Breaking
14 જૂન 2025, શનિ

ગિરનારની લીલી પરિક્રમા વિધિવત રીતે અગિયારસની મધરાતથી શરૂ કરવામાં આવશે.આજે બપોર પછી ધસારો થવાની સંભાવના: અવ્યવસ્થા ન સર્જાય માટે ભાવિકોને નિયત સમયે, તારીખે જ આવવા તંત્રનો અનુરોધ : આજે સવારે ૮ વાગ્યે સાધુ-સંતો પરિક્રમાના રૂટનું નિરીક્ષણ કરશે.

ગિરનારની લીલી પરિકમાં વિપિવત રીતે અગિયારસની મધરાત એટલે તા.૧૨ મી નવેમ્બરની રાતે ૧૨ કલાકથી શરૂ થનાર છે. તે પૂર્વે જ આજથી ભવનાથ તળેટીમાં જાણે મેળા જેવો માહોલ બંધાઈ રહ્યો હોય તેવા દમ્યો જોવા મળી રહ્યા છે. તળેટીમાં દેર-ઝેર ખાણી-પીણીના સ્ટોલ ખડકાવા, કટલેરી, કપડા સહિતની વસ્તુઓની બજાર ખુલી છે, આવતીકાલે રવિવાર હોવાથી બપોર પછી ભાવિકોનો પ્રવાહ આવે તેવી સંભાવના દેખાઈ રહી છે. આવતીકાલે સવારે ૮ વાગ્યે સાધુ-સંતો પરિક્રમા રૂટનું નિરીક્ષણ કરશે.

ગિરનારની ૩૯ કિલોમીટરની લીલી પરિક્રમા કરીને પુરુષનું ભાથું બાંધવા માટે લાખો ભાવિકો થનગની રહ્યા છે. ત્યારે પરિક્રમા શરુ થવાને આડે હવે માત્ર બે જ દિવસનો સમય બાકી રહ્યો છે. પરંતુ પાછલા બે વર્ષથી જોઈએ છીએ કે પરિક્રમાના અગાઉથી અસંખ્ય ભાવિકો આવી પછી જતા હોય છે, અને પરિક્રમાના આગલા દિવસથી જ તળેટીમાં પામ્યા નાખી દેતા હોય છે, ત્યારે આ વર્ષે પણ તંત્ર દ્વારા પરિક્રમાથીઓને નિયત સમવે અને તારીખે જ આવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

કારણ કે, પરિક્રમા રૂટ ઉપર ભાવિકોને મળવાપાત્ર પ્રાથમિક સુવિધાઓ પુરેપુરી મળી રહે અને કોઈ હેરાનગતી ના થાય પરંતુ અમુક ઉતાવળિપ રિક્રમાર્થીઓ વહેલા આવી જતા હોય છે, જેના પરિણામે અમુક સમયે અવ્યવસ્થાઓ સર્જાવાની શક્યતાઓ

હેલી છે. ત્યારે આજે શનિવારે સાંજથી તળેટીમાં જાણે મેળા જેવો માહોલ હોય તે રીતે લોકોની ચહલ પહલ નજરે ચડી હતી, અને ભવનાથ તળેટીમાં વાહનોની અવર જવર અને ભીડ જોવા મળી રહી છે. તળેટીમાં ભવનાથ મંદિર પાછળ આવેલા મનપાની ઝોનલ ઓફીસ પાસેના મેદાન પાસે સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી આવતા પાથરણા વાળા જેઓ માળા સહિતની ચીજ-વસ્તુઓ વેચવા આવે છે. તેઓ આવી ગયા છે, અને જોઈએ તો જાણે મેળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. તળેટીમાં દામોદર કુંડથી આગળ જિલ્લા પંચાયતના મેદાનથી તળેટી સુધીમાં રોઠની બને તરફ પાથરણાવાળાઅને સ્ટોલ ઉભા કરી દેવામાં આવ્યા છે. તળેટીમાં ખાણીપીણી ના સ્ટોલ ખડકાઈ ગયા છે, તો ખરીદી માટે એક ખાસ બજાર ઉભી કરવામાં આવી છે. જેમાં કપડા, સાડી, બુટ-ચપ્પલ, માળા સહિતની ઘર વપરાશની તમામ ચીજ- વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. મનપા દ્વારા અપાયેલા તમામ કોમર્શિયલ પ્લોટ હાઉસફૂલ થવા છે. અને ભવનાથમાં જાણે શિવરાત્રીના મેળા જેવો માહોલ જોવા મળીરહ્યો છે. આવતીકાલે રવિવાર છે, અને રજાના દિવસ હોવાથી બપોર પછી ભાવિકોનો પ્રવાહ પીમીંગતિએ આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

અમરેલી-જૂનાગઢ વચ્ચે પરિક્રમા માટે સ્પેશિયલ ટ્રેન દોડશે.

જૂનાગઢ : જૂનાગઢમાં ૧૨ નવેમ્બર, ૨૦૨૪ થી યોજાનાર પરિક્રમા મેળા માટે પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર ડિવિઝનના મુસાફરોની સુવિધા માટે તી ૧૧, નવેમ્બરથી થી તા.૧૭, નવેમ્બર સુધી મીટરગેજ સેક્શનમાં અમરેલી અને જુનાગઢ વચ્ચે અમરેલી-જુનાગઢ-અમરેલી પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર ડિ.વિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારના જણાવ્યા મુજબ મીટરગેજ પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન અમરેલી જુનાગઢ-અમરેલી આ ટ્રેન અમરેલીથી જૂનાગઢ જવા માટે સવારે ૯ કલાકે ઉપડશે અને બપોરે ૧૨:૪૦ કલાકે જુનાગઢ પહોંચશે. તેવી જ રીતે જુનાગઢથી અમરેલી જતી પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન જુનાગઢથી ૧૫ ૩૦ કલાકે ઉપડશે અને ૧૯.૩૦ કલાકે અમરેલી પહોંચશે. આ ટ્રેનમાં બંને દિશામાં આવતા તોરણીયા, બિલખા, જુની યાવડ, વિસાવદર, જેતલવડ, ભાડેર, ધારી, ચલાલા અને અમરેલી પરા સ્ટેશનો પર ઉભી રહેશે.

પરિક્રમાર્થીઓના આરોગ્ય માટે ૧૦ હંગામી દવાખાના ઉભા કરાશે.

જૂનાગઢ : જીણાબાવાની મઢી,સરકડિયાના વોડી વિસ્તાર, માળવેલા વિસ્તાર, માળવેલાની ઘોડી ઉપરના પોઇન્ટ, શ્રવણની કાવડના નળપાણી વિસ્તાર, નળપાણીની ઘોડી ઉપરના પોઇન્ટ, બોરદેવી વિસ્તાર, બાળદેવી મંદિર, ભવનાથ અને ગિરનાર અંબાજીનો ટુંક ખાતે ૧૦ જેટલા હંગામી દવાખાનાઓ શરૂ કરવામાં આવશે ૧૬ મેડિકલ – પેરા મેડિકલ ટીમ પણ સેવારત રહેશે, નાકોડા ખાતે આઇસીયુ, આકસ્મિક સંજોગોમાં દર્દીને રીફર કરવા ૧૨ એમ્બ્યુલન્સને પરિક્રમા રૂટ પર ડેપ્યુટ કરવામાં આવશે. ભવનાથ, ભેશાણ તાલુકાના માલીકા પાસે, ડેરવાણ વિસ્તાર અને બીલખા પાસેના રામનાથ વિસ્તારમાં ૧૦૮ એમ્બ્યુલન્સને જરૂરી દવા અને સ્ટાફ સાથે તૈનાત રાખવામાં આવશે.

Leave a Reply