
આધુનિક મનોવિજ્ઞાન એમ કહે છે કે, કોઈપણ વ્યક્તિ આ જો સાચી દિશામાં માત્ર ત્રણ જ પગલાં ભરી શકે તો તે પોતાની ગ્રંથીઓને ભેદીને વામનમાંથી એનો અમલ કરવા માટે ધીરજની જરૂર રહે છે. દરેક માનવી પોતાની મર્યાદાઓ-સીમાઓ સાથે જ જન્મે છે. પોતાની સીમા અને મર્યાદાઓમાં રહીને એણે કામ કરવાનું હોય છે. અને, એ રીતે રહીને એ કેટલું કામ કરી શકે છે એના ઉપર સુખ અને વિકાસનો આધાર રહે છે. નિષ્ણાતોએ સૂચવેલા ત્રણ પગલાંનો વિચાર કરીએ.
તમે જે છો તે બનવાનો પ્રયત્ન કરો.એક વાત મનથી સ્વીકારી લો કે, આ જગતમાં તમે જેવા છો અને જે છો તેવું બીજું કોઈ નથી. તમે માત્ર એક અકસ્માત નથી. આખીએ સૃષ્ટિમાં તમે એક વિશિષ્ટ અને અગત્યની વસ્તુ છો. જુદાં જુદાં વૃક્ષો ઉપર અબજો પાન હોય છે, છતાં તદ્દન એક સરખા બે પાન શોધવાનું લગભગ અશક્ય છે, કારણકે દરેક પાનને તેનું પોતાનું એક એક ખાસ કર્તવ્ય અને ખાસ વિશિષ્ટતા છે. એવી જ રીતે કોઈપણ બે વ્યક્તિ એકજ કજ સરખી હોઈ શક્તી નથી અને કોઈ બે વ્યક્તિના વિચારો પણ એક જ સરખાં હોઈ શક્તા નથી.
આમ, આ જગતમાં આજ સુધી જન્મેલ અને હવે પછી જન્મનાર વ્યક્તિઓમાંથી તમારા જેવું કોઈ નથી. તમે જ્યાં છો, જેવી રીતે છો અને જે માટે છો તેની એક વિશિષ્ટતા છે, અને આ વિશિષ્ટતાને કારણે આ સમગ્ર વિશ્વમાં તમારી એક ખાસ અગત્ય છે. તમે જે વિચારી શકો કે કરી શકો તે બીજા એ જ રીતે કરી શકશે નહીં.
આપણે જો આંખો ખુલ્લી રાખીએ તો આપણને ખ્યાલ આવશે કે કેટલીક સામાન્ય લાગતી વ્યક્તિઓમાં પણ અસામાન્ય ગણી શકાય એવી શક્તિઓ હોય છે, એટલે કોઈને તદન સામાન્ય ગણી લેવાની જરૂર નથી. એ જ રીતે કેટલીક મહાન વ્યક્તિઓનો વિચાર કરીએ ત્યારે આપણને લાગે છે કે આપણે સાવ વામણા છીએ, પરંતુ એમ માની લેવાની પણ જરૂર નથી. સાંકળમાં જેમ દરેક કડી જરૂરી હોય છે તેમ જીવનની આ લીલામાં પણ નાની કે મોટી દરેક વ્યક્તિઓ અને વસ્તુઓ અગત્યની હોય છે.
વૃક્ષમાં જેટલું મહત્ત્વ ફૂલનું છે. તેટલું મહત્ત્વ મૂળનું પણ છે. એટલે, માણસે પોતાના વિશે જરા પણ લઘુતાગ્રંથિ સેવ્યા વિના કે બીજી તરફ જરાય મિથ્યા અભિમાન રાખ્યા વિના પોતાનું કામ કરવું જોઈએ. માણસે પોતાના સ્વભાવને અનુરૂપ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. ટૂંકમાં, આપણે જે બની શકીએ તેમ હોઈએ તે બનવું સમગ્ર ક્યાંય નથી. પ્રવૃત્તિમાં હરપળે, કશુંક અને આપણે જે બની શકીએ તેમ ન હોઈએતે બનવા પ્રયત્ન ન કરવો. તેમાં જ જીવનનીસાર્થકતા છે.
સક્રિય રહો.
સમગ્ર સૃષ્ટિમાં ક્યાંય નિષ્ક્રિયતા નથી. ઈશ્વર સતતપ્રવૃત્તિમાં છે. હરપળે, હરક્ષણે કશુંક બન્યા જ કરે છે. તમે કંઈકોકેન કરો સમય તો વહેતો જ રહે છે. જન્મ થતાં જ માણસએક એવી ટ્રેનમાં મુસાફરી કરવા માંડે છે, જે થાક ખાવા માટેક્યાંય થોભતી નથી. જગતમાં બધું જ સતત ગતિશીલ છે.જીવનની સાથે રહેવા માટે માણસે સતત પ્રવૃત્તિશીલ રહેવુંજોઈએ.
ઘણા માણસો એવા હોય છે કે તેમને પ્રવૃત્તિ કરવીહોય છે. પરંતુ શું પ્રવૃત્તિ કરવી તે નક્કી કરી શક્તા નથી. દરેકવખતે તેઓ દો રાહા પર જઈને ઊભા હોય છે. જમણી બાજુ જવું કે ડાબી બાજુ જવું એ નિર્ણય નથી લઈ શક્તા. પરંતુ, નિર્ણય ન કરવા કરતાં ખોટો નિર્ણય કરવો એ વધારે સારું છે.
ખોટા રસ્તો જનારને ક્યારેક તો ખબર પડે છે કે પોતે ખોટા રસ્તે છે અને એને ખબર પડે ત્યારે એ પોતાનો રસ્તો પણ બદલી શકે છે અને બિલકુલ પ્રવૃત્તિ નહીં કરનાર કરતાં તેની સ્થિતિ સદાય સારી રહે છે. સામાન્ય રીતે આપણી માન્યતા એવી હોય છે કે માણસને પ્રવૃત્તિનો થાક લાગે છે. પણ સૌથી વધારે થાક તો કામ નહિ કરવાનો લાગે છે.
જે માણસોએ જીવનમાં કશું મેળવ્યું હોય છે તેમણે પ્રવૃત્તિ કરીને જે મેળવ્યું હોય છે. એવો ૧ માણસ કમનસીબ જ ગણાય કે મુસાફરીમાં એની પાસે બત્તી હોવા છતાં તેનો ઉપયોગ કરવો કે નહીં તેના નિર્ણયમાં જ ગોથાં ખાધા કરતો હોય. મોટેભાગે માણસની ‘શક્તિનો અભાવ તેની સફળતા અને નિષ્ફળતાનું કારણ નથી હોતો પણ એ શક્તિ વાપરવાની રીતમાં જ તેની સફળતા અને નિષ્ફળતાનું રહસ્ય હોય છે. અને મોટાભાગે નિર્ણયના અભાવમાંથી નિષ્ફળતાઓ જન્મતી હોય છે.
નિષ્ક્રિયતા સામેનો પડકાર એ છે કે નિર્ણય કરો અને આગળ વધો. ભૂલ થાય તો ફરી નિર્ણય કરો.શ્રધ્ધાપૂર્વક જીવો શ્રધ્ધા એ જીવનને ગતિ આપનારું બળ છે. પણ શ્રધ્ધાએટલે અંધશ્રદ્ધા નહી. શ્રધ્ધા સતત ગતિશીલ અને નિર્ણયહોય છે. જ્યારે અંધશ્રદ્ધા બંધિયાર હોય છે. વહેતા નિર્મળપાણી અને બંધિયાર ગંદા પાણી જેટલો બંનેમાં તફાવત છે.
માણસ સામાન્ય રીતે બે જુદા જુદા ધ્રુવો પર જીવતો હોયમધ્યમમાર્ગ તે પસંદ કરતો નથી.કાંતો એ ને અશ્રધ્ધાળુ હોય છે અથવા તો અંધશ્રધ્ધાળુ હોય છે. અને આ બંને વસ્તુ સરખી હાનિકારક છે.