Breaking
15 જૂન 2025, રવિ

મહુવામા ધોધમાર સવા ઈચ વરસાદ, તળાજામા પોણો ઈંચ,જેસરમા૦૮ મીમી વરસાદ ખાબક્યો,વાવાઝોડાનો ખતરો નથી, 14 થી 20 ઓક્ટોબરના ભારે માવઠાની સંભાવના.

ભાવનગર સહિત સમગ્ર ગોહિલવાડ માં ફરી એક વખત વાતાવરણ માં પલટો આવ્યો છે. ગત રાત્રે શહેર-જિલ્લામાં કેટલાક સ્થળોએ ઝરમર વરસાદ બાદ આજે વહેલી સવારથી આકાશમા વાદળીનુ સામાય છવાયુ હતુ. અને મહુવામાં ધોધમાર સવા ઈંચ વરસાદ ખાબકી ગયો હતો. તો તળાજામા પોણો ઈંચ અને જેસરમાં ૦૮ મીમી વરસાદ વરસી ગયો હતો. ભાવનગર, થોથા, ગારીયાધાર, પાલીતાણા સહિત આઠ તાલુકામા મેથરાજાએ હાજરી પુરાવી હતી.

શહેરમા સમયાંતરે વરસાદના કારણે રોડ ભીના થઈ ગયા હતા. જેના કારણે વાતારવણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદના પગલે નવરાત્રીની ઉજવણીના આયોજકો ચિંતામા પડી ગયા હતા. મહુવા, તળાજા પંથકના ગામોમાં પણ ધોધમાર વરસાદ ખાબકયો હોવાના અહેવાલ મળ્યા છે. જેમા તળાજા પંથકના બોરડા, કોટડા દાઠા, લોંગડી, કાટીકડા, રાણીવાડા, જાગધાર, ગુંદરણા, ગાધેસર, કુંડવી સહિત પંથકમાં બપોરે ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

ભાવનગર શહેરમાં લાંબા સમયથી ઓવરબીજનુ કામ ચાલુ છે. ત્યારે આજે વરસાદના કારણે ઓવરબીજના માર્ગમા પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા હતા. તો શહેરના નિચાળવાળા સ્થળોએ પણ પાણી ભરાયા હતા.ભાવનગરમા ગઈકાલ રાતથી અષાઢી માહોલ જામ્યો છે. શહેર અને જિલ્લાના અનેક સ્થળોએ સમયાંતરે વરસાદ વરસી રહ્યો હતો.

આજે ગુરૂવારે આઠ તાલુકામાં મેઘરાજાએ હાજરી આપી હતી. જેમાં સૌથી વધારે મહુવામાં ૨૮ મીમી વરસાદ વરસી ગયો હતો. તો તળાજામાં ૧૯ મિમી, જેસરમા ૦૮, ઘોષા ૦૪, ભાવનગર ૦૩ તેમજ ગારીયાધાર અને પાલીતાણામાં ઝરમર વરસાદ રહ્યો હતો. હજુ વાતાવરણ ગોરંભાયેલુ હોવાથી શહેર જિલ્લાના નવરાત્રીના આયોજકો ચિંતાગ્રસ્ત બન્યા છે. નવરાત્રીમા અચાનક મેધરાજા ત્રાટકતા ખેલૈયાઓના રંગમા ભંગ પડવાની સંભાવના વધી છે.

આસોમા અષાઢી માહોલથી ખેલૈયાઓમા ચિંતા,

ભાવનગર શહેર અને જિલ્લામાં નવરાત્રી જમાવટ લઈ રહી છે. અનેક સ્થળોએ પ્રોફેનશલ તેમજ શેરી, મહોલ્લામા નવરાત્રીની ઉજવણી થાય છે. ત્યારે અચાનક આવેલા પલટાથી ખેલૈયાઓ ચિંતીત બન્યા છે. વરસાદના કારણે ખેલૈયાઓના રંગમા ભંગ પડવાની સંભાવના વધી છે.

મહત્તમ તાપમાન પાંચ ડિગ્રી ડાઉન, ભેજ વધીને ૮૮ ટકા થયો.

ભાવનગરમા ઓચિંતા વાતાવરણમાં પલટો આવતા મહત્તમ તાપમાન પાંચ ડિગ્રી જેટલુ ડાઉન થઈને ૩૦.૮ ડિગ્રીએ પહોંચી ગયુ હતુ તો ભેજ ૩૮ ટકા વધીને ૮૮ ટકાએ પહોંચ્યો હતો. લઘુતમ તાપમાન ઘટીને ૨૪.૮ ડિગ્રી અને પવનની ઝડપ ૮ કીમી પ્રતિકલાક રહેવા પામી હતી.

બોટાદમા સવારે મેઘરાજાએ હાજરી પુરાવી.

વાતાવરણમાં પલટો આવતા બોટાદમા સવારે ઝરમર વરસાદ વરસી ગયો હતો. તો જિલ્લાના કેટલાક સ્થળોએ પણ મેઘરાજાએ હાજરી પુરાવી હતી. આખો દિવસ આકાશમાં વાદળોનું સામ્રાજ્ય છવાયેલુ રહ્યું હતુ.

તળાજા પંથકમા ગાજવીજ સાથે મેઘરાજાનુ આગમન.

તળાજા નગર અને આસપાસના ગામડાઓમા ગઈકાલ રાત્રીના સમયથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. વંટોળીયા જેવો પવન ફૂંકાયા બાદ અમી છાંટણા થયા હતા. બાદ આજે બપોર બાદ વાતાવરણ ઘેઘુર બન્યું હતું. ગડગડાટના મોટા અવાજો સાથે વરસાદ વરસ્યો હતો. કૃષિ નિષ્ણાત ગોપાલ સોલંકી ના જણાવ્યા મુજબ મગફળી ખેંચવામા હાલ તકલીફ પડશે.દસેક દિવસ મોડું થશે. એજ રીતે કપાસમા ફુલ છબખા ખરશે જેના કારણે કપાસનો ફાલ ફરી બેસશે નહિ. આગામી દસ દિવસ દરમિયાન ફરીને વરસાદ આવ્યો તો ખેડૂતોને મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

વાવાઝોડાનો ખતરો નથી, 14 થી 20 ઓક્ટોબરના ભારે માવઠાની સંભાવના.

ચોમાસાએ હવે વિદાય લઈ લીધી છે છતાં આગામી દિવસમાં હવે માવઠાની આગાહી કરવામાં આવતા ખેડૂતોની ચિંતા વધી છે.હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ ની આગાહી મુજબ ચોમાસું સારૂ રહ્યું છે અને ભરપૂર વરસાદ થયો છે જેથી પાણીનીસમસ્યા પણ ઉકેલાય છે. છે. જો કે હવે ચોમાસાએ વિદાય લઈ લીધી છે.પરંતુ આગામી 14 ઓક્ટોબરથી ફરી વાતાવરણમાં પલટો આવી શકે છે. અને 20 ઓક્ટોબર સુધીમાં 1 થી લઈ 2 ઈંચ સુધી વરસાદ પડી શકે છે.

સૌથી વધુ તીવ્રતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રહેશે. જ્યારે વાવાઝોડા મુદ્દે જણાવ્યું હતું કે કોઇ વાવાઝોડાની સંભાવના નથી માત્ર ને માત્ર વરસાદની સિસ્ટમ છે.જે અરબ સાગરમાંથી આવી શકે છે.

Leave a Reply