Breaking
15 જૂન 2025, રવિ

ચીનમાં ચક્રીય યાંગો વાવાઝોડાંથી ભારત અને ગુજરાત ના વિસ્તારો માં થશે ભારે વરસાદ, ગુજરાત માં આવનારા દિવસોમાં હજી રેડ એલર્ટ, ભારે વરસાદ ની આગાહી

ગોહિલવાડને ભાદરવી ના સરવડાં ફળ્યાં છે. શ્રાવણ મહિનાના અંતિમ દિવસોમાં શહેર અને જિલ્લામાં| સારો વરસાદ પડ્યો છે. હવે ભાદરવો પણ ભરપુર રહેવાનો હોય તેમ ગઈકાલે મોડી રાત્રિના જેસર અને ગારિયાધાર પંથકમાં વરસાદી માહોલ રહ્યા બાદ આજે સવારે વરસાદે વિરામ લીધો હતો. પરંતુ બપોર બાદ ફરી મેઘરાજાની નવી ઈનિંગ શરૂ થઈ હતી.

શહેર-જિલ્લામાં આજે સતત ત્રીજા દિવસે બપોર પછી વરસાદી માહોલ રહ્યો હતો. છેલ્લા ૨૪ કલાકમાં જિલ્લાના ૬ તાલુકાઓમાં મધ્યમથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં ઉમરાળા અને તળાજા પંથક સારો વરસાદ નોંધાયો છે, આ બંને તાલુકાઓમાં આજે અર્ધો ઈંચ વરસાદ નોંધાયો છે.

મંગળવારે મોડી રાત્રિએ જેસર અને ગારિયાધારમાં વરસાદી માહોલ રહ્યોઃ છેલ્લા ૨૪ કલાકમાં જિલ્લાના ૬ તાલુકાઓમાં સામાન્ય વરસાદ, ૨૪ કલાકમાં શહેરનું તાપમાન ૨.૫ ડિગ્રી ઉંચકાયું, બપોર બાદ વરસાદ વરસતા ઠંડક પ્રસરી.

શ્રવાણ મહિનાના અંતિમ દિવસોમાં ભાવનગર શહેર અને જિલ્લામાં સારો વરસાદ વરસ્યો છે. હવે ભાદરવો પણ ભરપુર રહેવાનો હોય તેમ ગઈકાલે ભાવનગર શહેર ઉપરાંત જિલ્લામાં સારા વરસાદ બાદ મોડી રાત્રીના ૧૦ થી ૨ કલાકના સમયગાળામાં જિલ્લાના તળાજા અને ગારિયાધારમાં વરસાદી માહોલ રહ્યો હતો.

જેમાં તળાજામાં ૧૭ મિ.મી. અને ગારિયાધારમાં ૭ મિ.મી. વરસાદ વરસ્યો હતો. ગઈકાલના વરસાદી માહોલ બાદ આજે સવારના સમયે મેઘરાજાએ વિરામ લીધો હતો પરંતુ બપોર બાદ ફરી મેઘરાજાની નવી ઈનિંગ શરૂ થઈ હતી. શહેર-જિલ્લામાં આજે સતત ત્રીજા દિવસે બપોર પછી વરસાદી માહોલ રહ્યો હતો.

ગઈકાલે રાત્રિના ૧૦ થી આજે રાત્રિના ૧૦ કલાક સુધીના ૨૪ કલાકના સમયગાળામાં જિલ્લાના ૬ તાલુકાઓમાં વરસાદી માહોલ રહ્યો છે. શહેરમાં સવારથી મેઘરાજાએ વિરામ લેતા અને તડકો નિકળતા દિવસનું તાપમાન ૨.૫ ડિગ્રી ઉંચકાઈને ૩૩.૯ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે રાત્રિનું તાપમાન ૦.૩ ડિગ્રી ઘટીને ૨૫.૩ ડિગ્રી નોંધાયું હતું. જોકે ભાવનગર શહેરમાં આજે બપોર પછી એક ધોધમાર વરસાદી ઝાપટું વરસી જતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

આજે પવનની ઝડપ ૮ કિમી પ્રતિકલાકની રહી. હતી જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૮૬ ટકા નોંધાયું હતું. જિલ્લા કંટ્રોલરૂમ પ્રમાણે ભાવનગર શહેરમાં આજે ૩ મિ.મી. તથા ભાવનગર એરપોર્ટ ખાતે આજે પાંચ મિ.મી. વરસાદ નોંધાયો છે. ઉપરાંત જિલ્લાના ઉમરાળા અને તળાજા પંથક સારો વરસાદ નોંધાયો છે, જેમાં ઉમરાળા અને તળાજામાં અર્ધો ઈંચ વરસાદ વરસ્યો હતો.

ઉપરાંત વલ્લભીપુરમાં ૨ મિ.મી. તથા થોથામાં ૧ મિ.મી. વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી દિવસોમાં ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જિલ્લામાં વરસાદી માહોલના પગલે જળાશયોમાં નવા નીર આવી રહ્યાં છે. ભાવનગરની જીવાદોરી શેત્રુંજી ડેમમાં આજે પાણીની આવક ઘટી છે. શેત્રુંજી ડેમમાં હાલ ૪૦૦ રૂ છે અને ડેમની ક્યૂસેક પાણીની આવક શરૂ છે. સપાટી ૨૭ ફૂટ ૪ ઈંચે પહોંચી છે.

તળાજામાં વૃક્ષ ધરાશાયી થતા ગોપનાથ રોડ બંધ

તળાજા પંથકમાં છેલ્લા ઘણાં દિવસોથી વરસાદી માહોલ રહ્યો છે. જેને લઈને તળાજાના લક્ષ્મીનગર પાસે એક મોટું વૃક્ષ ધરાશયી થઈ જતાં ગોપનાથ જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. માર્ગ બંધ થવાના કારણે આજુબાજુના ગામડાના અનેક લોકો અધવચ્ચે જ અટવાયા હતા. જોકે નગરપાલિકાની ટીમ સ્થળ પર આવી માર્ગ ખુલ્લો કરતા વાહન વ્યવહાર પુનઃસ્થાપિત થયો હતો.

તળાજી નદી પરનો પુલ તૂટ્યાની અફવાથી તંત્ર દોડતું થયું.

તળાજા શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદને પગલે શરૂ સિઝનમાં તળાજી નદી પ્રથમવાર બે કાંઠે વહેતી થઈ હતી. તળાજા પંથકમાં ગઈકાલે અને આજે એમ બે દિવસ વરસાદી માહોલ રહ્યો છે. વરસાદી માહોલ વચ્ચે ગત રાત્રિના તળાજી નદી પરનો કોલેજ જવાના રસ્તાપરનો બેઠલો પુલ તૂટ્યાની અફવા સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તંત્ર ધંધે લાગ્યું હતું. જોકે પુલ તુટ્યોની વાત માત્ર અફવા હોવાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. બીજી તરફ ગઈકાલના વરસાદને પગલે પાવઠી રોડ પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી હતી.

Leave a Reply