
શ્રાદ્ધનાં વિવિધ સ્વરૂપ.
શ્રાદ્ધ વિવિધ પ્રકારનાં હોય છે. તે અંગેનો ખ્યાલ પુરાણો, સ્મૃતિઓ દ્વારા મળે છે. મનુસ્મૃતિમાં ત્રણ પ્રકારનાં શ્રાદ્ધ જણાવાયાં છે, જેને નિત્ય, નમિત્તિક તથા કામ્યના નામથી ઓળખવામાં આવે છે. યમસ્મૃતિમાં પાંચ પ્રકારનાં શ્રાદ્ધનું વર્ણન કરવામાં આવ્યું છે, જેને નિત્ય, નૈમિત્તિક, કામ્ય, વૃદ્ધિ અને પાર્વણના નામથી ઓળખવામાં આવે છે. દર્શાવેલ ત્રણ શ્રાદ્ધ આ મુજબ છે.
નિત્ય શ્રાદ્ધ
નિત્ય નો અર્થ થાય છે પ્રતિદિન કે દરરોજ. દરરોજ કરવામાં આવતા શ્રાદ્ધને નિત્ય શ્રાદ્ધ કહેવામાં આવે છે. અસમર્ભાવસ્થામાં માત્ર જળ દ્વારા પણ આ શ્રાદ્ધને સંપન્ન કરી શકાય છે.
નૈમિત્તિક શ્રાદ્ધ
નૈમિત્તિક શ્રાદ્ધ કોઈને નિમિત્તે બનાવીને જે શ્રાહ કરવામાં આવે છે તેને નૈમિત્તિક ગ્રાદ્ધ કહેવામાં આવે છે. તેને એકોડિષ્ટના નામથી પણ ઓળખવામાં આવે છે. એકોડિષ્ટનો અર્થ થાય છે કોઈ એકને નિમિત્ત માનીને કરવામાં આવતું શ્રાદ્ધ. જેમ કે, કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે દસમું, અગિયારમું વગેરે એકોદિષ્ટ શ્રાદ્ધ હેઠળ આવે છે.
કામ્ય શ્રાદ્ધ
કોઈ કામનાની પૂર્તિ માટે જે શ્રાદ્ધ કરવામાં આવે છે તે શ્રાદ્ધ અંતર્ગત આવે છે.કામ્ય શ્રાદ્વૈર્નવતિશ્વપટ્-ધર્મસિંન્યુ અનુસાર શ્રાદ્ધના ૯૬ અવસરો જણાવાયા છે.
શ્રાદ્ધ સંસ્કાર
કાયાની સમાપ્તિ પછી પણ જીવનયાત્રા રોકાતી નથી. આગળનો ક્રમ યોગ્ય દિશામાં ચાલતો જ રહે છે. તેને કારણે મરણોત્તર સંસ્કાર કરવામાં આવે છે. મરણોત્તર સંસ્કાર દ્વારા પોતાની આ ક્ષમતા મુજબ પિતૃઓને સદ્ગતિ આપવા અને આશીર્વાદ મેળવવા માટે આ ક્રમને આગળ વધારવામાં આવ્યો છે. હિન્દુ સંસ્કૃતિમાં જણાવાયું છે કે મૃત્યુની સાથે કોઈ વ્યક્તિના જીવનની સમાપ્તિ થતી નથી, કારણ કે અનંત જીવનશૃંખલાની એક કડી મૃત્યુ પણ છે. આથી સંસ્કારોના ક્રમમાં જીવની આ સ્થિતિનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પિતૃઓ જ્યારે એક જીવન પૂર્ણ કરીને બીજા જીવન માટે આગળ વધે છે ત્યારે એવી કામના કરવામાં આવે છે કે પિતૃઓને મળનારું જીવન વધારે સુસંસ્કારવાન બને. આ નિમિત્તે કર્મકાંડ કરવામાં આવે છે. તેનો લાભ જીવાત્માને ક્રિયા- કર્મ કરનારની શ્રદ્ધાના માધ્યમથી મળે છે. આથી શ્રાદ્ધ કરતી વખતે પણ શ્રદ્ધા ખૂબ જ જરૂરી છે.
ગયા નું શ્રાદ્ધ આપણા દેશમાં ગાય નામના સ્થાન પર કરવામાંઆવેલ શ્રાદ્ધને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ જગ્યા વર્તમાન બિહારમાં સ્થિત છે. ગયા વિસ્તારમાં જો બ્રહ્મસાર, ગયાશીર્ષવટ તથા ધર્મપુષ્ઠ નામનાં તીર્થોમાં પિતૃઓનું પિંડદાન કરવામાં આવે છે. આ તીર્થોના માર્ગમાં પગ મૂકતાંની સાથે જ નરકમાં રહેલા પિતૃઓને પણ તરત જ સ્વર્ગમાં પહોંચાડી દે છે. તેના ફળમાં કોઈ પ્રેત બનતું નથી. એવું માનવામાં આવે છે કે ગયામાં પિંડદાન કરવાથી મોટું બીજું કોઈ દાન નથી. ગયામાં પિંડદાન કરવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
સર્વપિતૃ અમાવસ્યા.
પિતૃષક્ષની અમાસને સર્વપિતૃ અમાવસ્યા (અમાસ) કહેવામાં આવે છે. આ તિથિએ કુળના સમસ્ત પિતૃઓને ઉદેશીને શ્રાદ્ધ કરવામાં આવે છે. વર્ષમાં હંમેશાં તથા પિતૃપક્ષની અન્ય તિથિઓએ શ્રાદ્ધ કરવું કોઈ રીતે શક્ય ન હોય ત્યારે આ તિથિએ બધા માટે શ્રાદ્ધ કરવું ખૂબ જ જરૂરી છે, કારણ કે પિતૃપક્ષની આ છેલ્લી તિથિ હોય છે. આ જ પ્રમાણે શાસ્ત્રોમાં પણ જણાવાયું છે કે શ્રાદ્ધ કરવા માટે અમાસ તિથિ વધારે યોગ્ય છે. જયારે પિતૃપક્ષની અમાસ સૌથી વધારે યોગ્ય તિથિ છે. ભાદરવા મહિનાના વદ પક્ષને પિતૃપક્ષ કહેવામાં આવે છે. પિતૃપક્ષની કાળવધિમાં પિતૃઓ પૃથ્વીની નજીક આવે છે. આ અતૃપ્ત આત્માઓ એટલે કે પિતૃઓને શાંત કરવા માટે આ કાળમાં શ્રાદ્ધની વિધિ કરવામાં આવે છે. આ પક્ષમાં પિતૃઓનું મહાલય શ્રાદ્ધ કરવાથી તેઓ આખું વર્ષ તૃપ્ત રહે છે.
માતામહ શ્રાદ્ધ.
માતામહ શ્રાદ્ધ એક એવું શ્રાદ્ધ છે, જે એક પુત્રી દ્વારા પિતાને તથા એક નાતી (પુત્રીનો પુત્ર) દ્વારા પોતાના નાનાને તર્પણ કરવામાં આવે છે. આ શ્રાદ્ધને સુખ- શાંતિનું પ્રતીક માનવામાં આવે છે, કારણ કે આ શ્રાદ્ધને કરવા માટેની કેટલીક જરૂરી શરતો હોય છે. જો તે પૂરી ન થાય તો શ્રાદ્ધ પહોંચતું નથી. માતામહ શ્રાદ્ધ એવી સ્ત્રીના પિતાનું થઈ શકે છે જેનો પતિ અથવા પુત્ર જીવિત હોય. જો આવું ન હોય અને બંનેમાંથી કોઈ એકનું નિધન થયું હોય અથવા હોય જ નહીં તો માતામહ શ્રાદ્ધનું તર્પણ કરી શકાતું નથી. એવું માનવામાં આવે છે કે માતામહ શ્રાદ્ધ પરિવારના સુખ તથા શાંતિ અને સંપન્નતાની નિશાની છે. અહીં સૌથી મહત્ત્વની વાત એ છે કે એક વ્યક્તિ પોતાના જીવનકાળમાં પોતાની દીકરીના ઘરનું પાણી પણ પીતો નથી અને તેને વિવર્જત માનવામાં આવે છે, પરંતુ મૃત્યુ બાદ તેનું તર્પણ દોહિત્ર કરી શકે છે અને તેને શાસ્ત્રોક્તમાનવામાં આવે છે.
શ્રાદ્ધ સરાવવામાં કાગડો શા માટે?
માનવામાં આવે છે કે વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેસૌથી પહેલાં કાગડાનો જન્મ લે છે. એવી પણ માન્યતાછે કે કાગડાઓને ખાવાનું ખવડાવવાથી પિતૃઓને ખાવાનું પહોંચે છે. આ જ કારણ છે કે શ્રાદ્ધ પક્ષમાં કાગડાઓ ન્વિશેષ મહત્ત્વ છે અને દરેક શ્રાદ્ધ દરમિયાન પિતૃઓર્ને જમાડવા માટે સૌથી પહેલા કાગડાઓને ખવડાવવામાં આવે છે. જે વ્યક્તિ શ્રાદ્ધ કર્મ કરી રહી છે તે એક થાળીમાં બધી જ વાનગીઓ અને ખાસ કરીને ખીર પીરસે છે અને પોતાના ઘરની છત પર જાય છે. ત્યાં જઈને કાગવાસ બોલીને કાગડાઓને બોલાવે છે. જ્યારે કાગડા આવી જાય છે ત્યારે તેમને ખીર-પૂરી પરોસવામાં આવે છે. જ્યારે કાગડો છત પર આવીને ખાય છે ત્યારે એવું માનવામાં આવે છે કે જે પૂર્વજનું શ્રાદ્ધ છે તે પ્રસન્ન છે તેથી ખાવામાટે આવ્યા છે. કાગડો ન આવે અથવા ઘણા સમય પછીઆવે તો એવું માનવામાં આવે છે કે પિતૃઓ નારાજ છેને પછી તેમને રાજી કરવાના ઉપાય કરવામાં આવે છે.જયાં સુધી કાગડો ખાતો નથી ત્યાં સુધી વ્યક્તિના મનનેપ્રસન્નતા કે સં સતોષ મળતો નથી. આ રીતે શ્રાદ્ધ પક્ષમાંકાગડાઓને આટલું મહત્ત્વ મળવાને કારણે મજા પડીજાય છે.
શ્રાદ્ધ વિશે શાસ્ત્રો શું કહે છે?
બીજા કોઈની ભૂમિ પર શ્રાદ્ધ ન કરવું જોઈએ. પુણ્યતીર્થ, જંગલ, પર્વત અને દેવમંદિર તેં બીજાની ભૂમિ ન કહેવાય, કારણ કે તેના પર કોઈનું સ્વામિત્વ નથી હોતું.- કૂર્મપુરાણ
• શ્રાદ્ધમાં પિતૃઓની તૃપ્તિ બ્રાહ્મણો દ્વારા જ થાય છે…..
• શ્રાદ્ધમાં પહેલાં અગ્નિને ભાગ અર્પિત કરવામાં આવે છે. અગ્નિમાં હવન કર્યા પછી જે પિતૃઓને નિમિત્તે પિંડદાન કરવામાં આવે છે તેને બ્રહ્મરાક્ષસ દૂષિત કરતા નથી….. મહાભારત
જે અજ્ઞાની મનુષ્ય પોતાના ઘરે શ્રાદ્ધ કરીને પછી બીજા કોઈના ઘરે ભોજન કરે છે તે પાપનો ભાગી બને છે અને તેને શ્રાદ્ધનું ફળ મળતું નથી……..સ્કન્દપુરા
• વસ્ત્ર વગર કોઈ ક્રિયા, યજ્ઞ, વેદાધ્યયન અને તપસ્યા થતી નથી. આથી શ્રાદ્ધકાળમાં વસ્ત્રનું દાન કરવું જોઈએ….. બ્રહ્મપુરાણ
શ્રાદ્ધ અને હવનના સમયે એક હાથથી પિંડ તથા આહુતિ આપી શકો, પરંતુ તર્પણમાં બંને હાથથી જળ આપવું (અર્પણ) જોઈએ. – પદ્મપુરાણ, નારદપુરાણ, લઘુયમસ્મૃતિ,મત્સ્યપુરાણ, બ્રહ્મપુરાણ.
પિતૃદોષનો શ્રેષ્ઠ ઉપાય
જેની જન્મકુંડળીમાં દસમા ઘરમાં સૂર્ય-રાહુ સાથે હોય તો તેમાં પિતૃદોષ માનવામાં આવે છે, જ્યારે ચોથા ઘરમાં હોય તો માતૃદોષ, બીજા ઘરમાં હોય તો કુટુંબીજનોનો દોષ માનવામાં આવે છે. સામાન્ય રીતે સૂર્ય-રાહુ સાથે હોય ત્યારે પિતૃદોષ સમજવામાં આવે છે. આથી પિતૃઓની આત્મશાંતિ તથા તૃપ્તિ માટે શ્રાદ્ધપક્ષને માન્યતા મળી છે. શ્રાદ્ધપક્ષમાં પિતૃઓની તિથિ અનુસાર શ્રાદ્ધ કરવામાં આવે છે.કોઈ કારણસર જ પિતૃઓની તિથિની જાણ ન હોય અથવા તેમનું સ્મરણ ન હોય અથવા પૂર્વજન્મમાં કોઈ ત્રુટિ રહી ગઈ હોય તો શ્રાદ્ધપક્ષમાં જ આવતી સર્વપિતુ અમાસના દિવસે પિતૃઓની રુચિ અનુસાર (ખીર-પુરી) બનાવો અને તેમાંથી થોડુંક લઈને તેમનું સ્મરણ કરીને કાગડાઓને વાસ નાખો, ત્યારબાદ બનાવેલા ભોજનને જમો. આમ કરવાથી પિતૃઓ તૃપ્ત થશે અને સુખ-સમૃદ્ધિ વધશે.
શ્રાદ્ધના પ્રકાર.
નિત્ય શ્રાદ્ધદરરોજ શ્રદ્ધા તથા વિશ્વાસપૂર્વક કરવામાં આવતાં દેવપૂજ-પિતા તથા ગુરુજનોનાં પૂજનને નિત્ય શ્રાદ્ર કહેવામાં આવે છે.
• કામ્ય શ્રાદ્ધ- કોઈ કામનાની પૂર્તિ માટે કરવામાં આવતું શ્રાદ્ધ.
• વૃદ્ધ શ્રાદ્ધ-વિવાહ કે અન્ય પ્રસંગે ઘરના વડીલો કે પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે કરવામાં આવતું શ્રાદ્ધ.
સપિંડ શ્રાદ્ધ
સન્માનની ઈચ્છાથી કરવામાં આવતું શ્રાદ્ધ.
ગૌષ્ઠ શ્રાદ્ધ
• ગૌશાળામાં ગાયની સેવા સ્વરૂપે કરવામાં આવતું શ્રાદ્ધ.
કર્માગ શ્રાદ્ધ
ભાવિ સંતતિ માટે કરવામાં આવતાં ગર્ભધાન, સોમયાગ, સીમંતોન્નયન વગેરે સંસ્કાર.
દૈદિક શ્રાદ્ધ
દેવતાઓને પ્રસન્ન કરવા માટે કરાતું શ્રાદ્ધ.
શુદ્ધિ શ્રાદ્ધ
કોઈ પાપકર્મના પ્રાયશ્ચિત સ્વરૂપે કરવામાં આવતું શ્રાદ્ધ
તૃષ્ટિ શ્રાદ્ધ
પર્વ શ્રાદ્ધ અમાસ વગેરે પર્વો પર મંત્રપૂર્વક કરવામાં આવતું શ્રાદ્ધ.