થી દયાળ ૨૨૮ કિલોમીટર,અમદાવાદ થી દયાલ – ૨૫૮ કિલોમીટર,ભાવનગર થી દયાળ – ૮૬ કિલોમીટર જેટલુંઅંતર થાય છે. ખાનગી વાહન દ્વારા પણ દયાળગામે પહોંચી શકાય છે.

Leave a Reply