Breaking
14 જૂન 2025, શનિ

ભારત માં વિશ્વ નું સૌથી મોટું શ્રી રામ નું રામાયણ આધારિત પાર્ક બનશે.ચિત્રકૂટઃ 80 એકરમાં બની રહ્યો છે રામાયણ પાર્ક.

ભગવાન રામની તપોભૂમિ ચિત્રકૂટને વિશ્વ સ્તરનું ધાર્મિક અને પર્યટન સ્થળ તરીકે વિકસિત કરવાનો પ્લાન મધ્ય પ્રદેશ સરકારે તૈયાર કર્યો છે. રામાયળ કાળથી જોડાયેલા સ્થળો અને આધુનિક પરિવહન સેવાઓ વિકસિત કરવા માટે 750 કરોડ રૂપિયા ખર્ચ થશે. તેના માટેનો ડીપીઆર તૈયાર છે. સમગ્ર નગરમાં શ્રીરામની છબિ હશે. પ્લાન મુજબ 80 એકરમાં રામાયણ એક્સપિરીઅન્સપાર્કમાં શ્રીરામ, માતા સીતા અને લક્ષ્મણની વિશાળ મૂર્તિઓ હશે. રામાયણ કાળના સ્થળોના મોડલ, 5ડી-3ડી હોલોગ્રામ અને લાઈટ- સાઉન્ડ શો સાથે મલ્ટિ ફેસિલિટી સેન્ટર, ટ્રાફિક કમાન્ડ સેન્ટર, રસ્તાઓ, મંદાકિની નદી પર બ્રિજ જેવા પ્રોજેક્ટને સામેલ કરવામાં આવ્યા છે. હાલ આ પ્રોજેક્ટની ડેડલાઈન નક્કી કરાઈ નથી.

આવું હશે રામાયણ એક્સપિરીઅન્સ પાર્ક.

ભગવાન રામની 151 ફૂટ ઊંચી પ્રતિમા તૈયાર કરાશે. રાજોલ ગામમાં 80 એકરમાં રામાયણ એક્સપિરીઅન્સપાર્ક બનશે. તે માટે 100 કરોડથી વધુ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ પાર્કમાં ભગવાન રામની 151 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરાશે. 5ડી અને રૂડી પ્રેઝન્ટેશનથી રામાયણ કાળની ઘટનાઓને જીવંત રૂપમાં દર્શાવવામાં આવશે. મુલાકાતીઓને અનોખો અનુભવ કરાવવા માટે આયોજન.

સંતોનું ધ્યાન કેન્દ્ર,1હજાર સંત રોકાણ કરી શકશે.

સંતો માટે અધ્યાત્મ-ધ્યાન કેન્દ્ર તૈયાર કરવામાં આવશે. અહીં 1 હજારથી વધુ સંત રોકાઈ શકશે. સુવિધાયુક્ત પર્ણ ફુટી (કોટેજ) તૈયાર કરાશે. સાંસ્કૃતિક કેન્દ્રપ પણ હશે.

* આધ્યાત્મિક લાઈબ્રેરી, હર્બલ ગાર્ડન અને ગૌશાળા પણ હશે. સમાયણના મહત્ત્વપૂર્ણ સ્થળ જેમકે મોકમગઢ કિલ્લો, સતી અનુસુઈયા મંદિર, ગુપ્ત ગોધવરી, મંદાકિની જાનકી કુંડ, કામદગિરિપરિક્રમા, સ્ફટિક શિલા જેવા સ્થળોનો પણ વિકાસ કરી ભક્તો માટે ખુલ્લાં મૂકાશેમંદાકિની નદી પર 130 મીટર લાંબો પુલ બનશે.

રાઘવ પ્રયાગ ઘાટ પર બોટિંગ અને આધુનિક લાઈટિંગ જેવી સુવિધાઓ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનશે.હનુમાન ધારામાં 3750 વર્ગમીટરમાં 24 કરોડથી ફેસિલિટી સેન્ટર અને નયાગાંવમાંડા કરોડથી ટ્રાફિકકમાન્ડ સેન્ટર બનશે.

Leave a Reply