
કેન્દ્રએ PAN 2.0 પ્રોજેક્ટની જાહેરાત કરી છે. આમાં, હાલના પાનકાર્ડને અપગ્રેડ કરવામાં આવશે અને ક્યૂઆર કોડ સાથેનું પાનકાર્ડ આપવામાં આવશે. દેશમાં 78 કરોડથી વધુ પાનકાર્ડ ધારકો છે. તેમના મનમાં અનેક સવાલો ઊઠી રહ્યા છે કે શું હાલનું પાનકાર્ડ કામ કરશે? ક્યૂઆર કોડ સાથેનું પાનકાર્ડ કેવી રીતે મેળવવું અથવા નવા કાર્ડ માટે કોઈ ફી ચૂકવવી પડશે? જાણો આવા સવાલોના સરળ જવાબ.
PAN 2.0 પ્રોજેક્ટ શું છે?
PAN 2.0 એ આવકવેરા વિભાગ દ્વારા તમામ PAN/TAN પ્રવૃત્તિઓ અને વેરિફિકેશન સેવાઓને સુધારવાની દિશામાં લેવાયેલું એક પગલું છે. તેનાથી ડિજિટલ ઈન્ડિયા મજબૂત થશે. કરદાતાની સુવિધામાં વધારો થશે. પાનકાર્ડની સેવાઓ સરળ અને ડિજિટલ હશે.
* શું નવા પાનકાર્ડ માટે કોઈ ફી ચૂકવવી પડશે?
પાનકાર્ડને અપગ્રેડ કરવા માટે સરકાર 1,435 કરોડ રૂપિયા ખર્ચ કરશે. કાર્ડધારકોએ કોઈ પણ ફી ચૂકવ્યાવિના તેમના વર્તમાન પાનકાર્ડને અપગ્રેડ કરી શકશે.
ક્યૂઆર કોડવાળા કાર્ડ PAN 2.0થી શુિફાયદ શું ફાયદો થશે?
સરકારે તેના ફાયદાઓ ગણાવ્યા છે.
1) સેવાઓની ઍક્સેસ ઝડપી અને સરળ અને વધુ સારી ડેટા ચોકસાઈ હશે.
2) સત્યનો એક જ સ્રોત, તમામ પ્લેટફોર્મ પર ડેટાની સુસંગતતા સુનિશ્ચિત કરશે.
૩) પર્યાવરણને અનુકૂળ પ્રક્રિયાઓ અને ઓછી કિંમત.
4) યોગ્ય સુરક્ષા અને માળખાકીય સ્થિતિસ્થાપકતા.
શું હાલનું PAN કાર્ડ ક્યૂઆર કોડ વિના માન્ય છે?
હાલના પાનકાર્ડ માન્ય રહેશે. જોકે, કરદાતાઓ કોઈ પણ વધારાના ખર્ચ વિના તેમના કાર્ડને ક્યૂઆર કોડ સાથે નવા સંસ્કરણમાં અપગ્રેડ કરી શકે છે.
કરદાતાઓને લાભ કયા સ્વરૂપમાં મળશે?
બેન્ક અથવા અન્ય કોઈ સંસ્થા પાસેથી લોન લેવામાં સામેલ પેપરવર્કમાં સમય લાગશે નહીં. બેન્ક અરજદારની ટેક્સહિસ્ટ્રી અને ઓળખ ચકાસવા માટે પાનકાર્ડ પરનો ક્યૂઆર કોડ સ્કેન કરી શકે છે. ભૌતિક દસ્તાવેજો વિના વેરિફાઈ કરી શકાશે.