Breaking
15 જૂન 2025, રવિ

શ્રાદ્ધ પક્ષ નો મહિનો 2024,श्राद्ध 2024,શ્રાદ્ધ પક્ષ,શ્રાદ્ધ નું મહત્વ,શ્રાદ્ધ ક્યારથી ચાલુ થાય છે,શ્રાદ્ધ આમંત્રણ કાર્ડ,શ્રાદ્ધ ૨૦૨૪.

ગણપતિના વિશાળ માંડવા આજે ભેંકાર બની ગયા છે. જે ટેન્ટમાં દસ દિવસ અને રાત ધમાલ ચાલી હતી તથા જ્યાં શ્રધ્ધાળુઓ દર્શનનો લ્હાવો લેવા લાંબી લાઈનોમાં ઊભા રહેતા હતા તે હવે ખાલીખમ થઈ ગયા છે.

સામાન્યપણે ધાર્મિક પ્રસંગોનો વહિવટ કુશળ લોકો પોતાના હાથમાં રાખતા હોય છે. ક્યાંથી કેટલા પૈસાનું ડોનેશન આવશે અને ડોનેશન લેવા કોને મોકલવો તે આ ચતુર લોકો સારી રીતે સમજતા હોય છે. જોકે આ પ્રકારનાં ઉઘરાણાં શ્રાધ્ધના દિવસોમાં જોવા મળતાં નથી. શ્રાધ્ધ એ સાયલન્ટ તહેવાર છે.

શ્રાધ્ધના દિવસેોમાં અન્ય દિવસોની જેમ કોઈ ભીડભાડ કે ધક્કામુક્કી થતી નથી. ગણપતિ બાપ્પાના દર્શન કરવા હજારો- લાખો લોકો જાય છે, પણ શ્રાધ્ધ પક્ષમાં માંડ એના પાંચ-દસ ટકા સંખ્યા લોકો વિધિઓ કરતા જોવા મળે છે.

દરેક તહેવાર પાછળ તર્ક અને વિજ્ઞાન હોય છે, પરંતુ તહેવારોની સાયન્ટિફીક સમજ નવી પેઢી સુધી પહોંચાડવામાં વડવાઓ નિષ્ફળ ગયા છે. પૂર્વજો માટે શ્રાધ્ધ કરવાથી તેમનો આત્મા તૃપ્ત થાય છે – આવી વાતોથી નવી પેઢી દૂર ભાગે છે.

ગુજરાતીઓ શ્રાધ્ધના ભોજનથી માહિતગાર છે. કુટુંબના બધા સભ્યો સાથે બેસીને પૂર્વજોને સ્મૃતિમાં બાસુંદીના સબડકા લગાવતા જાય અને જુની વાતો યાદ કરતા જાય ત્યારે સાથે બેઠેલી નવી પેઢીને ખ્યાલ આવે છે કે આપણા પૂર્વજો કેવા હતા. કમબખ્તી એ છે કે શ્રાધ્ધપક્ષના નામ માત્રથી લોકોને ડરાવીને રાખવામાં આવ્યા છે.

ખરેખર તો શ્રાધ્ધ પૂર્વજોનો ઈતિહાસ અને સંઘર્ષ કથાઓ જાણવાની માટેની તક પૂરી પાડે છે. કુટુંબના સભ્યોને પૂર્વજો વિશે માહિતગાર કરવાને બદલે તેમને માત્ર ફોટામાં દેખાડી દેવામાં આવે છે.

શ્રાધ્ધના દિવસોમાં આપણા પૂર્વજ કાગડા બનીને કાગવાસ રુપી ભોજન ગ્રહણ કરવા આવે છે જેવી વાતો નવી અને ઈવન સિનિયર પેઢીને પણ હાસ્યાસ્પદ લાગે તે સ્વાભાવિક છે. કોણ જાણે શા માટે, પણ આપણા વડવાઓએ શ્રાધ્ધના વાસ્તવિક મહત્ત્વથી લોકોને દૂર રાખી દીધા. એટલે જ શ્રાધ્ધના દિવસોમાં કેટલાક શુભકામોની બાદબાકી કરી દેવાઈ છે.

શ્રાધ્ધના દિવસોમાં લોકો દૂધપાક કે બાસુંદી ખાઇ શકે પણ શુભ કામ ન કરી શકે એ કેવું? શ્રાધ્ધના નામે માત્રકર્મકાંડ અને વિધિઓને મહત્વ અપાતું રહ્યું, એક પ્રકારનો ડર ઊભો કરવામાં આવ્યો ને આપણી ધર્મભીરૂપ્રજા ચુપચાપ પરંપરાને અનુસરતી રહી. હવે સમય પલટાયો છે.

નવી પેઢી ધાર્મિક વિધિઓ અને માન્યતાઓ અંગે અનેક સવાલો કરે છે. તે વાત અલગ છે કે તેમને જવાબ આપવાને બદલે ચુપ કરી દવામાં આવે છે. તાર્કિક ઉત્તરો ન મળવાને કારણે જ નવી પેઢી ધાર્મિક ક્રિયાઓથી દૂર ભાગી રહી છે.શ્રાધ્ધ પક્ષ સાથે સંકળાયેલા કાગડાના વિજ્ઞાનને સમજવા જેવું છે.

વૃક્ષારોપણ અને ગ્લોબલ વોર્મિંગની વાતો કરનારે પણ શ્રાધ્ધ નિમિત્તે પર્યાવરણ અંગેની જાગૃતિ ફેલાવવાની જરૂર છે. પીપળો કે વડના બીજ આજે આસાનીથી મળતા નથી. તેના ટોટા રોપશો તો પણ તે નહીં ઊગે, કારણ કે કુદરતે આ બંને લોકોપયોગી વૃક્ષોના ઉછેર માટે અલગ વ્યવસ્થા કરી છે.

આ બંને ઝાડના ટેટા કાગડા ખાય છે. આ ટેટા કાગડાના પેટમાં જાય પછી એક ચોક્કસ પ્રોસેસમાંથી પસાર થાય છે. ત્યાર બાદ આ કાગડા જ્યાં પણ વિષ્ટા કરે ત્યાં આ ઝાડ ઊગી નીકળવાની સંભાવના પેદા થાય છે.કેટલાક મકાનોની તિરાડોમાં કે અગાશીમાં પીપળાનો નાનો છોડ ઉગતો જોઈને સૌને આશ્ચર્ય થાય છે. પીપળો રાઉન્ડ-ધ-ક્લોક ઓક્સિજન આપે છે, જ્યારે વડમાં ઓષધીય ગુણો ભરેલા છે.

કાગડા ઓગષ્ટ અને સપ્ટેમ્બરમાં ઇંડાં મુકે છે. બચ્ચાં બહાર આવ્યા પછી નજીકના મકાનની છત પર બેસીને ખેરાક ખાઈ શકે તે માટે અગાસી પર કાગવાસ મુકાય છે. આ રીતે પર્યાવરણ માટે જરૂરી એવા કાગડાની વસ્તી વધારવામાં મદદ મળે છે.હિન્દુ સંસ્કૃતિની તમામ ધાર્મિક પરંપરાઓ બહુ સમજીવિચારીને તૈયાર કરેલી છે. એટલે જ કહે છે કે શ્રાધ્ધમાં માનતા હોય કે ના માનતા હો પણ કાગ વાસ જરૂર નાખજો.

Leave a Reply