Breaking
16 જૂન 2025, સોમ

વાદળ ફાટવું એટલે શું?.વાદળ ક્યારે ફાટે છે?.વાદળ ક્યારે ફાટે છે?.વાદળ ફાટે ત્યારે શું થાય?.પહાડી વિસ્તારમાં વાદળ.વધારે ફાટવાનું કારણ આ છે.વાદળ ફાટે ત્યારે આ રીતે બચી શકાય..

આકાશમાં કાળાં ડિબાંગ વાદળો જ્યારે ગડગડાટ કરવા લાગે, વીજળીના ચમકારા થવા લાગે અને પવન ફૂંકાવા લાગે ત્યારે બધા જ લોકો બહુ ખુશ થઈ જાય છે, કારણ કે આ વરસાદ થવાનાં એંધાણ છે. વર્ષાઋતુમાં પ્રકૃતિ ખીલી ઊઠે છે, પરંતુ ક્યારેક આ જ વાદળો કહેર બનીને વરસવા લાગે છે. જ્યારે વાદળાં ફાટે ત્યારે વિનાશ સર્જાય છે. યાદ કરો કેદારનાથમાં વાદળ ફાટ્યાં ત્યારે શું થયું હતું? વર્ષાઋતુમાં વાદળ ફાટવાની ઘટના ખાસ કરીને પહાડી વિસ્તારોમાં વધારે જોવા મળે છે. તેનાથી જાનમાલને ઘણું નુકસાન થાય છે. અવારનવાર વાદળાં ફાટવાના સમાચાર આવતા રહે છે, પણ શું તમે જાણો છો કે વાદળાં ક્યારે, ક્યાં અને કેવી રીતે ફાટે છે? વાદળ ફાટે ત્યારે બચવાની કોઈ રીત ખરી?

વાદળ ફાટવું એટલે શું?

વાદળ ફાટવાનો અર્થ મોટાભાગના લોકો એવો કરે છે કે ક્યાંક એકદમ અચાનક જ ફુગ્ગાની જેમ વાદળ ફાટે છે અને ધોધ વહેતો હોય એમ પાણી વહેવા લાગે છે, પરંતુ ખરેખર એવું હોતું નથી. હવામાન વિજ્ઞાનના અનુસાર જો કોઈ પણ જગ્યાએ એક કલાકમાં દસ સેન્ટિમીટરથી વધારે વરસાદ થાય તો તેને વાદળ ફાટવું કહે છે. વૈજ્ઞાનિક ભાષામાં તેને ‘ક્લાઉડ બર્સ્ટ’ અથવા ‘ફલેશ ફલડ’ પણ કહેવામાં આવે છે. અચાનક જ ભારે વરસાદ થાય તો તેને પણ વાદળ ફાટવું જ કહે છે. વાદળ ફાટવાની ઘટનામાં બહુ જ ઓછા સમયમાં ખૂબ જ ધોધમાધ વરસાદ થાય છે. દસ સેન્ટિમીટર કે તેનાથી વધારે વરસાદ થોડા જ સમયમાં થાય છે, તેથી પૂરની સ્થિતિ પેદા થઈ જાય છે.

વાદળ ક્યારે ફાટે છે?

વાદળ ફાટવાની ઘટના ત્યારે બને છે જ્યારે ભારે માત્રામાં નરમાશ કે ભીનાશવાળાં વાદળો એક જગ્યાએ એકઠાં થઈ જાય છે. આવું થવાથી ત્યાં રહેલાં પાણીનાં બૂંદો એકબીજામાં મળી જાય છે. પછી આ બુંદોનો ભાર એટલો વધી જાય છે કે વાદળની ડેન્સિટી વધી જાય છે. ડેન્સિટી વધવાથી અચાનક જ તીવ્ર વરસાદ થવાનું શરૂ થઈ જાય છે.

વાદળ ફાટે ત્યારે શું થાય?

વાદળ ફાટવાને કારણે પૂર આવી શકે છે. ઈમારતો, ઘરો, રસ્તા અને અન્ય સંપત્તિને નુકસાન થઈ શકે છે, કારણે ભારે વરસાદ થાય છે. વૃક્ષ-છોડ અને પાકને પણ નુકસાન થાય છે. પહાડી વિસ્તારોમાં વાદળ ફાટવાથી અચાનક ભારે વરસાદથી ભૂસ્ખલન થઈ શકે છે. આ સિવાય લાંબા સમય સુધી બ્લેકઆઉટનો સામનો કરવો પડી શકે છે. સમગ્ર વિસ્તારમાં તેને કારણે અંધારપટ થઈ શકે છે.

પહાડી વિસ્તારમાં વાદળ.વધારે ફાટવાનું કારણ આ છે.

સામાન્ય રીતે ધરતીની સપાટીથી ૧૨-૧૫ કિલોમીટરની ઊંચાઈએ વાદળ ફાટવાની ઘટના બને છે. પહાડોની ઊંચાઈને કારણે વાદળો આગળ વધી શકતાં નથી અને અચાનક જ એક જ સ્થાન પર તીવ્ર વરસાદ થવા લાગે છે. થોડી જ ક્ષણોમાં 2 સેન્ટિમીટરથી વધારે વરસાદ થઈ જાય છે. પહાડો પર મોટેભાગે ૧૫ કિલોમીટરની ઊંચાઈ પર વાદળો કાટે છે.

વાદળ ફાટે ત્યારે આ રીતે બચી શકાય.

તમે હો ત્યાં વાદળ ફાટવાની સ્થિતિમાં સૌથી પહેલાં પેનિક ન થશો. શાંત રહો. આવી આકસ્મિક સ્થિતિમાંગભરાઈને તમે પોતાની કે અન્યની મદદ નહી કરી શકો. સમજદારી એમાં છે કે તમે પહેલાં પોતાની અને પછીઆસપાસના લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરો. બહાર નીકળવાનું ટાળો. ભારે વરસાદને કારણે બ્લેકઆઉટથવું સામાન્ય બાબત છે. આવી સ્થિતિ માટે જનરેટર, યુપીએસ જેવા બેકઅપ પાવર સ્રોત પહેલેથી તૈયારરાખો. પૂરવાળાં ક્ષેત્ર, ખાસ કરીને નદીની આસપાસના વિસ્તારોમાં ન જવું. કરંટ ન આવે તે માટે વીજળીનાપાંભલાઓથી દૂર રહો. જોકે, આ બધી પૂર્વતૈયારી તમે ત્યારે જ કરી શકશો જયારે તમે હવામાન વિભાગનીઆગાહી કે ચેતવણી બાબતે અપડેટ રહેશો અને પૂરતું ધ્વાન આપશો.

  • શનિવારે ધમાકેદાર MNP ઓફર. જય ગરૂદેવ મોબાઈલ દયાળ. MNP સવારે 10 વાગ્યા પહેલાં કરવો અને સારી ગિફ્ટ મેળવો…

    તારીખ 4/1/2025 ના રોજ એરટેલ માં MNP ઓફર છે, તમારું ત્રણ મહિના નું જૂનું સીમ…

  • જયગરુદેવમોબાઈલ દયાળ MNP ઓફર તારીખ 2/1/2025 ના દીવસ ની ઓફર

    તારીખ 2/1/2025 ના રોજ એરટેલ માં MNP ઓફર છે, તમારું ત્રણ મહિના નું જૂનું સીમ…

  • ભાવનગરમા ઠંડીનુ જોર યથાવત રહશે, રાત્રિ નું તાપમાન ઘટ્યુ, ૧૫.૪ ડિગ્રી સેલ્સીયસ.૧૦ કિ.મી. ઝડપે ફૂકાતો ઠંડો પવન

    ભાવનગરમા શિયાળાની જમાવટ થઈ ગઈ છે. ડિસેમ્બરના અંતિમ પખવાડિયામા હવામાનમા વારંવાર બદલાવ બાદ ૩ દિવસથી…

Leave a Reply